
દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે પીઓકેમાં આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને સલાહ અને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે પીઓકેની જમીનનો ઉપયોગ આતંકવાદના ખતરનાક કારોબારને ચલાવવા માટે કરવામાં આવી રહ્યો છે. હું આજે ખુલ્લેઆમ કહેવા માંગુ છું કે ત્યાં આતંકવાદીઓ માટે ટ્રેનિંગ કેમ્પ ચલાવવામાં આવી રહ્યા છે. સરહદને અડીને આવેલા વિસ્તારોમાં લોન્ચ પેડ બનાવવામાં આવ્યા છે. ભારત સરકાર બધું જ જાણે છે. પાકિસ્તાને આ રોગને ખતમ કરવો પડશે, નહીં તો ડોટ ડોટ ડોટ.
તો બીજી તરફ ચીને ભારતની જમીન ઉપર કબ્જો કરી લીધો હોવા છતાં પીએમ મોદી કે રક્ષામંત્રી રાજનાથ સિંહના મોઢામાંથી એક શબ્દ નિકળી રહ્યો નથી. પાકિસ્તાનને આતંકવાદ સામે ચેતવણી આપવી જોઈએ પરંતુ ચીન સામે પણ લાલ આંખ કરવી જરૂરી છે. કેમ કે ચીન પ્રતિદિવસ ભારતના વિવિધ વિસ્તારોમાં પોતાનો અડંગો જમાવીને જમીન ઉપર બાંધકામ પણ કરી દઈ રહ્યો છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ મંગળવારે જમ્મુ-કાશ્મીર પહોંચ્યા હતા. તેમણે અખનૂર સેક્ટરમાં ટાંડા આર્ટિલરી બ્રિગેડ ખાતે 9મી સશસ્ત્ર દળ ભૂતપૂર્વ સૈનિક દિવસની રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન, તેમણે જમ્મુ-કાશ્મીર અને દિલ્હીના લોકો વચ્ચેનું અંતર ઘટાડવા માટે કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાના પ્રયાસોની પ્રશંસા કરી.
રક્ષા મંત્રીએ કહ્યું કે ભાજપ સરકાર દિલ્હી અને જમ્મુ-કાશ્મીરને સમાન રીતે વર્તે છે. અગાઉની સરકારોએ કાશ્મીર સાથે અલગ વર્તન કર્યું હતું. આનું પરિણામ એ આવ્યું કે આ વિસ્તારના આપણા ભાઈ-બહેનો દિલ્હી સાથે જે રીતે જોડાવા જોઈએ તે રીતે જોડાઈ શક્યા નથી. હું ભૂતકાળમાં જવા માંગતો નથી કારણ કે અમારી સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ એ છે કે અમે કાશ્મીર અને દેશના અન્ય તમામ ભાગો વચ્ચેના હૃદયની ખાઈને દૂર કરવાનું કામ કરી રહ્યા છીએ.
રક્ષા મંત્રીએ કહ્યું કે હું સીએમ ઓમર અબ્દુલ્લાને અભિનંદન આપું છું કે તેઓ હજુ પણ જે થોડુ અંતર અસ્તિત્વમાં છે તેને ભરવા માટે યોગ્ય પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન રાજનાથ સિંહે પાકિસ્તાની નેતા અનવારુલ હક દ્વારા ભારત વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું કે પીઓકે વિના જમ્મુ-કાશ્મીર અધૂરું છે.
આ પણ વાંચો-મહાકુંભમાં આવેલ સ્ટીવ જોબ્સના પત્ની પડ્યા બીમાર; કહ્યું- મેં આવી ભીડ ક્યારેય જોઈ નથી