
UP NEWS: એવું કહેવાય છે કે પ્રેમ મેળવવા માટે લોકો બધી હદો પાર કરી દે છે પરંતુ પ્રેમ મેળવવા માટે પોતાના પતિની હત્યા કરવી કેટલી હદ સુધી વ્યાજબી છે? તાજેતરમાં ઇન્દોરના રાજા રઘુવંશીને તેની પત્નીએ પ્રેમી સાથે મળીને મોતને ગાઢ ઉતારી દીધો હતો હજુ આ ઘટના તાજી છે તેવામાં યુપીના સિદ્ધાર્થનગર જિલ્લામાંથી ઇન્દોરના રાજા રઘુવંશી હત્યાકાંડ જેવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક મહિલાએ 18 વર્ષના લગ્નજીવન પછી તેના પ્રેમીની મદદથી તેના પતિની હત્યા કરી દીધી. એટલું જ નહીં, પોતાનો ગુનો છુપાવવા માટે તેણે તેના પતિનો મૃતદેહ બલરામપુર જિલ્લામાં રાપ્તી નદીમાં ફેંકી દીધો અને પછી તેના પતિના ગુમ થવાની ફરિયાદ નોંધાવી.
શું છે આખો મામલો?
આ સમગ્ર મામલો જિલ્લાના ઢેબરુવા પોલીસ સ્ટેશન વિસ્તારના નજરગઢવા ગામનો છે. અહીં રહેતા કન્નને 18 વર્ષ પહેલા દિલ્હીની રહેવાસી સંગીતા સાથે લગ્ન કર્યા હતા. બંનેએ ગામમાં અલગ અલગ ઘર બનાવ્યા હતા અને ત્યાં રહેતા હતા. દરમિયાન, લગભગ 2 વર્ષ પહેલા, દિલ્હી જતી વખતે, કન્નની પત્ની સંગીતાની મિત્રતા બલરામપુરના રહેવાસી અનિલ શુક્લા સાથે થઈ. બંનેએ મોબાઈલ નંબરની આપ-લે કરી અને વાતો કરવા લાગ્યા. ધીમે ધીમે તેમનો પ્રેમ ખીલ્યો અને અનિલ સમયાંતરે ગામમાં આવવા લાગ્યો. સંગીતાએ લોકોને કહ્યું કે તેનો પ્રેમી અનિલ તેની કાકીનો દીકરો છે, તેથી કોઈને કોઈ શંકા નહોતી.
બલરામપુરમાં હાડપિંજર મળી આવ્યું
દરમિયાન, 2 જૂન 2025 ના રોજ, કન્નન અચાનક ગુમ થઈ ગયો. 5 જૂનના રોજ, તેની પત્ની સંગીતા ઢેબરુવા પોલીસ સ્ટેશન ગઈ અને તેના પતિના ગુમ થયાની ફરિયાદ નોંધાવી, ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી. દરમિયાન, 9 જૂનના રોજ, કન્નના ભાઈ બાબુલાલે આસપાસ તપાસ કરી અને જાણવા મળ્યું કે 2 જૂનના રોજ, પતિ અને પત્ની એકસાથે ગામ છોડીને ગયા હતા. આ માહિતી મળતાં, બાબુલાલે પોલીસ સ્ટેશન જઈને કહ્યું કે તેના ભાઈના ગુમ થવામાં તેની પત્નીની ભૂમિકા શંકાસ્પદ છે. આ પછી, જ્યારે પોલીસે સંગીતાને પકડીને કડક પૂછપરછ કરી, ત્યારે સંગીતાએ જણાવ્યું કે તેણે તેના પ્રેમી અનિલ શુક્લા સાથે મળીને રસ્તામાં તેના પતિને ઝેર આપીને રાપ્તી નદીમાં ફેંકી દીધો હતો. પત્નીના ઈશારા પર, પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને કન્નનનું હાડપિંજર કબજે કર્યું, જેની પરિવારના સભ્યોએ પુષ્ટિ કરી છે.
પોલીસે શું કહ્યું?
આ સમગ્ર કેસ અંગે શોહરતગઢના સીઓ સુજીત રાયે જણાવ્યું હતું કે, 5 જૂને નજરગઢવા ગામની સંગીતાએ તેના પતિના ગુમ થવાનો રિપોર્ટ નોંધાવ્યો હતો, જેની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે પત્નીને કોઈ સાથે અફેર હતું. આ માહિતી પર, જ્યારે સંગીતાની કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે જણાવ્યું કે બલરામપુરના સેમરાહના ગામ પાસે, તેણે તેના પતિને ઝેરી પદાર્થ આપીને પુલ પરથી નદીમાં ફેંકી દીધો હતો. 10 જૂને, તેના પતિનું હાોડપિંજર તેના દ્વારા જણાવેલ જગ્યાએથી મળી આવ્યું હતું. પરિવારના સભ્યોએ તેની ઓળખ કરી લીધી છે. બંને આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:
Raja Raghuvanshi Case: પોલીસ સોનમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગશે, રાત્રે જ મેડિકલ તપાસ કરાઈ
Gujarat Weather News: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે છુટાછવાયા વરસાદની આગાહી
Delhi: 9 વર્ષની બાળકી પર રેપ કરી હત્યા કરનાર પાડોશી પકડાયો, પોલીસને બ્લેડ મારી
Jaipur Accident: રાજસ્થાનના જયપુરમાં ભયાનક અકસ્માત, 5 લોકોના કમકમાટીભર્યા મોત
કથાકાર મોરારીબાપુના પત્નીનું અવસાન, સમાધિ અપાઈ | Morari Bapu wife passes away
Ahmedabad માં ભગવાન જગન્નાથજીની ભવ્ય જળયાત્રા, મોટી સંખ્યામાં સંતો, મહંતો અને ભક્તોએ લીધો ભાગ
11 વર્ષથી ગુજરાત શિક્ષણ વિભગાની વેબસાઈટ અપડેટ થઈ નથી!, નેતાઓની માહિતી અપડેટ | Gujarat Education