‘સુલ્તાન-એ-હિન્દ’ આપણને નાગરિક પણ બનવા દેતા નથી !

  • ‘સુલ્તાન-એ-હિન્દ’ આપણને નાગરિક પણ બનવા દેતા નથી !

રમેશ સવાણી; પૂર્વ આઈપીએસ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 માર્ચ 2025ના રોજ, સુરત આવી રહ્યા છે તે પહેલા તંત્ર જાગૃત થઈ ગયું છે. શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન જે રસ્તા પરથી પસાર થવાના છે ત્યાંની મુખ્ય દિવાલો પર પેઇન્ટિંગ્સ કરવામાં આવી રહ્યું છે. શહેરના તૂટેલા રસ્તાઓ રિપેર થઈ ગયાં છે. અમુક જગ્યાએ વડાપ્રધાનની નજર ન પડે તે માટે લીલા કપડાની આડશ ઊભી કરી દીધી છે.

યૂટ્યૂબર જ્યોત્સના આહીરે 3 માર્ચ 2025ના રોજ આ અંગે વીડિયો સોશિયલ મીડિયામાં મૂક્યો છે, જે આંખ ખોલનારો છે. જ્યોત્સના ‘વડાપ્રધાન’ શબ્દના બદલે ‘શહેનશાહે-એ-હિન્દ/ સુલ્તાને હિન્દ’ શબ્દ પ્રયોગ કર્યો છે. તે કહે છે : “આ મુલાકાત કેટલી ભવ્ય અને આલીશાન રહેવાની છે? તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે આ મુલાકાત પાછળ 31.50 કરોડ રુપિયા ખર્ચવામાં આવશે. અઢી કરોડ રુપિયા તો માર્કેટિંગ પાછળ ખર્ચાશે !

આ ખર્ચ કોના ખિસ્સામાંથી થઈ રહ્યો છે? વડાપ્રધાનની સભા માટે ભીડ લાવવા/ લાભાર્થીઓ અને તેમના પરિવારજનોને લાવવા- લઈ જવા માટે સુરત મહાનગર પાલિકાની 450 સિટી બસો અને એસ.ટી.ની 600 બસો તથા ખાનગી બસો મળીને 1350 બસો દોડાવવામાં આવશે. આપણે પ્રજા છીએ એટલે પ્રશ્ન કરતા નથી, નાગરિક આપણે બની શકતા નથી ! કેમકે ‘સુલ્તાન-એ- હિન્દ’ આપણને નાગરિક પણ બનવા દેતા નથી !”

આ પણ વાંચો-મોદીને સુરતમાં રાજા જાહેર કરતી તૈયારી; સુરતની સભાનું રૂ. 350 કરોડનું ખર્ચ અને સભાનું રહસ્ય શું છે?

થોડાં પ્રશ્નો : [1] ભલે સુરત શહેરને શણગારો, પરંતુ સુરતની મૂળ સમસ્યાઓને શા માટે ઢાંકો છો? હાલ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે. કારીગરોને છૂટા કરવામાં આવે છે. તેમનું ઘર કઈ રીતે ચાલે? તેમના બાળકોની સ્કૂલ ફી કોણ ભરશે? તેઓ આત્મહત્યા કરી રહ્યા છે, તેમના બાળકો નિરાધાર થઈ રહ્યા છે, પરિવારો વિખરાઈ રહ્યા છે, આ સમસ્યા માટે કેમ કોઈ પગલાં લેવાતાં નથી?

[2] મહાનગર પાલિકાના અધિકારીઓની બેદરકારીના કારણે ખુલ્લી ગટરમાં બાળક પડી ગયું અને ગૂંગળાઈને મરણ પામ્યું; જવાબદાર અધિકારીની ધરપકડ થઈ નથી, આ બાબતે કોઈ ચિંતા કેમ નથી?

[3] ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગી અને વેપારીઓ રોડ પર આવી ગયા, આ અંગે સરકાર કેમ સંવેદનશીલ બની નથી?

[4] ભક્તો કહે છે કે મોદીજી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે, પ્રજા એમને સાંભળવા તલપાપડ થઈ જય છે. જો આ સત્ય હોય તો ભીડ એકત્ર કરવા 1350થી વધુ બસો દોડાવવી પડે?

[5] વડાપ્રધાનની મુલાકાત વેળાએ રંગરોગાન થાય/ દિવાલો પર પેઇન્ટિંગ થાય, ગરીબ લોકોને કાપડની દિવાલથી ઢાંકે, આ બધું વડાપ્રધાન જાણતા નહીં હોય? આવો ડોળ શા માટે? શું વડાપ્રધાનની હાજરી વખતે જ લોકોને વિકાસ દેખાડવો પડે?

[6] 5 એપ્રિલ 2024ના રોજ, મધ્યપ્રદેશમાં એક ચૂંટણી સભામાં મોદી માટે 11 લાખ રુપિયાની કાર્પેટ નાખવામાં આવી હતી ! જો કે આ ખર્ચ પક્ષે કર્યો હતો, પરંતુ પક્ષ પાસે નાણાં આવે છે ક્યાંથી? ઉદ્યોગપતિઓ પાસેથી જ ને? તેઓ કુદરતી સંપત્તિઓનું દોહન કરીને જ ફંડ આપે છે ને? ભવ્ય અને આલીશાન મુલાકાત/ સભાનો ખર્ચ સરકાર કરે કે પક્ષ; તેનો ભોગ સામાન્ય નાગરિકો જ બને ! કલ્પના તો કરો 11 લાખની કાર્પેટ/ 10 લાખનો સૂટ છતાં ઈમેજ ફકીરની, ચોકીદારની ! શું 11 લાખની કાર્પેટ પર ચાલનાર ગરીબોની સેવા કરે કે અદાણી/ અંબાણીની? શું દાળમાં કંઈક કાળુ છે કે આખી દાળ જ કાળી છે?

આ પણ વાંચો-Alka Lamba: ગુજરાતમાં દર મહિને 200 મહિલાઓ પોલીસ સ્ટેશને પહોંચે છે, મહિલા કોંગ્રેસ નેતાના આરોપ

Related Posts

Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા
  • May 10, 2026

Gujarat Tribal Politics: ગુજરાતની ૨૦૨૬ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જ્યાં મોટા રાજકીય પક્ષો અને મંત્રીઓની ફોજ ઉતારવામાં આવી હતી, ત્યાં આદિવાસી નેતા ચૈતર વસાવા એક પ્રભાવક ચહેરા તરીકે ઉભરી આવ્યા છે.…

Continue reading
Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!
  • May 9, 2026

Sabarmati Jail Sewage Water Farming: અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ગુજરાતની સૌથી મોટી જેલ છે, જ્યાં અંદાજે 4000 જેટલા કેદીઓ વસવાટ કરે છે. આ જેલ માત્ર ગુનેગારોને રાખવાનું સ્થળ નથી, પણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

  • May 11, 2026
  • 7 views
Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

  • May 10, 2026
  • 9 views
Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

  • May 10, 2026
  • 8 views
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

  • May 10, 2026
  • 11 views
Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?

  • May 10, 2026
  • 8 views
Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?

Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર

  • May 10, 2026
  • 9 views
Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર