વલસાડમાં લૂંટને અંજામ આપી કાશીમાં બની બેઠો સંત, આ ભગવાધારીની 21 વર્ષે ધરપકડ | Valsad Crime

  • Gujarat
  • March 21, 2025
  • 0 Comments

Valsad Crime: ઘણીવાર આરોપીઓ પોતાની કરતૂતો છૂપાવવા અનેક પેંતરા અપનાવતાં હોય છે. જો કે આવા આરોપીઓનો કોઈને કોઈ દિવસ પાપનો ઘડો ફૂટી જાય છે.  તેવી જ એક ઘટના વલસાડમાંથી બહાર આવી છે. વલસાડમાં 21 વર્ષ પહેલા લૂંટને અંજામ આપનારો શખ્સ પોતાની કરતૂતને છૂપાવવા ઉત્તર પ્રદેશના કાશીમાં સંત બની બેઠો હતો. જો કે પોલીસે કાશીમાંથી આરોપીને ભગવા કપડાંમાં ઝડપી પાડ્યો છે.

આજથી 21 વર્ષ પહેલા વર્ષ 2004માં લૂંટના ગુનામાં 4 આરોપીઓ નાસતાં ફરતાં હતા. જેમાંથી બે આરોપીઓ ઝડપાયા હતા. જ્યારે ઝડપાયેલા લોકોની પૂછપરછ કરતાં અન્ય આરોપી આનંદ તિવારી નામાનું પગેરુ મળ્યું હતુ. જે બાદ પોલીસ ઉત્તર પ્રદેશના કાશીમાં પહોંચી હતી. આરોપી કાશીમાં નામ બદલીને રહેતો હતો. કાશીમાં ચોર શ્રી શ્રી 108 સ્વામી અનંતદેવ બની બેઠો હતો.

21 વર્ષ પહેલા વલસાડના ભીલાડ પોલીસ સ્ટેશન નજીક આનંદ શિવ પૂજન તિવારીએ તેના અન્ય ત્રણ મળતિયાઓ સાથે ચપ્પુ, રિવોલ્વર અને અન્ય શસ્ત્રો સાથે 23,500ની લૂંટ કરી હતી. લૂંટ બાદ તેઓ ફરાર થઈ ગયા હતા, જેમાં મુખ્ય કાવતરાખોર આનંદ શિવ પૂજન તિવારી ઉર્ફે આનંદ તિવારી વર્ષોથી ફરાર હોવાનું જિલ્લા પોલીસ વડા અને તેમની ટીમને ધ્યાને આવ્યું હતુ.

જે બાદ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં બે આરોપીઓને પહેલા ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતુ. કે આરોપી આનંદ તિવારી કાશીમાં સંત બનીને આશ્રમ ચલાવી રહ્યો છે. જે બાતમી આધારે ભિલાડ પોલીસ મથકના 4 પોલીસ જવાનો ઉત્તરપ્રદેશના કાશી પહોંચ્યા હતા. જ્યા તેમને વેશ પલટો કરી તપાસ હાથ ધરી હતી. આ ટીમે ત્રણથી ચાર દિવસ તપાસ કરી હતી.

જે બાદ પોલીસે કાશી ખાતે શ્રી શ્રી 108 સ્વામી અનંતદેવ નામ ધારણ કરી સંત બની રહેતા આરોપી આનંદ તિવારીને ઝડપી પાડ્યો હતો. હાલ 21 વર્ષે ઝડપાયેલા આરોપીને વલસાડ લાવી વધુ પૂછપરછ હાથ ધરી છે. સાથે સાથે 21 દરમિયાન તેણે બીજા કોઈ ગુના કર્યા છે કે નહીં તે પણ તપાસ કરવામાં આવશે. આ આનંદ તિવારી કુંભ મેળામાં પણ ગયો હોવાની પોલીસે જણાવ્યુ છે.

Related Posts

Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર
  • April 30, 2025

Ahmedabad Chandola, Lake Demolition:  અમદાવાદના ચંડોળા તળાવ નજીક છેલ્લા 40 વર્ષથી રહેલાં લોકોના ઘરો-ઝુંપડાં તોડવાનું ગઈકાલ(29 એપ્રિલ) સાવારથી શરુ કર્યું છે. આજે બીજા દિવસે પણ ડિમોલેશનનું કામ ચાલું છે. 1…

Continue reading
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ
  • April 29, 2025

China Restaurant Fire:  ચીનના લિયાઓનિંગમાં એક દુ:ખ દુર્ઘટના ઘટી છે. અહીં એક રેસ્ટોરન્ટમાં આગ લાગવાથી 22 લોકોના મોત થયા છે. આગમાં ભયંકર રીતે 3 લોકો દાઝી ગયા છે. આગ લાગવાના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?

  • April 30, 2025
  • 7 views
નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?

Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

  • April 30, 2025
  • 11 views
Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

  • April 29, 2025
  • 20 views
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 29 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

  • April 29, 2025
  • 35 views
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

  • April 29, 2025
  • 33 views
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ