
Heart attacked: આજકાલ યુવાનો અને નાના બાળકોમાં હાર્ટ એટેકના બનાવો બની રહયા છે જે ચિંતાનો વિષય બની રહ્યો છે ત્યારે મહેસાણાની ખાનગી શાળામાં ફૂટબોલ રમતી વખતે 13 વર્ષના વિદ્યાર્થીને હૃદય હુમલો આવતા કરુણ મોત થયું હોવાનો અરેરાટી ભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
મૂળ મોરબીના વાંકાનેરનો વતની અને મહેસાણાની તપોવન ઈન્ટરનેશનલ ઈંગ્લીશ સ્કુલની હોસ્ટેલમાં રહી ધો 8 માં અભ્યાસ કરનાર 13 વર્ષના જૈમિલ કણસાગરા(પ્રજાપતિ)નામના આશાસ્પદ બાળકનું હાર્ટ એટેકથી મોત થતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.મૃતક જૈમિલે નાની ઉંમરે ફૂટબોલ ફિલ્ડમાં કારકિર્દી બનાવી હતી અને રાજ્ય કક્ષાનો ફૂટબોલ પ્લેયર હતો
જૈમીલ કણસાગરા જે સ્ટેટ લેવલનો ફૂટબોલ પ્લેયર હતો અને પરિવાર દ્વારા તેને સારા અભ્યાસ અને ફૂટબોલની તાલીમ માટે મહેસાણાની તપોવન ઈન્ટરનેશનલ ઈંગ્લિશ સ્કૂલ હોસ્ટેલમાં ધોરણ આઠમાં એડમિશન કરવામાં આવ્યું હતું.
તપોવન ઈન્ટરનેશનલ ઈંગ્લિશ સ્કૂલ શાળામાં હોસ્ટેલ રહી જૈમિલ હોસ્ટેલમાં રહેતો હતો અને ગત સાંજે 5:30 કલાકે જૈમીલ શાળામાં તેના સહવિદ્યાર્થીઓ સાથે ફૂટબોલ રમી રહ્યો હતો ત્યારે તેને અચાનક તેને હાર્ટ એટેક આવતા અને તે ઢળી પડતા તેને તાત્કાલિક સારવાર માટે શંકુઝ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો,પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું કરુણ મોત થયું હતુ આ ઘટનાને પગલે ભારે અરેરાટી ફેલાઈ જવા પામી છે.
વિગતો મુજબ મૃતક જૈમીલ કણસાગરા વાંકાનેરના ધર્મનગર સોસાયટીમાં રહેતા ભાજપ અગ્રણી સુરેશભાઈ પ્રજાપતિનો પૌત્ર છે અને તેના પિતાનું નામ ગૌતમભાઈ સુરેશભાઈ કણસાગરા હોવાની માહિતી સામે આવી છે તેઓના પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે અને શોકની લાગણી પ્રસરી છે.
જૈમીલ જેવા અનેક બાળકોના સ્કૂલોમાં રમતા રમતા કે નાસ્તો કરતી વખતે હાર્ટ એટેકનો ભોગ બન્યાના કિસ્સા છે બાળકોમાં વધતા જતા હૃદયરોગના હુમલાના કિસ્સાઓ ચિંતા જનક છે.
હર્ષ સંઘવી આ જૂઓ:- @sanghaviharsh
દારુના સ્ટેન્ડ પરથી નશાનો ધંધો કરવો હોય તો વેપારની સિસ્ટમ કેવી રીતે નકકી થાય છે તે દારુના વેપારી મહિલા જણાવી રહ્યા છે. pic.twitter.com/XosHScUxdV— Dilip Patel દિલીપ પટેલ (@dmpatel1961) November 25, 2025
જોકે,યુવાનોમાં આવા કિસ્સાઓ સામાન્ય રીતે ધમનીઓમાં પ્લાક જમા થવાને કારણે થાય છે. જ્યારે બાળકોમાં જુદા જુદા જટિલ અને દુર્લભ કારણો જોવા મળે છે જેમાં કેટલાક કિસ્સાઓમાં જન્મજાત હૃદયની સમસ્યાઓ કે જન્મથી જ હૃદયની રચના ઉપરાંત,કેટલાક વાયરલ ચેપ અથવા મ્યોકાર્ડિટિસ ઉપરાંત ઘણા કારણો હોય છે.
કેટલીક વખત રમતગમત દરમિયાન છાતીમાં અચાનક ગંભીર ઇજાઓ થવાથી ક્યારેક હૃદયને પણ નુકસાન થઈ શકે છે. કેટલાક રક્ત સંબંધિત રોગો અને આનુવંશિક સ્થિતિઓ પણ બાળકોમાં હૃદયરોગના હુમલા જેવી સ્થિતિનું કારણ બની શકે છે.નાના બાળકોમાં હૃદયની સમસ્યાઓ ઓળખવી મુશ્કેલ હોય છે,કારણ કે તેઓ તેમની સમસ્યા સ્પષ્ટ રીતે કહી શકતા નથી.
જો કે, કેટલાક સંકેતો છે જેને અવગણી શકાય નહીં જેમ કે કોઈપણ શારીરિક પ્રવૃત્તિ દરમિયાન છાતીમાં દુખાવો, બેહોશ થવું, હૃદયના ધબકારા ખૂબ ઝડપી, અનિયમિત, શ્વાસ લેવામાં તકલીફ અથવા ખૂબ જ ઝડપથી થાકી જવું. કેટલાક કિસ્સાઓમાં, બાળકોની ત્વચાનો રંગ, ખાસ કરીને હોઠ, આંગળીઓ અથવા પગના નખ વાદળી અથવા નિસ્તેજ થઈ શકે છે. કોઈપણ દેખીતા કારણ વગર પરસેવો થવો પણ એક સંકેત હોઈ શકે છે.
શિશુઓમાં, આ સ્થિતિ ભૂખનો અભાવ, ચીડિયાપણું, વજન ન વધવું અથવા કોઈ કારણ વગર ઝાડા અને ઉલટીના સ્વરૂપમાં દેખાઈ શકે છે.
આમ ઘણા બધા કારણોમાં બાળકોમાં હૃદયરોગના હુમલાના કારણો પુખ્ત વયના લોકો કરતા તદ્દન અલગ હોવાનું જણાયું છે.
આમ,હવેના સમયમાં લોકોની બદલાયેલી જીવન શૈલી અને ભેળસેળ યુક્ત આહાર,પોલ્યુશન વગરે પરિબળો હવે પછીની પેઢી માટે ખતરનાક સાબિત થઈ રહયા છે અને લાંબુ સ્વસ્થ જીવન જીવતા વડવાઓ પાસેથી જાણીએ ત્યારે ખબર પડે કે અસલ જિંદગી કેવી હતી ત્યારે મોટી ઉંમરે ભાગ્યેજ કોઈ ને એટેક આવતા હતા.
આ પણ વાંચો:
Rupee Hits Record Low Against Dollar: ભારતના ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયો આટલો નબળો પડયો:મોંઘવારી વધશે









