Kanwar Yatra: ‘તુમ કાવડ લેને મત જાના, તુમ જ્ઞાન કી દીપ જલાના’, ગાતા જ શિક્ષક પર FIR, શિક્ષકે કહ્યું સરકાર પાખંડી છે

  • India
  • July 16, 2025
  • 0 Comments

FIR singing poetry on Kanwar Yatra: ઉત્તર પ્રદેશના બરેલીમાં એક ઇન્ટરમીડિયેટ કોલેજના શિક્ષક વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. એક શિક્ષકની કવિતા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેમાં તે કાવડ યાત્રા પર કવિતા સંભળાવતા જોવા મળે છે. જોકે કાવડ પરની તેમની કવિતા કેટલાંક હિંદુ લોકોને પસંદ ન આવી અને તેમણે આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી. આરોપ લાગ્યો છે કે શિક્ષકે હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. તેમની કવિતા વાતાવરણ બગાડી શકે છે. ત્યારબાદ પોલીસે શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરી.

આરોપી શિક્ષકનું નામ રજનીશ ગંગવાર છે. તેમણે કોલેજના એસેમ્બલી હોલમાં વિદ્યાર્થીઓની સામે ઉભા રહીને એક કવિતા વાંચ હતી- “તુમ કાવડ લેને મત જાના, તુમ જ્ઞાન કી દીપ જલાના, માનવતા કી સેવા કર કે સચ્ચે માનવ બનના. તેમની આ કવિતા ખૂબ વાયરલ થયા બાદ હિંદુઓ ભડક્યા છે અને ફરિયાદ દાખલ કરાવી છે.

વીડિયો ક્યાનો છે?

આ વીડિયો જિલ્લાના થાણા બહેડી વિસ્તારમાં આવેલી એમજીએમ ઇન્ટર કોલેજનો હોવાનું કહેવાય છે. શિક્ષક રજનીશ ગંગવારનો આ વીડિયો વાયરલ થતાં જ હિન્દુ સંગઠનોના લોકો ગુસ્સે ભરાયા હતા. હિંદુ સંગઠનોનું કહેવું છે કે એક તરફ શ્રાવણ મહિનામાં કાવડ યાત્રાળુઓનું વિવિધ સ્થળોએ ફૂલોની વર્ષા થાય છે, મુખ્યમંત્રી પોતે કાવડ યાત્રાળુઓ માટે વ્યવસ્થા કરી રહ્યા છે, તો બીજી તરફ એક શિક્ષક શાળામાં કાવડ વિશે ઉશ્કેરણીજનક અને વિવાદાસ્પદ કવિતાઓ ગાઈને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ બિલકુલ સહન ન કરવા જેવું નથી.

પોલીસે શું કહ્યું?

આ કેસમાં બહેડીના સીઓ અરુણ કુમાર સિંહે જણાવ્યું હતું કે 14 જુલાઈના રોજ બહેડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એમજીએમ ઇન્ટર કોલેજના એક શિક્ષકના વાયરલ થયેલા વીડિયો અંગે ફરિયાદ મળી હતી. તેના આધારે, સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળે શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહી છે.

કવિતા ગાનાર શિક્ષક શું બોલ્યા?

શિક્ષક રજનીશ ગંગવારનું કહેવું છે મેં માત્ર નાના બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો છે. કારણ કે હાલ કાવડ યાત્રામાં મારામારી થઈ રહી છે. જેમાં બાળકોને ઈજા થઈ શકે છે. હું તેમના ઘરેથી રોકવા જવાનો નથી. માત્ર મારુ એક શિક્ષક તરીકે સમજાવવાનું કામ છે. જેને ફરિયાદ કરી છે. તે નેતાઓ સામે કેમ અવાજ ઉઠાવવતા નથી.

પાખંડી સરકાર શાળાઓ બંધ કરી છે

વધુમાં કહ્યું જે લોકોએ ફરિયાદ કરાવી છે તે વ્યક્તિગત દ્રેષ રાખી કરાવી છે. જો તેમની ભાવના ભડકી હોય તો રાજભર મંત્રી સામે કેમ ન બોલ્યા?, સરકાર પાખંડ ફેલાવી રહી છે. શાળાઓ બંધ કરી રહી છે. તેનો વિરોધ કરવો જોઈએ.

આ પણ વાંચો

Kanwar Yatra: કાવડ તૂટી જતાં બાઇકચાલકને ભારે માર મરાયો, કાવડિયાઓએ બાઈક પણ તોડી નાખ્યું

Jimisa Alwani: ભારતીય મૂળની મહિલાએ અમેરિકામાં નાક કપાવ્યું, સામાન ચોરીને સ્ટોરમાંથી નીકળતાં જ પોલીસે પકડી

Patan: નવા માણકા ગામે વીજ મીટર વિના 20 વર્ષથી બિલ ચૂકવતો રહ્યો પરિવાર, UGVCLની ભૂલ!, શું રુપિયા પાછા મળશે?

Ajit Anjum FIR: અજિત અંજુમને સરકાર વિરુધ્ધ એવું તે શું કામ કર્યું કે FIR થઈ?, કયુ કામ તંત્રને ભારે પડ્યું!

journalist Sneha Barve attack: ગેરકાયદે બાંધકામનું રિપોર્ટિંગ કરતી મહિલા પત્રકાર પર હુમલો, બેભાન ન થઈ ત્યાં સુધી છોડી નહીં, જુઓ વીડિયો

Vadodara: માંજલપુરમાં ડિવાઇડરની અધૂરી કામગીરી, ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે નાગરિકોનું આંદોલનનું એલાન?

Telangana: ખંડેર ઘરમાં બોલ શોધવા ગયેલા યુવાનના હાડપિંજર જોઈ ઉડી ગયા હોશ, પાસે પડેલા નોકિયા ફોનમાં પડ્યા હતા 84 મિસ્ડ કોલ્સ

Kanti Amritiya: ખેડૂતો ગાંધીનગર જાય તો પોલીસ દંડા મારે પણ ભાજપ MLA કાંતિ અમૃતિયા સામે પોલીસ નતમસ્તકે પડી જાય

સુખીએ દુઃખી કર્યાં: કુંવર બાવળીયાએ નહેરનું રૂ. 225 કરોડનું કામ શરૂ કરાવ્યું તે તૂટ્યુ, નહેર ધોવાઇ ગઈ | Chhota Udepur

 

Related Posts

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?
  • June 18, 2026

Freedom of Religion: કવિ તુલસીદાસે વિનય પત્રિકામાં લખ્યું હતું કે જે રામ અને સીતાના પ્રિય નથી, તેમને ત્યજી દેવા જોઈએ. પરંતુ આજના આધુનિક ‘હિંદુત્વ’એ આ પંક્તિનો અર્થ સંપૂર્ણપણે બદલી નાખ્યો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 3 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 4 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 7 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

  • June 18, 2026
  • 8 views
Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

  • June 18, 2026
  • 8 views
Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

  • June 18, 2026
  • 10 views
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!