UP: મોદીની જબરજસ્ત ટીકા કરતી નેહા સિંહ રાઠોડનો કેસ કોર્ટે ફગાવી દીધો

  • India
  • May 8, 2025
  • 0 Comments

UP: પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન ભારત વચ્ચે તણાવ છે. ભારતે પાકિસ્તાનમાં હવાઈ હુમલા કરી આતંકી ઠેકાણાઓને નાશ કર્યો છે. આ વચ્ચે પહેલગામ ગામ હુમલા અંગે વડાપ્રધાન મોદીને પ્રશ્ન પૂછનાર લોકગાયિકા નેહા સિંહ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. જે કે કોર્ટે આ કેસ ફગાવી દીધો છે.

નેહા સિંહ રાઠોડ વિરુધ્ધ લખનૌના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં નેહા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) હેઠળ દેશદ્રોહ, સાંપ્રદાયિક તણાવ ભડકાવવા અને રાષ્ટ્રીય એકતાને જોખમમાં મૂકવાના આરોપસર FIR નોંધવામાં આવી હતી. નેહા સિંહ રાઠોડ સામે થયેલી FIR  અયોધ્યા કોર્ટે ફગાવી દીધી છે.

Neha Singh Rathore

ચુકાદા પછી નેહા સિંહ રાઠોડે પોતાની પ્રતિક્રિયામાં કહ્યું, “સત્ય હંમેશા જીતે છે. હું એક લોક ગાયિકા છું અને મારી કલા દ્વારા સમાજના મુદ્દાઓ ઉઠાવવાની જવાબદારી મારી છે. હું ડરવાની નથી અને ચૂપ પણ રહીશ નહીં.” તેમણે કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું અને પોતાના સમર્થકોનો આભાર માન્યો. નેહાએ અગાઉ કહ્યું હતું કે સરકાર તેમની વિરુદ્ધ FIR દાખલ કરીને “વાસ્તવિક મુદ્દાઓ” પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહી છે. ફરિયાદ નોંધઈ તે સમયે નેહાએ પૂછ્યું હતુ કે “પહેલગામ હુમલાના જવાબમાં સરકારે શું કર્યું? મારી સામે FIR કરી? જો તમારામાં હિંમત હોય તો આતંકવાદીઓ સામે કાર્યવાહી કરો.” પરંતુ હવે જ્યારે ભારતે પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે, ત્યારે નેહાએ તેનું સ્વાગત કર્યું છે. નેહા સિંહ રાઠોડે સેનાનો આભાર વ્યક્ત કર્યો છે.

અયોધ્યા જિલ્લા અદાલતનો ચુકાદો નેહા સિંહ રાઠોડ માટે એક મહત્વપૂર્ણ કાનૂની વિજય છે, જે લોક ગાયન અને સામાજિક ટિપ્પણી દ્વારા પ્રશ્નો ઉઠાવવાની તેમની સફરને વધુ મજબૂત બનાવે છે.  નેહાની વાત માત્ર એક લોક ગાયિકાની નિર્ભયતા નહીં  પરંતુ ભારતમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા અને સામાજિક ટિપ્પણીના મુદ્દાઓ કેટલા સંવેદનશીલ છે તે પણ દર્શાવે છે.

મોદી સરકાર સામે બોલનાર સામે હંમેશા અવાજ દબાવવામાં આવે છે. જો કે નેહિ સિંહના કેસમાં જીત થઈ છે. તેણે કહ્યું આ સત્યની જીત છે. સ્વતંત્રતાની આઝાદી પર તરાપ મારતાં શખ્સો સામે આ ચૂકાદો તેમના ગાલ પર તમાચો મારે છે.

આ પણ વાંચોઃ

પાકિસ્તાનનો LOC પર સતત ગોળીબાર, ભારતના 15 નાગરિકોના મોત, 43ને ઈજાઓ

Operation Sindoor: અમે ફક્ત આતંકીઓના તાલીમ શિબિરોનો નાશ કર્યો: રાજનાથ સિંહ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી, પાકિસ્તાનના નામથી મળ્યો મેઇલ | Bomb Blast Threat

Mock drill: ગુજરાતના બ્લેક આઉટનો સમય બદલાયો

ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ, પહેલગામ હુમલાનો કેવી રીતે લીધો બદલો? | Operation Sindoor

Operation Sindoor: પાકિસ્તાન-POKમાં હાફિઝ સઈદ અને મસૂદ અઝહરના ઠેકાણાઓનો નાશ

પાકિસ્તાન ડરી ગયું, ભારત હુમલા રોકી દે, તો અમે કંઈ નહીં કરીએ, ‘પીક્ચર અભી બાકી હૈ’

Operation Sindoor: પૂર્વ આર્મી ચીફનો હુંકાર, ‘પિક્ચર અભી બાકી હૈ’, શું થવાનું છે?

 

Related Posts

Ayodhya News: બહરાઈચ, બારાબંકી બાદ અયોધ્યામાં પણ દાદા મિયાં ઉર્સ પર પ્રતિબંધ
  • June 16, 2025

Ayodhya News: ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ પરંપરાઓ, રિવાજો અને તેમના ધાર્મિક સ્થળો, મદરેસા અને ઈદગાહોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. રાજ્યની યોગી સરકારે અત્યાર સુધીમાં ઘણી મસ્જિદો, મદરેસા, ઈદગાહો અને…

Continue reading
Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા, એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી
  • June 16, 2025

Earthquake in Peru: ફરી એકવાર પ્રચંડ ભૂકંપના કારણે ધરતી ધ્રુજી ઉઠી છે. મોડી રાત્રે, પેસિફિક મહાસાગરના કિનારે દક્ષિણ અમેરિકન દેશ પેરુમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Rain Update: આજે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

  • June 16, 2025
  • 2 views
Gujarat Rain Update: આજે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Ayodhya News: બહરાઈચ, બારાબંકી બાદ અયોધ્યામાં પણ દાદા મિયાં ઉર્સ પર પ્રતિબંધ

  • June 16, 2025
  • 4 views
Ayodhya News: બહરાઈચ, બારાબંકી બાદ અયોધ્યામાં પણ દાદા મિયાં ઉર્સ પર પ્રતિબંધ

પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા

  • June 16, 2025
  • 5 views
પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા

Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા, એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી

  • June 16, 2025
  • 6 views
Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા,  એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 22 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 22 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?