AAP પાર્ટી જૂનાગઢની તમામ સીટો પર ચૂંટણી લડવા તૈયાર, શું કોંગ્રેસ સાથે ગઠબંધન કરી ભાજપને હરાવશે?

  • Gujarat
  • January 25, 2025
  • 2 Comments

જૂનાગઢ મહાનગરપાલિકા તેમજ જૂનાગઢ જિલ્લાની અન્ય છ નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણી આવી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી જુનાગઢ મહાનગર અને પ્રદેશ ટીમ દ્વારા ચૂંટણી બાબતે, ચૂંટણીના મેન્યુફેસ્ટો અને એજન્ડા બાબતે એક મહત્વની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતુ. આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના નેતા પરેશભાઈ ગોસ્વામી, રાજુભાઈ બોરખતરીયા, રેશમાબેન પટેલ, હરેશભાઈ સાવલિયા, અશોકભાઈ ઘોશિયા સયુંકત પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ગરવા ગઢ ગિરનારના ખોળામાં વસેલી સંત, શૂરા અને સાવજની નગરી જૂનાગઢ શહેર ભાજપના ભ્રષ્ટાચારનો ભોગ બન્યુ છે. બેફામ, બેરોકટોક ગેરકાયદેસર બાંઘકામના લીધે જૂનાગઢ શહેર વારંવાર પુરના પાણીમાં ડુબી રહ્યું છે. જેના કારણે શહેરવાસીઓને મોટાપાયે નુકસાન થઈ રહ્યું છે.

‘ભાજપ છેલ્લા 30 વર્ષથી સત્તામાં છતા સુવિધાઓનો અભાવ’

 

ભાજપ છેલ્લા 30 વર્ષથી સત્તામાં છે, છતા જૂનાગઢના રોડ, ગટર અને પાણીના ઠેકાણા નથી. સમગ્ર જૂનાગઢ શહેરમાં રખડતા ઢોર અને ગંદકીથી લોકો ત્રાહિમામ છે. ભાજપના નેતાઓ પાસે અંદરો અંદર ઝઘડો કરવા અને બજેટના પૈસા ઘર ભેગા કરવા સિવાય કોઈ કામ નથી. જેના કારણે સૌથી વધારે નુકસાન જૂનાગઢની જનતાને થઈ રહ્યું છે. પવિત્ર ગરવો ગિરનાર હિન્દુ, મુસ્લિમ અને જૈન ધર્મનું વિશ્વ વિખ્યાત યાત્રાધામ જૂનાગઢ ભાજપના કુશાસનને લીધે વિકાસથી વંચીત છે. એક તરફ લોકો પાસે બેફામ વેરો વસૂલવામાં આવે છે અને તમામ પ્રકારના ટેક્સ લેવામાં આવે છે અને સામે સુવિધાઓના નામે છેતરપિંડી કરવામાં આવી રહી છે. ધારાસભ્ય, સાંસદસભ્ય અને મેયર ભાજપના જ હોવા છતાંય જુનાગઢનો વિકાસ ભાજપ કરી શકે તેમ નથી.

AAP પહેલીવાર જૂનાગઢમાં ચૂંટણી લડશે

આમ આદમી પાર્ટી પહેલીવાર જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી મજબૂતીથી લડી રહી છે. અમે મીડિયાના માધ્યમથી જુનાગઢની જનતાને સંદેશ આપવા માંગીએ છીયે કે આ વખતે આમ આદમી પાર્ટીને એક તક આપો. આમ આદમી પાર્ટી જુનાગઢની વ્યવસ્થા બદલી નાખશે, સાથે જુનાગઢના પ્રબુધ્ધ નાગરિકોને, યુવાનોને, બહેનોને તથા જૂનાગઢનું હિત ઈચ્છતા સૌ સજજનોને આમ આદમી પાર્ટીની રાજનૈતિક ક્રાંતિમાં જોડાવા માટે અમે વિનંતી કરીએ છીએ.

AAP-કોંગ્રેસ  ગઠબંધન કરશે?

 

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા પિયુષ પરમારે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની તૈયારી દર્શાવી છે. પરમારે જણાવ્યું કે, છેલ્લા બે વર્ષથી ભાજપની અણઆવડતના કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મુલતવી રહી હતી. હવે જ્યારે જુનાગઢ મહાનગરપાલિકા અને જિલ્લાની નગરપાલિકાઓની ચૂંટણીઓ જાહેર થઈ છે, ત્યારે આમ આદમી પાર્ટીનું સ્ટેન્ડ સ્પષ્ટ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ભ્રષ્ટાચારી ભાજપને સત્તામાંથી દૂર કરવા માટે તેઓ કોંગ્રેસ સાથે જોડાણ કરવા તૈયાર છે.

ક્યારે યોજાશે ચૂંટણી

ગુજરાત લાંબા સમયથી પ્રતિક્ષારત સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણીનુ એલાન થઈ ગયુ છે. ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે મંગળવારે ચૂંટણીની જાહેરાત કરી હતી. પંચે જૂનગઢ નગર નિગમ અને 66 નગર પાલિકાઓની ચૂંટણીનુ એલાન કર્યુ હતુ. પંચ મુજબ આ માટે 16 ફેબ્રુઆરીના રોજ મતદાન કરવામાં આવશે. પરિણામ 18 ફેબ્રુઆરીના રોજ આવશે.

Related Posts

Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી?
  • June 26, 2026

Jungleshwar Demolition Food Bill: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગત ફેબ્રુઆરી મહિનામાં થયેલું મેગા ડિમોલિશન એક તરફ હજારો પરિવારો માટે તેમના જીવનનો સૌથી કાળો અધ્યાય બનીને રહ્યું, તો બીજી તરફ આ જ…

Continue reading
Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાં નકલી બ્લડ પ્લાઝ્માના કરોડોના કથિત કારોબારનો પર્દાફાશ
  • June 26, 2026

Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને લાંછન લગાડે તેવી ઘટના સામે આવી છે, જ્યાં કૅન્સર અને હીમોફીલિયા જેવા જીવલેણ રોગોની સારવાર માટે વપરાતા ‘પીળા બ્લડ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP Brahmin Politics: ઉત્તર પ્રદેશમાં બદલાતા રાજકીય સમીકરણો, શું બ્રાહ્મણ વોટ બેંકમાં સેંધ મારી શકશે સમાજવાદી પાર્ટી?

  • June 28, 2026
  • 4 views
UP Brahmin Politics: ઉત્તર પ્રદેશમાં બદલાતા રાજકીય સમીકરણો, શું બ્રાહ્મણ વોટ બેંકમાં સેંધ મારી શકશે સમાજવાદી પાર્ટી?

Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!

  • June 28, 2026
  • 6 views
Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!

Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય

  • June 28, 2026
  • 10 views
Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય

Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

  • June 27, 2026
  • 6 views
Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

  • June 27, 2026
  • 7 views
Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

  • June 27, 2026
  • 9 views
Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા