પહેલગામ હુમલાનો બદલો લેવા પાકિસ્તાનમાં ભારતનો મિસાઈલ હુમલો!, ભારતીય સેના શું કહ્યું? | India attack on Pakistan

India’s attack on Pakistan: 7 મેની રાત્રે પહેલગામ હુમલાનો ભારતે પહેલગામ હુમલાનો બદલો લીધો છે. પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં મોડી રાત્રે ભારતીય સેના  દ્વારા કરવામાં આવેલી  જવાબી કાર્યવાહીમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો છે. આ જવબી કાર્યવાહીને ભારતે ઓપરેશન સિન્દૂર નામ આપ્યું છે.  ભારતીય સેનાએ પોતે આ ઘટનાની માહિતી આપી છે. સત્તાવાર જાહેરાત પછી, ગૃહ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય દ્વારા પણ તેની પુષ્ટિ કરવામાં આવી હતી. મિસાઈલ હુમલા બાદ ભારતીય સેનાએ પ્રેસ કોન્ફરન્સ શરુ કરી છે.

 

‘નાગરિકોને નુકસાન ન થાય તેની કાળજી લેવામાં આવી’

‘ઓપરેશન સિંદૂર’ વિશે માહિતી આપતાં સેનાએ જણાવ્યું હતું કે, ‘ઓપરેશન સિંદૂર ચલાવતી વખતે, નાગરિકોને કોઈ નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.’

હુમલા બાદ રાજકીય પ્રતિક્રયાઓ

હવે આ મુદ્દા પર રાજકીય પ્રતિક્રિયાઓ સતત સામે આવી રહી છે. દેશના તમામ મોટા નેતાઓ ભારતીની આ બદલાની કાર્યવાહીની પ્રશંસા કરી રહ્યા છે. આ ક્ષણે આખો દેશ એક થઈ ગયો હોય તેવું લાગે છે. વિપક્ષ પણ સરકારના નિર્ણય પર કોઈ પ્રશ્ન ઉઠાવ્યા વિના તેના નિર્ણયને સમર્થન આપી રહ્યું હોય તેવું લાગે છે.  સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે પણ પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે.

અખિલેશ યાદવે  શું કહ્યું?

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કન્નૌજના સાંસદ અખિલેશ યાદવે ઓપરેશન સિંદૂર પર પોતાની પ્રતિક્રિયા એક x પોસ્ટ દ્વારા શેર કરી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પ્રતિક્રિયા આપતા અખિલેશે લખ્યું, ‘પરાક્રમો વિજયતે.’ આ પહેલા પણ અખિલેશ યાદવે તેમના અનુયાયીઓ અને દેશવાસીઓને આ મુદ્દા પર સરકાર સાથે ઉભા રહેવા અને તેના નિર્ણયને સમર્થન આપવાની અપીલ કરી હતી. તેમની આ અપીલ ગઈકાલે ચર્ચામાં હતી. ખેર, અખિલેશ યાદવ હંમેશા આવા પ્રસંગોએ દેશની સાથે ઉભા રહ્યા છે અને આ વખતે પણ તેમણે એવું જ કર્યું છે.

રાહુલ ગાંધીએ કહ્યું મને સેના પર ગર્વ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ સામે કરવામાં આવેલી લશ્કરી કાર્યવાહીની પ્રશંસા કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે તેમને ભારતના સશસ્ત્ર દળો પર ખૂબ ગર્વ છે. પહેલગામ આતંકવાદી હુમલાના બે અઠવાડિયા પછી, ભારતીય સશસ્ત્ર દળોએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં નવ આતંકવાદી છાવણીઓ પર મિસાઇલ હુમલા કર્યા, જેમાં આતંકવાદી જૂથો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના ગઢનો સમાવેશ થાય છે. કોંગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમને અમારા ભારતીય સશસ્ત્ર દળો પર ખૂબ ગર્વ છે જેમણે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો.

હુમલો ક્યારે થયો?

તમને જણાવી દઈએ કે બુધવારે રાત્રે 1.44 વાગ્યે  સંરક્ષણ મંત્રાલયે માહિતી આપી હતી કે ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર મિસાઈલ હુમલો કર્યો છે, જેમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને નાશ કરવામાં આવ્યા છે. આ હુમલામાં માર્યા ગયેલા આતંકવાદીઓની ચોક્કસ સંખ્યા જાહેર કરવામાં આવી નથી.

આ પણ વાંચોઃ

Surat ની હોસ્પિટલમાં આગ, દર્દીઓની હાલત કફોડી, સ્ટ્રેચર પર બહાર કાઢ્યા

‘મોદીને આતંકી હુમલાની 3 દિવસ પહેલા માહિતી મળી ગઈ હતી’: Mallikarjun Kharge

ધોરાજી પાસે ઇનોવા કાર પલટી વૃક્ષ સાથે અથડાઈ, 4ના મોત, 2ને ગંભીર ઈજાઓ | accident

Mock Drill: મોકડ્રીલ પર સંજય રાઉતે કહ્યું- ‘શું આ મોદીજીની તૈયારી છે?’

વક્ફની જમીન પચાવી પાડનાર સલીમ જુમ્માખાન પઠાણને ત્યા EDના દરોડા

Defense Mock Drill: અમદાવાદ, સુરત સહિત 19 સ્થળોએ ડિફેન્સ મોકડ્રીલ, સુરક્ષિત સ્થળો કયા?

Gondal: અમિત ખૂંટના આપઘાતને લઈ અનેક તર્કવિતર્ક, શું થઈ રહ્યા છે મોટા આક્ષેપ?

 

  • Related Posts

    Delhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટની મોટી ટિપ્પણી, જંતર-મંતર બંધ કરી દેવું જોઈએ
    • August 8, 2026

    Delhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટમાં જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શનની મંજૂરી સંબંધિત અરજીની સુનાવણી દરમિયાન એક મહત્વપૂર્ણ ચર્ચા સામે આવી. જસ્ટિસ અમિત મહાજને કેન્દ્ર સરકારને સવાલ કર્યો કે જો વારંવાર…

    Continue reading
    Rampur SP Controversy: રામપુરના SPના ગૌહત્યા અંગેના નિવેદનથી વિવાદ, હરામી શબ્દના ઉપયોગ બાદ આપી સ્પષ્ટતા
    • August 8, 2026

    Rampur SP Controversy: ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) અનિલ કુમાર સિંહ સિસોદિયા ગૌહત્યા સંબંધિત એક નિવેદનમાં કથિત રીતે અપશબ્દનો ઉપયોગ કર્યા બાદ વિવાદોમાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Delhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટની મોટી ટિપ્પણી, જંતર-મંતર બંધ કરી દેવું જોઈએ

    • August 8, 2026
    • 2 views
    Delhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટની મોટી ટિપ્પણી, જંતર-મંતર બંધ કરી દેવું જોઈએ

    Rampur SP Controversy: રામપુરના SPના ગૌહત્યા અંગેના નિવેદનથી વિવાદ, હરામી શબ્દના ઉપયોગ બાદ આપી સ્પષ્ટતા

    • August 8, 2026
    • 3 views
    Rampur SP Controversy: રામપુરના SPના ગૌહત્યા અંગેના નિવેદનથી વિવાદ, હરામી શબ્દના ઉપયોગ બાદ આપી સ્પષ્ટતા

    RDI Fund Conflict of Interest: RDI ફંડમાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ? રોકાણ સમિતિ અને 15 કંપનીઓ પર ઉઠ્યા પ્રશ્નો

    • August 8, 2026
    • 6 views
    RDI Fund Conflict of Interest: RDI ફંડમાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ? રોકાણ સમિતિ અને 15 કંપનીઓ પર ઉઠ્યા પ્રશ્નો

    E20 Fuel News: E20 પેટ્રોલ અંગે નવા દાવા, SIAMના અહેવાલથી વધ્યો વિવાદ

    • August 8, 2026
    • 3 views
    E20 Fuel News: E20 પેટ્રોલ અંગે નવા દાવા, SIAMના અહેવાલથી વધ્યો વિવાદ

    India Economy Crisis: સરકારના વિકાસના દાવા સામે સત્તાવાર ડેટા શું કહે છે? સંપૂર્ણ વિશ્લેષણ

    • August 8, 2026
    • 6 views
    India Economy Crisis: સરકારના વિકાસના દાવા સામે સત્તાવાર ડેટા શું કહે છે? સંપૂર્ણ વિશ્લેષણ

    UPI MDR Charges: શું UPI હવે ફ્રી નહીં રહે? સરકારના નવા નિર્ણયથી કરોડો યુઝર્સમાં ચિંતા

    • August 8, 2026
    • 7 views
    UPI MDR Charges: શું UPI હવે ફ્રી નહીં રહે? સરકારના નવા નિર્ણયથી કરોડો યુઝર્સમાં ચિંતા