
Hiten kumar: તાજેતરમાં ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજકીય કાર્યવાહી જોવા માટે ગુજરાતના પ્રખ્યાત કલાકારોને આમંત્રિત કરાયા હતા. જેમાં ગીતા રબારી, કિંજલ દવે, માયાભાઈ આહીર, રાજભા ગઢવી, કિર્તીદાન ગઢવી સહિતના કલાકારોનો સમાવેશ થાય છે. જો કે આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના કોઈપણ કલાકારોને બોલાવવામાં ન આવતા ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોર નાખુશ થયા હતા. તેમણે કહ્યું હતુ કે મને ન બોલાવ્યો તો કંઈ વાંધો નહીં પણ મારા જેવા ઠાકોર સામાજમાં અન્ય કલાકારો પણ છે.
ત્યારે આજ મુદ્દાને લઈ હવે ગુજરાતી સુપર સ્ટાર હિતેનકુમાર સામે આવ્યા છે. તેમણે પત્રકાર દિનેશ સિંધવને આપેલા ઈન્ટરવ્યૂમાં સરકારને નહીં પણ વચેટિયાઓને આડે હાથ લીધા છે. તેમણે કહ્યું કે હું ઘણા સમયથી કામ કરી રહ્યો છું, પણ મારુ સન્માન કરાયું નથી. પરિવાર પૂછે છે તમે 30-30 વર્ષથી ફિલ્મ કરી રહ્યા છો? તો તમને કોઈ એવોર્ડ કે પ્રોહત્સાન કેમ મળતું નથી. સાથે સાથે વિધાનસભામાં કલાકારોને ન બોલાવવા અંગે વચેટિયાઓને જવાબદાર ઠેરવ્યા હતા.
હિતેનકુમારે કહ્યું હતુ કે કોઈ પણ ફિલ્મના બનતાં પહેલા જ્યુરી પાસે જાય છે. અને તે ફિલ્મને રેંક આપે છે. ત્યારે એવોર્ડ માટે નક્કી થાય છે. જેથી તેમણે જ્યુરીના સભ્યો પર પણ સવાલો કર્યા હતા. તેમણે લોકોની સામે મૂલ્યાંકન કરવા કહ્યું હતુ. જેથી પાર્દશિતા આવી શકે.
સાથે સાથે દિનેશ સિંધવ સાથેની વાતચીતમાં વિક્રમ ઠાકોરે જે મુદ્દે નારાજ છે તે મુદ્દે પણ ગુજરાતી ફિલ્મના પીઠ અભિનેતા હિતેનકુમારે જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે હું વિક્રમ ઠાકોરની વાત સાથે સહમત નથી. કારણ કે કલાકાર કોઈ જાતિ, જ્ઞાતિ કે સમાજનો હોતો નથી. તે કલાકાર એ કલાકરા હોય છે. જેથી તે સમાજને લઈને સન્માન મેળવવાની વાત કરે છે તો હું તેની સાથે નથી. મેં મારા નામની પાછળ અટક રાખી નથી. તેમણે કહ્યું મારો દરેક વર્ગ છે, હું સમાજમાં પડતો નથી.
હિતેનકુમારે ઉપેન્દ્ર ત્રિવેદીનો કર્યો ઉલ્લેખ
વધુમાં હિતેનકુમારે કહ્યું હતુ કે ઉપેન્દ્રભાઈ રાજનીતીમાં હતા તો તેમને જોઈતું સન્માન મળ્યું, નરેશ કનોડિયાને મળ્યું, હિતુ કનોડિયા પણ રાજકારણમાં હતા તો તેમને મળ્યુ. પણ જે ચૂપચાપ ગુજરાતીની સંસ્કૃતિ પર કામ કરે છે. તેવા લોકોને મળતું નથી.
વચેટિયાઓ સરકાર સુધી પહોંચવા દેતા નથી
હિતેનકુમારે સરકારનો વાંક કાઢ્યા સિવાય વચેટિયાને કલાકરોને સન્માન ન મળવા બદલ જવાબદાર ઠેરવ્યા હતા. કારણે વચેટિયાઓ તેમને મન ફાવતા લોકોની ભલામણ કરતાં હોય છે. તેઓ વ્હાલાદવાલાની નીતી અપનાવી રહ્યા છે. જો કે આ વચેટિયાઓ કોણ છે તે અંગે હિતેનકુમાર જવાબ આપી શક્યા ન હતા. તેમણે કહ્યું હતુ કે મારે હવે આ વચેટિયાઓને શોધવા પડશે.
આ પણ વાંચોઃ Ahmedabad: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી વખતે ક્રેન તૂટી, બેને ઈજાઓ, ટ્રેન વ્યવહાર ઠપ
આ પણ વાંચોઃ Kunal Kamra: ‘ગદ્દાર નજર વો આયે’… કોમેડિયને એકનાથ શિંદે પર ગીત બનાવતાં શિવસેના ગુસ્સે, સ્ટુડિયોમાં તોડફોડ
આ પણ વાંચોઃ Gujarat: ગાજવીજ સાથે કમોસમી વરસાદની સંભાવના