
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં શાહી જામા મસ્જિદમાં શુક્રવારની નમાજ પછી, મુસ્લિમ લોકોએ એકતા અને અખંડિતતાનો સંદેશ આપવા માટે ત્રિરંગા વહેચ્યા અને પ્રજાસત્તાક દિવસની ઉજવણી સુમેળમાં કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. અધિક પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, “શાહી જામા મસ્જિદમાં શુક્રવારની નમાજ પછી, નમાઝીઓએ એકબીજાને ત્રિરંગા વહેંચ્યા અને એકબીજાને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી અને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરી. તેઓએ શાંતિ અને સુમેળમાં રહેવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. સાથે જ હિન્દુસ્તાન જીંદાબાદના નારા લગાવ્યા.
નમાઝ દરમિયાન હાજર રહેલા સૈયદ અખ્તરે જણાવ્યું હતું કે પ્રજાસત્તાક દિવસ નજીક આવતાની સાથે, નમાઝીઓ મસ્જિદના દરવાજા પર ત્રિરંગા વહેંચ્યા. જેથી દરેકને ઈદ, હોળી અને દિવાળી જેવા પ્રસંગો ઉત્સાહથી ઉજવવા માટે પ્રોત્સાહિત કરી શકાય. અખ્તરે કહ્યું, “અમે લોકોએ ઘરો, દુકાનો અને ઓફિસો પર ત્રિરંગો ફરકાવવા વિનંતી કરીએ છીએ કારણ કે તે આપણા રાષ્ટ્રના ગૌરવ અને સન્માનનું પ્રતિનિધિત્વ કરે છે.
નમાઝમાં હાજરી આપનારા મોહમ્મદ નાઝીમ સૈફીએ કહ્યું, “અમે 1950માં આપણા બંધારણને અપનાવવાની યાદમાં રાષ્ટ્રીય ધ્વજનું વિતરણ કર્યું, જે આપણા ઇતિહાસમાં એક ઐતિહાસિક ક્ષણ હતી. અમે લોકોએ ઘરો, દુકાનો અને ઓફિસો પર ત્રિરંગો ફરકાવવા વિનંતી કરીએ છીએ. અન્ય એક શ્રદ્ધાળુ, હાજી એહતેશામ અહેમદે કહ્યું, “26 જાન્યુઆરી એ દિવસ છે જ્યારે આપણને આપણું બંધારણ મળ્યું. દરેક નાગરિકે તેનું રક્ષણ કરવું જોઈએ. હિન્દુઓ અને મુસ્લિમોએ સાથે મળીને આ દિવસને આનંદથી ઉજવવો જોઈએ.
ગત વર્ષે 4 લોકોએ હિંસમાં જીવ ગુમાવ્યા હતા
અહેમદે કહ્યું, “આજે મસ્જિદમાં નમાજ કરનારાઓએ આપણા દેશની શાંતિ, સંવાદિતા, એકતા અને અખંડિતતા જાળવવાની પ્રતિજ્ઞા લીધી.” ગત વર્ષ 24 નવેમ્બર 2024ના રોજ, સંભલના કોટ ગરવી વિસ્તારમાં શાહી જામા મસ્જિદમાં કોર્ટના આદેશ મુજબ સર્વે દરમિયાન, સ્થાનિકો અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ચાર લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. હિંસા બાદથી મસ્જિદ અને સંભલ હેડલાઇન્સમાં છે.
આ પણ વાંચોઃ BZ સ્કેમના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની સંપતિ જપ્ત કરાશે
આ પણ વાંચોઃ AAP પાર્ટી જૂનાગઢની તમામ સીટો પર ચૂંટણી લડવા તૈયાર, શું કોંગ્રેસ સાથે ગઠબંધન કરી ભાજપને હરાવશે?