Operation Sindoor: પાકિસ્તાન-POKમાં હાફિઝ સઈદ અને મસૂદ અઝહરના ઠેકાણાઓનો નાશ

  • India
  • May 7, 2025
  • 7 Comments

Operation Sindoor:  ઓપરેશન સિંદૂર અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું કે આ આપણા બધા માટે ગર્વનો દિવસ છે. ઓપરેશન સિંદૂર પછી બુધવારે મોદીએ સીસીએસની બેઠકમાં હાજરી આપી. આ પછી કેબિનેટ બેઠક યોજાઈ, જેમાં મોદી પણ સામેલ થયા. મંત્રીમંડળે પણ ભારતીય સેનાની કાર્યવાહીની પ્રશંસા કરી છે.

ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પહેલગામ સહિત અનેક આતંકવાદી હુમલાઓનો બદલો લીધો છે. સેનાએ ગત અડધી રાત્રે પાકિસ્તાન અને POKમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને નષ્ટ કર્યા હતા. PM મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં સેનાની આ કાર્યવાહીની પ્રશંસા કરવામાં આવી હતી. મોદીએ કહ્યું, “આ આપણા બધા માટે ગર્વનો દિવસ છે.”

હવાઈ ​​હુમલામાં આતંકવાદી મસૂદ અઝહરનો પરિવાર નાશ પામ્યો

ભારતીય સેનાની કાર્યવાહીમાં આતંકવાદી મસૂદ અઝહરને ગંભીર નુકસાન થયું છે. તેના પરિવારના 14 સભ્યો માર્યા ગયા છે અને ઘણા ઘાયલ થયા છે. મસૂદના ચાર સાથીઓ પણ માર્યા ગયાના સમાચાર છે. અઝહરનો પરિવાર પાકિસ્તાનના બહાવલપુરમાં હતો. મસૂદ અઝહરની મોટી બહેન અને મૌલાના કશફનો આખો પરિવાર બરબાદ થઈ ગયો છે. સેનાએ આ કાર્યવાહીનો વીડિયો પણ બનાવ્યો છે.

ઓપરેશન સિંદૂર અંગે પ્રેસ બ્રીફિંગ આપવામાં આવી

ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર અંગે પ્રેસ બ્રીફિંગ પણ યોજી હતી. વિદેશ સચિવ વિક્રમ મિશ્રી સાથે આર્મી ઓફિસર કર્નલ સોફિયા કુરેશી અને એરફોર્સ ઓફિસર વ્યોમિકા સિંહ પણ હતા. બ્રીફિંગમાં ભારતીય સેના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી દરમિયાન કોઈ નિર્દોષ નાગરિક કે પાકિસ્તાની સેના પર હુમલો કરવામાં આવ્યો નથી. કર્નલ સોફિયાએ એમ પણ કહ્યું કે પહેલગામની સાથે, મુંબઈ હુમલા અને અન્ય ઘણા હુમલાઓમાં સામેલ આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો છે.

કર્નલ સોફિયા કુરેશી જાણો વધુ?

કર્નલ સોફિયા કુરેશી ભારતીય સેનાના સિગ્નલ કોર્પ્સના લેફ્ટનન્ટ કર્નલ છે અને ગુજરાતના વડોદરામાં 1981માં જન્મેલી છે. તેમણે બાયોકેમિસ્ટ્રીમાં અનુસ્નાતક ડિગ્રી મેળવી છે. તેઓ 1999માં ભારતીય સેનામાં જોડાયા અને અનેક મહત્વપૂર્ણ સીમાચિહ્નો સ્થાપિત કર્યા છે, જે મહિલાઓ માટે પ્રેરણારૂપ છે.

સોફિયા કુરેશીએ 2006માં કોંગોમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ કામગીરીમાં ભાગ લીધો, જ્યાં તેમણે યુદ્ધવિરામનું નિરીક્ષણ કર્યું અને માનવતાવાદી મિશનમાં મદદ કરી. 2016માં પુણેમાં આયોજિત બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયત “એક્સરસાઇઝ ફોર્સ 18″માં ભારતીય સેનાની ટુકડીનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા અધિકારી બની, જે એક ઐતિહાસિક સિદ્ધિ હતી.

તેઓએ “ઓપરેશન સિંદૂર”માં તેમણે મહત્વની ભૂમિકા ભજવી છે.  પહેલગામ હુમલાના જવાબમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલાઓનું અભિયાન હતું. આ ઓપરેશન વિશે માહિતી આપવા માટે તેમણે વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ સાથે પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો, જે ભારતીય સેના દ્વારા આયોજિત કરવામાં આવી હતી. આ બ્રીફિંગમાં તેમણે ઓપરેશનની વિગતો અને પાકિસ્તાનના આતંકવાદી મુખ્યાલયો, જેમ કે બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના મરકઝ સુભાન અલ્લાહ,ને નિશાન બનાવવાની માહિતી શેર કરી.

સોફિયા કુરેશીએ મેજર તાજુદ્દીન કુરેશી સાથે લગ્ન કર્યા છે, જે આર્મીના મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રીમાં સેવા આપે છે. તેમની કારકિર્દી ધીરજ, નેતૃત્વ અને પ્રગતિનું પ્રતીક છે, જે ખાસ કરીને ગુજરાતની દીકરી તરીકે ગૌરવની વાત છે.

 

આ પણ વાંચોઃ

પાકિસ્તાન ડરી ગયું, ભારત હુમલા રોકી દે, તો અમે કંઈ નહીં કરીએ, ‘પીક્ચર અભી બાકી હૈ’

Operation Sindoor: પૂર્વ આર્મી ચીફનો હુંકાર, ‘પિક્ચર અભી બાકી હૈ’, શું થવાનું છે?

પાકિસ્તાનમાં હુલમા બાદ ગુજરાત સતર્ક, એરપોર્ટ બંધ, કડક બંદોબસ્ત | Gujarat

પહેલગામ હુમલાનો બદલો લેવા પાકિસ્તાનમાં ભારતનો હુમલો!, ભારતીય સેના શું કહી રહી છે? | Air strike

‘મોદીને આતંકી હુમલાની 3 દિવસ પહેલા માહિતી મળી ગઈ હતી’: Mallikarjun Kharge

Mock Drill: મોકડ્રીલ પર સંજય રાઉતે કહ્યું- ‘શું આ મોદીજીની તૈયારી છે?’

Defense Mock Drill: અમદાવાદ, સુરત સહિત 19 સ્થળોએ ડિફેન્સ મોકડ્રીલ, સુરક્ષિત સ્થળો કયા?

 

  • Related Posts

    Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા
    • September 16, 2026

    Manusmriti and BR Ambedkar: 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું તેના બે દિવસ પહેલાં સમાજ સુધારક અને કોંગ્રેસ નેતા કેશવરાવ જેધેએ ડૉ. બી.આર. આંબેડકર અને તેમના સાથીઓને બંધારણ…

    Continue reading
    Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા
    • September 16, 2026

    Noise Pollution India: દિલ્હીના કિલોકરી વિસ્તારમાં જાણીતા મણિપુરી સંગીતકાર, શિક્ષક અને રૉક બૅન્ડ ફીનિક્સના ગિટારિસ્ટ ચોંગથામ વિક્રમ સિંહની હત્યાએ ભારતમાં વધતા ધ્વનિ પ્રદૂષણ અને જાહેર સ્થળે અવાજના ઉપયોગ અંગે ગંભીર…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

    • September 16, 2026
    • 3 views
    Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

    Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

    • September 16, 2026
    • 4 views
    Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

    UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

    • September 16, 2026
    • 5 views
    UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

    Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

    • September 16, 2026
    • 9 views
    Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

    ‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

    • September 16, 2026
    • 9 views
    ‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

    Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

    • September 16, 2026
    • 12 views
    Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત