UP: જે મસ્જિદમાં હિંસા થઈ ત્યાં હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા, નમાઝીઓએ ત્રિરંગા લહેરાવ્યા

  • India
  • January 25, 2025
  • 1 Comments

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં શાહી જામા મસ્જિદમાં શુક્રવારની નમાજ પછી, મુસ્લિમ લોકોએ એકતા અને અખંડિતતાનો સંદેશ આપવા માટે ત્રિરંગા વહેચ્યા અને પ્રજાસત્તાક દિવસની ઉજવણી સુમેળમાં કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. અધિક પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, “શાહી જામા મસ્જિદમાં શુક્રવારની નમાજ પછી, નમાઝીઓએ એકબીજાને ત્રિરંગા વહેંચ્યા અને એકબીજાને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી અને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરી. તેઓએ શાંતિ અને સુમેળમાં રહેવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. સાથે જ હિન્દુસ્તાન જીંદાબાદના નારા લગાવ્યા.

નમાઝ દરમિયાન હાજર રહેલા સૈયદ અખ્તરે જણાવ્યું હતું કે પ્રજાસત્તાક દિવસ નજીક આવતાની સાથે, નમાઝીઓ મસ્જિદના દરવાજા પર ત્રિરંગા વહેંચ્યા. જેથી દરેકને ઈદ, હોળી અને દિવાળી જેવા પ્રસંગો ઉત્સાહથી ઉજવવા માટે પ્રોત્સાહિત કરી શકાય. અખ્તરે કહ્યું, “અમે લોકોએ ઘરો, દુકાનો અને ઓફિસો પર ત્રિરંગો ફરકાવવા વિનંતી કરીએ છીએ કારણ કે તે આપણા રાષ્ટ્રના ગૌરવ અને સન્માનનું પ્રતિનિધિત્વ કરે છે.

નમાઝમાં હાજરી આપનારા મોહમ્મદ નાઝીમ સૈફીએ કહ્યું, “અમે 1950માં આપણા બંધારણને અપનાવવાની યાદમાં રાષ્ટ્રીય ધ્વજનું વિતરણ કર્યું, જે આપણા ઇતિહાસમાં એક ઐતિહાસિક ક્ષણ હતી. અમે લોકોએ ઘરો, દુકાનો અને ઓફિસો પર ત્રિરંગો ફરકાવવા વિનંતી કરીએ છીએ. અન્ય એક શ્રદ્ધાળુ, હાજી એહતેશામ અહેમદે કહ્યું, “26 જાન્યુઆરી એ દિવસ છે જ્યારે આપણને આપણું બંધારણ મળ્યું. દરેક નાગરિકે તેનું રક્ષણ કરવું જોઈએ. હિન્દુઓ અને મુસ્લિમોએ સાથે મળીને આ દિવસને આનંદથી ઉજવવો જોઈએ.

ગત વર્ષે 4 લોકોએ હિંસમાં જીવ ગુમાવ્યા હતા

અહેમદે કહ્યું, “આજે મસ્જિદમાં નમાજ કરનારાઓએ આપણા દેશની શાંતિ, સંવાદિતા, એકતા અને અખંડિતતા જાળવવાની પ્રતિજ્ઞા લીધી.” ગત વર્ષ 24 નવેમ્બર 2024ના રોજ, સંભલના કોટ ગરવી વિસ્તારમાં શાહી જામા મસ્જિદમાં કોર્ટના આદેશ મુજબ સર્વે દરમિયાન, સ્થાનિકો અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ચાર લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. હિંસા બાદથી મસ્જિદ અને સંભલ હેડલાઇન્સમાં છે.

 

આ પણ વાંચોઃ BZ સ્કેમના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની સંપતિ જપ્ત કરાશે

આ પણ વાંચોઃ AAP પાર્ટી જૂનાગઢની તમામ સીટો પર ચૂંટણી લડવા તૈયાર, શું કોંગ્રેસ સાથે ગઠબંધન કરી ભાજપને હરાવશે?

Related Posts

Donald Trump on Tariff: ટ્રમ્પની દાદાગીરી ! ભારત પર 50 % ટેરિફ લાદ્યા પછી સેકંડરી સેન્ક્શન લગાવવાની આપી ધમકી
  • August 7, 2025

Donald Trump on Tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખવા બદલ ભારત પર વધારાના 25 ટકા ટેરિફ લાદવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. આ સાથે,…

Continue reading
UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં
  • August 6, 2025

UP: ઉત્તર પ્રદેશના આગ્રામાં 30 વર્ષીય એન્જિનિયર રોહિત કુમારે એક હોટલમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. તેનો મૃતદેહ હોટલના રૂમમાંથી મળી આવ્યો હતો. પોલીસને ઘટનાસ્થળેથી એક પેન ડ્રાઇવ અને એક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Karachi Airport: કોન્ડોમમાંથી બનાવેલી પ્લેટમાં ખાવાનું પીરસ્યું, ગ્રાહક બરાબરનો ભડક્યો, વીડિયો વાયરલ

  • August 7, 2025
  • 3 views
Karachi Airport: કોન્ડોમમાંથી બનાવેલી પ્લેટમાં ખાવાનું પીરસ્યું, ગ્રાહક બરાબરનો ભડક્યો, વીડિયો વાયરલ

Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો

  • August 7, 2025
  • 13 views
Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો

Ahmedabad:”પોલીસ ગુંડાઓના ખિસ્સામાં છે” એલિસબ્રિજ પોલીસ પર યુવતીના ગંભીર આક્ષેપ

  • August 7, 2025
  • 16 views
Ahmedabad:”પોલીસ ગુંડાઓના ખિસ્સામાં છે” એલિસબ્રિજ પોલીસ પર યુવતીના ગંભીર આક્ષેપ

Donald Trump on Tariff: ટ્રમ્પની દાદાગીરી ! ભારત પર 50 % ટેરિફ લાદ્યા પછી સેકંડરી સેન્ક્શન લગાવવાની આપી ધમકી

  • August 7, 2025
  • 10 views
Donald Trump on Tariff: ટ્રમ્પની દાદાગીરી ! ભારત પર 50 % ટેરિફ લાદ્યા પછી સેકંડરી સેન્ક્શન લગાવવાની આપી ધમકી

UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં

  • August 6, 2025
  • 17 views
UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં

Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

  • August 6, 2025
  • 9 views
Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો