‘મોદીને આતંકી હુમલાની 3 દિવસ પહેલા માહિતી મળી ગઈ હતી’: Mallikarjun Kharge

  • India
  • May 6, 2025
  • 7 Comments

Mallikarjun Kharge’s claim: ઝારખંડની રાજધાની રાંચીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું છે. તેમણે આજે 6 મેના રોજ દાવો કર્યો હતો કે વડા મોદીને જમ્મુ અને કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલા અંગે ગુપ્તચર અહેવાલો મળ્યા હતા. એટલે જ તેમણે જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ ટાળ્યો હતો. તેમણે કહ્યું કે પહેલગામ હુમલાના ત્રણ દિવસ પહેલા વડા પ્રધાનને ગુપ્તચર અહેવાલ મોકલવામાં આવ્યો હતો. તેથી તેમણે કાશ્મીર જવાનો પોતાનો કાર્યક્રમ રદ કર્યો. મેં આ એક અખબારમાં પણ વાંચ્યું હતું. જો ખડગેનો દાવો સાચો હોય તો સવાલએ થાય કે મોદીએ 26 લોકોને કેમ મરવા દીધા. તેમણે આગળથી જ ખબર હતી તો તેમણે હુમલો કેમ થવા દીધો? વિપક્ષોના આ સવાલોથી મોદી બરાબર ઘેરાયા છે.

‘સર્વપક્ષીય બેઠકમાં PM મોદીએ સ્વીકાર્યું કે ગુપ્તચર માહિતીમાં ખામીઓ હતી’

22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26થી વધુ લોકો માર્યા ગયા હતા, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા. ઝારખંડની રાજધાની રાંચીમાં ‘બંધારણ બચાવો’ રેલીને સંબોધતા કોંગ્રેસ વડાએ દાવો કર્યો હતો કે સર્વપક્ષીય બેઠક દરમિયાન મોદીએ સ્વીકાર્યું હતું કે ગુપ્તચર ખામીઓ હતી.

‘પહેલગામમાં વધુ સુરક્ષા દળો કેમ તૈનાત ન કરવામાં આવ્યા?’

ખડગેએ સરકારને તીખા પ્રશ્નો પૂછ્યા હતા. આતંકવાદી હુમલાના ગુપ્તચર અહેવાલો હોવા છતાં કેન્દ્રએ પહેલગામમાં વધુ સુરક્ષા દળો કેમ તૈનાત ન કર્યા? શું કેન્દ્ર સરકારે પહેલગામ હુમલામાં થયેલા જાનમાલના નુકસાન માટે જવાબદાર ન ગણવું જોઈએ જ્યારે તેણે પોતે જ ગુપ્તચર ભૂલો સ્વીકારી છે? ખડગેએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે સંભવિત આતંકવાદી હુમલાના ગુપ્તચર અહેવાલોને પગલે પીએમ મોદીએ તેમની કાશ્મીર મુલાકાત રદ કરી હતી.

‘ભાજપ ફક્ત ‘જુમલા’માં માને છે’

ખડગેએ વધુમાં કહ્યું અમે ભારત માટે, ગરીબ લોકો માટે, આદિવાસીઓ માટે લડીએ છીએ. ભાજપ ફક્ત ‘જુમલા’માં માને છે. કોંગ્રેસ નેતા ખડગેએ આરોપ લગાવ્યો કે PM મોદીની નીતિ જાહેર ક્ષેત્રની સંસ્થાઓને બંધ કરવાની અને SC, ST, OBC સમુદાયો પાસેથી નોકરીઓ છીનવી લેવાની છે.

ભાજપે વળતો પ્રહાર કર્યો

આ મામલે ભાજપે વળતો પ્રહાર કર્યો. ઝારખંડ ભાજપના વડા બાબુલાલ મરાંડીએ કહ્યું કે ખડગેની ટિપ્પણી એવા નિર્ણાયક સમયે આવી છે જ્યારે આતંકવાદ અને પાકિસ્તાન સામેની લડાઈ નિર્ણાયક તબક્કે છે.

આ પણ વાંચોઃ

લાંચ આપી કોન્ટ્રેક્ટ લેવાના કેસમાં અદાણીની મુશ્કેલી વધશે કે કેસ રફેદફે? | America | Adani |

Mock Drill: મોકડ્રીલ પર સંજય રાઉતે કહ્યું- ‘શું આ મોદીજીની તૈયારી છે?’

વક્ફની જમીન પચાવી પાડનાર સલીમ જુમ્માખાન પઠાણને ત્યા EDના દરોડા

Defense Mock Drill: અમદાવાદ, સુરત સહિત 19 સ્થળોએ ડિફેન્સ મોકડ્રીલ, સુરક્ષિત સ્થળો કયા?

Gondal: અમિત ખૂંટના આપઘાતને લઈ અનેક તર્કવિતર્ક, શું થઈ રહ્યા છે મોટા આક્ષેપ?

Gujarat: વાવાઝોડા સાથે પડેલા વરસાદથી 8 લોકોના મોત, મહિસાગરમાં ફરી વરસાદ

 

Related Posts

Barmer Demolition Dispute: બાડમેર બુલડોઝર કાંડ, સરહદ પર એકતા તોડવાનું સરકારનું ષડયંત્ર?
  • June 22, 2026

Barmer Demolition Dispute: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના આદેશના થોડા જ દિવસોમાં રાજસ્થાનના બાડમેર જિલ્લામાં જે ઘટના બની છે, તેણે સમગ્ર સરહદી પટ્ટામાં ભય અને આક્રોશનું વાતાવરણ પેદા કરી દીધું…

Continue reading
India Pedestrian Deaths Report: ભારતમાં પગપાળા ચાલનારાઓ માટે રસ્તા બન્યા જીવલેણ, પાંચ વર્ષમાં 1.8 લાખથી વધુ લોકોએ ગુમાવ્યો જીવ
  • June 22, 2026

India Pedestrian Deaths Report: ભારતમાં રસ્તાઓ પર મોતનો આંકડો માત્ર આંકડાકીય માહિતી નથી, પરંતુ એક ભયાનક વાસ્તવિકતા છે. વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૪ દરમિયાન ભારતના રસ્તાઓ પર દર વર્ષે સરેરાશ ૩૦,૫૦૦…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Barmer Demolition Dispute: બાડમેર બુલડોઝર કાંડ, સરહદ પર એકતા તોડવાનું સરકારનું ષડયંત્ર?

  • June 22, 2026
  • 3 views
Barmer Demolition Dispute: બાડમેર બુલડોઝર કાંડ, સરહદ પર એકતા તોડવાનું સરકારનું ષડયંત્ર?

India Pedestrian Deaths Report: ભારતમાં પગપાળા ચાલનારાઓ માટે રસ્તા બન્યા જીવલેણ, પાંચ વર્ષમાં 1.8 લાખથી વધુ લોકોએ ગુમાવ્યો જીવ

  • June 22, 2026
  • 7 views
India Pedestrian Deaths Report: ભારતમાં પગપાળા ચાલનારાઓ માટે રસ્તા બન્યા જીવલેણ, પાંચ વર્ષમાં 1.8 લાખથી વધુ લોકોએ ગુમાવ્યો જીવ

Ladakh Bandh Protest: લદ્દાખમાં ૨૩ જૂને સંપૂર્ણ બંધનું એલાન, કેન્દ્ર સરકાર પર ૨૨ મેના નિર્ણયોથી ‘પાછા હટવાનો’ નાગરિક સંગઠનોનો આક્ષેપ

  • June 22, 2026
  • 9 views
Ladakh Bandh Protest: લદ્દાખમાં ૨૩ જૂને સંપૂર્ણ બંધનું એલાન, કેન્દ્ર સરકાર પર ૨૨ મેના નિર્ણયોથી ‘પાછા હટવાનો’ નાગરિક સંગઠનોનો આક્ષેપ

Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?

  • June 22, 2026
  • 7 views
Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?

Nanded Blast Investigation: ૨૦૦૬ નાંદેડ બ્લાસ્ટથી લઈને ૨૦૦૭ સમજૌતા એક્સપ્રેસ ધમાકા સુધી, તપાસ એજન્સીઓના ચોંકાવનારા ખુલાસા

  • June 22, 2026
  • 10 views
Nanded Blast Investigation: ૨૦૦૬ નાંદેડ બ્લાસ્ટથી લઈને ૨૦૦૭ સમજૌતા એક્સપ્રેસ ધમાકા સુધી, તપાસ એજન્સીઓના ચોંકાવનારા ખુલાસા

AI Sovereignty India: એઆઈના યુગમાં ટ્રિલિયોનર ઈલોન મસ્કની વધતી તાકાત સામે ભારતનું એઆઈ સાર્વભૌમત્વ કેટલું દૂર?

  • June 22, 2026
  • 8 views
AI Sovereignty India: એઆઈના યુગમાં ટ્રિલિયોનર ઈલોન મસ્કની વધતી તાકાત સામે ભારતનું એઆઈ સાર્વભૌમત્વ કેટલું દૂર?