વલસાડમાં લૂંટને અંજામ આપી કાશીમાં બની બેઠો સંત, આ ભગવાધારીની 21 વર્ષે ધરપકડ | Valsad Crime

  • Gujarat
  • March 21, 2025
  • 0 Comments

Valsad Crime: ઘણીવાર આરોપીઓ પોતાની કરતૂતો છૂપાવવા અનેક પેંતરા અપનાવતાં હોય છે. જો કે આવા આરોપીઓનો કોઈને કોઈ દિવસ પાપનો ઘડો ફૂટી જાય છે.  તેવી જ એક ઘટના વલસાડમાંથી બહાર આવી છે. વલસાડમાં 21 વર્ષ પહેલા લૂંટને અંજામ આપનારો શખ્સ પોતાની કરતૂતને છૂપાવવા ઉત્તર પ્રદેશના કાશીમાં સંત બની બેઠો હતો. જો કે પોલીસે કાશીમાંથી આરોપીને ભગવા કપડાંમાં ઝડપી પાડ્યો છે.

આજથી 21 વર્ષ પહેલા વર્ષ 2004માં લૂંટના ગુનામાં 4 આરોપીઓ નાસતાં ફરતાં હતા. જેમાંથી બે આરોપીઓ ઝડપાયા હતા. જ્યારે ઝડપાયેલા લોકોની પૂછપરછ કરતાં અન્ય આરોપી આનંદ તિવારી નામાનું પગેરુ મળ્યું હતુ. જે બાદ પોલીસ ઉત્તર પ્રદેશના કાશીમાં પહોંચી હતી. આરોપી કાશીમાં નામ બદલીને રહેતો હતો. કાશીમાં ચોર શ્રી શ્રી 108 સ્વામી અનંતદેવ બની બેઠો હતો.

21 વર્ષ પહેલા વલસાડના ભીલાડ પોલીસ સ્ટેશન નજીક આનંદ શિવ પૂજન તિવારીએ તેના અન્ય ત્રણ મળતિયાઓ સાથે ચપ્પુ, રિવોલ્વર અને અન્ય શસ્ત્રો સાથે 23,500ની લૂંટ કરી હતી. લૂંટ બાદ તેઓ ફરાર થઈ ગયા હતા, જેમાં મુખ્ય કાવતરાખોર આનંદ શિવ પૂજન તિવારી ઉર્ફે આનંદ તિવારી વર્ષોથી ફરાર હોવાનું જિલ્લા પોલીસ વડા અને તેમની ટીમને ધ્યાને આવ્યું હતુ.

જે બાદ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં બે આરોપીઓને પહેલા ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતુ. કે આરોપી આનંદ તિવારી કાશીમાં સંત બનીને આશ્રમ ચલાવી રહ્યો છે. જે બાતમી આધારે ભિલાડ પોલીસ મથકના 4 પોલીસ જવાનો ઉત્તરપ્રદેશના કાશી પહોંચ્યા હતા. જ્યા તેમને વેશ પલટો કરી તપાસ હાથ ધરી હતી. આ ટીમે ત્રણથી ચાર દિવસ તપાસ કરી હતી.

જે બાદ પોલીસે કાશી ખાતે શ્રી શ્રી 108 સ્વામી અનંતદેવ નામ ધારણ કરી સંત બની રહેતા આરોપી આનંદ તિવારીને ઝડપી પાડ્યો હતો. હાલ 21 વર્ષે ઝડપાયેલા આરોપીને વલસાડ લાવી વધુ પૂછપરછ હાથ ધરી છે. સાથે સાથે 21 દરમિયાન તેણે બીજા કોઈ ગુના કર્યા છે કે નહીં તે પણ તપાસ કરવામાં આવશે. આ આનંદ તિવારી કુંભ મેળામાં પણ ગયો હોવાની પોલીસે જણાવ્યુ છે.

Related Posts

પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા
  • June 16, 2025

Vijay Rupani : અમદાવાદમાં વિમાન દુર્ઘટના પછી, મૃતદેહોની ઓળખ માટે એકત્રિત કરાયેલા સંબંધીઓના ડીએનએ નમૂનાઓ સાથે 90 મૃતદેહોના ડીએનએ નમૂનાઓ મેચ થયા છે, જેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ…

Continue reading
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
  • June 15, 2025

મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ayodhya News: બહરાઈચ, બારાબંકી બાદ અયોધ્યામાં પણ દાદા મિયાં ઉર્સ પર પ્રતિબંધ

  • June 16, 2025
  • 3 views
Ayodhya News: બહરાઈચ, બારાબંકી બાદ અયોધ્યામાં પણ દાદા મિયાં ઉર્સ પર પ્રતિબંધ

પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા

  • June 16, 2025
  • 5 views
પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા

Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા, એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી

  • June 16, 2025
  • 5 views
Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા,  એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 22 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 21 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 28 views
Adani’s Haifa port attack: ઈરાનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!