
કાલચક્ર ભાગ 3 | KAAL CHAKRA: રાજકારણમાં કોઈ કોઈનું હોતું નથી નેતાઓ પોતે આગળ વધવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. આપણે ઘણી વખત જોયું છે કે, નેતાઓ પ્રજાને વચનો આપીને ભુલી જાય છે પરંતુ રાજકારણમાં ઘણા એવા નેતાઓ પણ છે જે પોતે આગળ વધવા માટે સાથીદારોનો ભોગ લેતા હોય છે ત્યારે વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે ‘ધ ગુજરાત રિપોર્ટ’ વિશેષ સિરિઝમાં પૂર્વ CM નરેન્દ્ર મોદીના પહેલા મંત્રી મંડળના પ્રધાનો ખતમ થયાં કે કરી દેવાયાં? તે અંગે જણાવ્યું છે.
પૂર્વ CM મોદીના પહેલા મંત્રી મંડળના નેતાઓ ક્યાં ખોવાયા ?
નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને તેમના મંત્રીમંડળમાં જે મંત્રીઓની નિમણૂક કરવામાં આવી હતી તેમાંથી પરષોત્તમ સોલંકીને બાદ કરતા તમામ આજે ખોવાઈ ગયા છે આ નેતાઓ પાસ હાલમાં કોઈ મોટા હોદ્દો નથી. તે વખતે મિનિસ્ટરો બોલી શકતા હતા પરંતુ અત્યારે મનિસ્ટરો બોલી શકતા નથી ઘણા તો અંગુઠા છાપ કહી શકાય તેવા લોકો પણ સરકારમાં હોદ્દા પર છે. પરષોત્તમ સોલંકી એટલા માટે ટકી શકયા છે કેમકે તેઓ પોતાના વિસ્તારમાં પ્રભુત્વ ધરાવે છે. જેથી ભાજપને તેમની જરુર છે.
ગોરધન ઝડફિયાએ મંત્રીમંડળમાં રહેવાનો કર્યો હતો ઈન્કાર
નરેન્દ્ર મોદીએ પોતાને મહાન બનાવી દીધા અને જ્યારે મોકો મળ્યો ત્યારે તેમણે એક પછી એક નેતાઓના રાજકીય કરિયર ખતમ કરી દીધા. ગોરધન ઝડફિયા ભાજપમાં છે જે પહેલા મંત્રીમંડળમાં હતા. બીજી વખત નરેન્દ્ર મોદીની શપથવિધિ થઈ ત્યારે તેમણે જાહેરમાં આ મંત્રીમંડળમાં રહેવાનો ઈન્કાર કર્યો હતો. જ્યારે શપથ વિધિ ચાલી રહી હતી અને ગોરધન ઝડફિયાનું નામ બોલવામાં આવ્યું ત્યારે તેમણે ઉભા થઈને કહી દીધુ હતુ કે હું નરેન્દ્ર મોદીની સાથે રહી શકુ તેમ નથી. જે બાદ પક્ષમાં તેમની હાલ ખરાબ કરી દેવામાં આવી હતી. અત્યારે તેમણે પાર્ટીમાં લેવામાં આવ્યા છે પરંતુ જો તેઓ કોંગ્રેસમાં જોડાવવાના હતા ત્યારે પક્ષમાં નામ માત્રનો હોદ્દો આપવામાં આવ્યો.
તમામ પ્રધાનોનું રાજકારણ ખતમ કરી દેવામાં આવ્યું કે પછી ખતમ થઈ ગયું?
આમ નરેન્દ્ર મોદીની રાજનીતિ નેતાઓને ખભે બેસાડીને તેમને છોડી દેવાની રહી છે. આ તમામ પ્રધાનોનું રાજકારણ ખતમ કરી દેવામાં આવ્યું કે પછી ખતમ થઈ ગયું? આ પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયાસ કાલચક્રના ત્રીજા ભાગમાં જુઓ….
આ પણ વાંચો:
બનાસકાંઠા સરહદેથી BSF એ ઘુસણખોરને ઠાર માર્યો, કચ્છમાંથી એક જાસૂસની ધરપકડ
IND vs ENG: ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, શુભમન ગિલ બન્યો નવો કેપ્ટન
ગુજરાત સમાચાર પર IT-ED ના દિલધડ દરોડા બાદ સન્નાટો!, છાપુ ચલાવતી કંપનીનું શેર માર્કેટમાં રોકાણ કેમ?
Accident: અમદાવાદથી ભીલવાડા જતી લક્ઝરીએ મારી પલટી, 3ના મોત, ઘણાને ઈજાઓ
Surat: એમેઝોન પ્રાઇમ ફ્રેન્ચાઇઝી મેળવવા માટે બેંક લૂંટી, આ રીતે પોલીસે આરોપીને ઝડપ્યો
પ્રખ્યાત અભિનેતા Mukul Dev નું 54 વર્ષની વયે અવસાન, ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજું
Gujarat Rain:આજે ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સુચના
Sabarkantha: રેતી ખનન માફિયાઓ સામે પૂર્વ સાંસદની લાલ આંખ, ગેરકાયદે ખનન બંધ કરો નહીં તો….!
Sabarkantha: પ્રાંતિજમાં ડમ્પરે બાઈકને ટક્કર મારી, બે યુવાન કાળનો કોળિયો બન્યા, પિતાને ઈજાઓ
Sabarkantha Accident: પ્રાંતિજ નજીક કારની ટક્કરે રિક્ષાએ મારી પલટી, રિક્ષાચાલક ગંભીર!
Vadodara: મંદિરમાં ઘૂસી વિધર્મીએ પુજારીને માર માર્યો
પાણી બંધ કરશો, તો તમારા શ્વાસ બંધ કરીશું, Pakistani સેનાની આતંકી ભાષા
Gondal: અમીત ખૂંટના પરિવારે સામૂહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી!, શું કરી માગ?