મહારાષ્ટ્રના રાજકારણમાં કેમ થવા લાગી છે હલચલ? ફડણવીસ-ઉદ્ધવ વચ્ચે બંધ બારણે બેઠક

  • India
  • February 10, 2025
  • 2 Comments
  • મહારાષ્ટ્રના રાજકારણમાં કેમ થવા લાગી છે હલચલ? ફડણવીસ-ઉદ્ધવ વચ્ચે બંધ બારણે બેઠક

મહારાષ્ટ્રની ચૂંટણી પાછલા કેટલાક સમયથી સવાલોના ઘેરા છે. મહારાષ્ટ્રની ચૂંટણી દરમિયાન માત્ર પાંચ મહિનામાં 39 લાખ વોટર વધી જવાનો મુદ્દો રાહુલ ગાંધી પ્રેસ કોન્ફ્રન્સ કરીને ઉઠાવ્યો હતો. તે ઉપરાંત મહારાષ્ટ્ર ચૂંટણી દરમિયાન સાંજે 6 વાગ્યાથી સાત વાગ્યા સુધીમાં એક કલાકમાં 76 લાખ વોટિંગ થવાનો મામલો પણ હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે. આ બાબતે પણ મહારાષ્ટ્રની સત્તાધારી પાર્ટી ઉપર પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે તો બીજી તરફ ચૂંટણી પંચની વિશ્વસનિયતા ઉપર પણ આંગળીઓ ઉઠી રહી છે. 

મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી હલચલ શરુ થઈ ગઈ છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ છે. આ બંને દિગ્ગજોની મુલાકાત એટલા માટે પણ ખાસ હતી, કારણ કે દેવેન્દ્ર ફડણવીસ ખુદ રાજ ઠાકરેના ઘરે તેમને મળવા માટે પહોંચ્યા હતા.

અડધા કલાક સુધી શું થઈ વાતચીત?

આજે સવારે લગભગ 9:30 વાગ્યે ફડણવીસ રાજ ઠાકરેના નિવાસસ્થાન ‘શિવતીર્થ’ પહોંચ્યા હતા. આ મુલાકાતનું કારણ હજુ પણ રહસ્ય છે. બંને નેતાઓ વચ્ચેની આ બેઠક અડધા કલાકથી વધુ સમય સુધી ચાલી. આ દરમિયાન મનસે નેતા સંદીપ દેશપાંડે અને બાલા નંદગાંવકર પણ હાજર હતા.

ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેની નારાજગી અને તેને લગતી અન્ય રાજકીય ચર્ચાઓની પૃષ્ઠભૂમિમાં આ બેઠકને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

મુલાકાને ગણાવી ઔપચારિક

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સવારે 11:00 વાગ્યે દાદરના છત્રપતિ શિવાજી મહારાજ પાર્કમાં આયોજિત કાર્યક્રમમાં પહોંચ્યા તે પહેલાં તેમણે રાજ ઠાકરે સાથે તેમના નિવાસ સ્થાને મુલાકાત કરી હતી. ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા બાદ દેવેન્દ્ર ફડણવીસ અને રાજ ઠાકરે વચ્ચે આ પહેલી મુલાકાત છે. જોકે, આ મુલાકાતને ઔપચારિક મુલાકાત ગણાવવામાં આવી છે.

રાજ ઠાકરે સાથે મુલાકાત બાદ શું બોલ્યા દેવેન્દ્ર ફડણવીસ?

ભાજપ વિધાન પરિષદના સભ્ય પ્રસાદ લાડે જણાવ્યું કે, રાજ ઠાકરેએ સીએમ ફડણવીસને મુંબઈના દાદર વિસ્તારમાં શિવાજી પાર્ક નજીકના તેમના નિવાસસ્થાને આમંત્રણ આપ્યું હતું. આ બેઠક અંગે વધુ કોઈ માહિતી આપી નથી. જોકે, બેઠક બાદ દેવેન્દ્ર ફડણવીસે પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, આ રાજકીય મુલાકાત નહોતી.

 તાજેતરમાં જ મનસેની એક રેલીમાં રાજ ઠાકરેએ EVM પર શંકા વ્યક્ત કરી હતી. તેમણે અજિત પવારના મોટી સંખ્યામાં ધારાસભ્યો ચૂંટાવા પર પણ શંકા વ્યક્ત કરી હતી. એવી જ રીતે તેમણે ભાજપ પર પણ નિશાન સાધ્યું હતું. આ બેઠકનું ખાસ મહત્વ છે. જોકે, બંને નેતાઓ વચ્ચે શું ચર્ચા થઈ તે જાણી શકાયું નથી, પરંતુ સ્થાનિક ચૂંટણીમાં રાજ ઠાકરે અને ભાજપ એક સાથે આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો- ‘ઇન્ડીયાઝ ગોટ લેટેન્ટ’માં ગાળોની ભરમાર; નોંધાયો પોલીસ કેસ

  • Related Posts

    India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં
    • June 16, 2025

    India Census 2027: ભારત સરકારે જાહેરાત કરી છે કે દેશની આગામી વસ્તી ગણતરી(India Census) વર્ષ 2027 માં હાથ ધરવામાં આવશે. આ માટે ગૃહ મંત્રાલય દ્વારા એક સૂચના બહાર પાડવામાં આવી…

    Continue reading
    New Delhi: લીગલ રાઈટ્સ કાઉન્સિલ ઈન્ડિયાની ઐતિહાસિક બેઠક: મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન, નવા નેતૃત્વની પસંદગી
    • June 16, 2025

    New Delhi: નવી દિલ્હીના કોન્સ્ટિટ્યુશનલ ક્લબ ખાતે લીગલ રાઈટ્સ કાઉન્સિલ ઈન્ડિયાની રાષ્ટ્રીય અને રાજ્ય કાર્યકારિણીની બેઠક અત્યંત સફળતાપૂર્વક સંપન્ન થઈ. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્યામ જાજુ…

    Continue reading

    One thought on “મહારાષ્ટ્રના રાજકારણમાં કેમ થવા લાગી છે હલચલ? ફડણવીસ-ઉદ્ધવ વચ્ચે બંધ બારણે બેઠક

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Surat Airport: વિમાનના રનવે નીચે ગટર, ONGC પાઇપલાઇન, પછી શું થાય!

    • June 16, 2025
    • 2 views
    Surat Airport: વિમાનના રનવે નીચે ગટર, ONGC પાઇપલાઇન, પછી શું થાય!

    Iran-israel War: ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી ભારતને કયા પડકારોનો સામનો કરવો પડશે?

    • June 16, 2025
    • 4 views
    Iran-israel War: ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી ભારતને કયા પડકારોનો સામનો કરવો પડશે?

    India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં

    • June 16, 2025
    • 14 views
    India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં

    Surat: કુમાર છાત્રાલયની હોસ્ટેલમાં 14 વર્ષીય વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાધો, સુસાઈડ નોટમાં શું લખ્યું?

    • June 16, 2025
    • 6 views
    Surat: કુમાર છાત્રાલયની હોસ્ટેલમાં 14 વર્ષીય વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાધો, સુસાઈડ નોટમાં શું લખ્યું?

    New Delhi: લીગલ રાઈટ્સ કાઉન્સિલ ઈન્ડિયાની ઐતિહાસિક બેઠક: મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન, નવા નેતૃત્વની પસંદગી

    • June 16, 2025
    • 14 views
    New Delhi: લીગલ રાઈટ્સ કાઉન્સિલ ઈન્ડિયાની ઐતિહાસિક બેઠક: મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન, નવા નેતૃત્વની પસંદગી

    Pune Train Fire: મહારાષ્ટ્રમાં પેસેન્જર ટ્રેનમાં આગ લાગતા અફરાતફરી, આગ લાગવાનું આ કારણ આવ્યું સામે

    • June 16, 2025
    • 4 views
    Pune Train Fire: મહારાષ્ટ્રમાં પેસેન્જર ટ્રેનમાં આગ લાગતા અફરાતફરી,  આગ લાગવાનું આ કારણ આવ્યું સામે