VIT University MP: Gen-Zના વિદ્યાર્થીઓને અખાદ્ય ખોરાક-ગંદુ પાણી અપાતા 4ના મોતના આક્ષેપ સાથે હિંસક આંદોલન

  • India
  • December 1, 2025
  • 0 Comments

VIT University MP:મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના પડોશી જિલ્લા સિહોર સ્થિત VIT યુનિવર્સિટીમાં Gen-Zના વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ અહીં અખાદ્ય ખોરાક અને ગંદુ પાણી અપાતા અનેક વિદ્યાર્થીઓ બીમાર પડી ગયા અને કેટલાકના મોત થતા વિધાર્થીઓમાં રોષ ફાટી નીકળતા વિદ્યાર્થીઓએ હિંસક આંદોલન કરી વાહનોમાં તોડફોડ કરતા યુનિવર્સિટી કેમ્પસ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે અને રજા જાહેર કરવી પડી છે જોકે, આજથી યુનિ ખુલશે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તૈનાત રખાઈ છે.

સિહોરમાં વેલ્લોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (VIT) યુનિવર્સિટીમાં લગભગ 4,000 વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં કુલપતિની કાર અને એક યુનિવર્સિટી બસને તેમણે આગ પણ લગાવી દીધી હતી. વિદ્યાર્થીઓનો આરોપ છે કે, કોલેજમાં ઘણા દિવસોથી કમળો રોગ ફેલાઈ રહ્યો છે, જેના પરિણામે 4 વિદ્યાર્થીઓના મોત થયા છે.
યુનિવર્સિટી વહીવટીતંત્ર આ રોગચાળાને અવગણી રહ્યું છે.નોંધનીય છે કે સતત હિંસા અને વિરોધ પ્રદર્શન બાદ યુનિવર્સિટી વહીવટીતંત્રે ગતરોજ 30મી સુધી પાંચ દિવસની રજા જાહેર કરી હતી.

વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે અહીં અખાદ્ય ખોરાક અને ગંદુ પાણી આપવામાં આવી રહ્યુ છે તેથી એકજ માંગ છે કે તેઓને સ્વચ્છ પીવાનું પાણી અને સારા ખોરાકની ખાત્રી આપવામાં આવે.જોકે, હવે આ મામલે રાજકીય રંગ પકડી લીધો છે અને મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જીતુ પટવારીએ કહ્યું કે વિદ્યાર્થીઓ માટે સ્વચ્છ પાણી અને શુદ્ધ ખોરાકનો અભાવ નિંદનીય છે.

તેમણે સરકારને આ મામલાની નિષ્પક્ષ તપાસ કરવા અને વિદ્યાર્થીઓને અખાદ્ય ખોરાક તેમજ ગંદુ પાણી આપનારા તત્વો સામે પગલાં ભરવા માંગ કરી છે.વિદ્યાર્થીઓનો આરોપ છે કે તેમને કેમ્પસમાં હલકી ગુણવત્તાનું પાણી અને ખરાબ ખોરાક આપવામાં આવી રહ્યો છે. આના કારણે ઘણા વિદ્યાર્થીઓ કમળાથી પીડાઈ રહ્યા છે. તેમનો દાવો છે કે આ બીમારીથી 4 વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે અને લગભગ 100 વિદ્યાર્થીઓને અષ્ટા, સિહોર અને ભોપાલની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે.

જ્યારે વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો ત્યારે હોસ્ટેલના ગાર્ડ અને વોર્ડન દ્વારા તેમને ચૂપ કરવા માટે કહેવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. વિદ્યાર્થીઓના મતે, વારંવાર ફરિયાદો કરવા છતાં, યુનિવર્સિટી વહીવટીતંત્ર સ્પષ્ટ જવાબ આપવામાં નિષ્ફળ ગયું, જેના કારણે પરિસ્થિતિ વધુ વણસી ગઈ અને વિદ્યાર્થીઓ હિંસક પ્રદર્શન ઉપર ઉતર્યા જેમાં
ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ બસો, કાર અને બાઇકોને આગ ચાંપી દીધી હતી
એમ્બ્યુલન્સ અને અન્ય વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી પરિસ્થિતિ વધુ વણસતા, પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પાંચ પોલીસ સ્ટેશનની પોલીસ બોલાવવામાં આવી હતી અને વધતા તણાવ વચ્ચે, યુનિવર્સિટી વહીવટીતંત્રે 30 નવેમ્બર સુધી રજા જાહેર કરવાની જાહેરાત કરવી પડી હતી હવે આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કરી શુ થાય છે તેની ઉપર સૌની નજર મંડાયેલી છે.

આ પણ વાંચો:

Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!

Prohibition in Gujarat is only on paper : ભાજપ ‘દારૂ અને ડ્રગ્સ’ના વેપારને ખુલ્લેઆમ પ્રોત્સાહન આપે છે!ઈમાનદાર પોલીસ અધિકારીઓને સાઈડ લાઈન કરાય છે!

Police action against farmers: કચ્છમાં અદાણીનો પાવર ચાલ્યો!હક્ક માંગી રહેલા 604 ખેડૂતો સામે પોલીસ કાર્યવાહી થતાં દેકારો!

Related Posts

Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન
  • May 9, 2026

Congress Attack On Pm Modi: પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસમાં શનિવારનો દિવસ એક નવી ગાથા લઈને આવ્યો. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા…

Continue reading
Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના
  • May 9, 2026

Arvind Kejriwal: બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રભાવશાળી પ્રદર્શન બાદ હવે પક્ષની નજર પંજાબ પર ટકી છે. રાજકીય વિશ્લેષકો માને છે કે ભાજપ હવે પંજાબમાં પોતાની પૂરી તાકાત લગાવવા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mehsana expired animal medicines: મહેસાણાના પશુ દવાખાનામાં એક્સપાયર દવાઓ મળતાં ચકચાર, જીવદયા પ્રેમીઓએ ઉઠાવ્યા ગંભીર સવાલો

  • May 10, 2026
  • 2 views
Mehsana expired animal medicines: મહેસાણાના પશુ દવાખાનામાં એક્સપાયર દવાઓ મળતાં ચકચાર, જીવદયા પ્રેમીઓએ ઉઠાવ્યા ગંભીર સવાલો

Ahmedabad family hostage: વિદેશ જવાના સપનામાં ગુજરાતી પરિવાર શિકાર, અમદાવાદથી લંડન નીકળેલા યેમેકર પરિવારને આફ્રિકામાં બંધક બનાવાયો

  • May 10, 2026
  • 6 views
Ahmedabad family hostage: વિદેશ જવાના સપનામાં ગુજરાતી પરિવાર શિકાર, અમદાવાદથી લંડન નીકળેલા યેમેકર પરિવારને આફ્રિકામાં બંધક બનાવાયો

Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

  • May 9, 2026
  • 3 views
Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

  • May 9, 2026
  • 4 views
Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!

  • May 9, 2026
  • 14 views
Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!

Abhishek Banerjee: શુભેન્દુ અધિકારી CM બનતા અભિષેક બેનર્જીનો ભાજપ પર પ્રહાર, ચૂંટણી પ્રક્રિયા અને એજન્સીઓની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

  • May 9, 2026
  • 11 views
Abhishek Banerjee: શુભેન્દુ અધિકારી CM બનતા અભિષેક બેનર્જીનો ભાજપ પર પ્રહાર, ચૂંટણી પ્રક્રિયા અને એજન્સીઓની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ