
ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા આ દિવસોમાં ચર્ચામાં છે. છેલ્લા ઘણા દિવસોથી એવી અફવા ફેલાઈ રહી છે કે બંને જલ્દી અલગ થવા જઈ રહ્યા છે. જો કે, હજુ સુધી બંને તરફથી આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી. હવે બંનેના સંબંધમાં કેટલીક માહિતી સામે આવી છે, જેના પછી લોકો અનુમાન લગાવી રહ્યા છે કે ટૂંક સમયમાં તે અલગ થશે. ધનશ્રી વર્મા અભિનેત્રી અને કોરિયોગ્રાફર છે.
એકબીજાને કર્યા અનફોલો
ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. પરંતુ તેણે તેની પત્ની ધનશ્રીને ઈન્સ્ટાગ્રામ પરથી અનફોલો કરી દીધી છે અને તેની સાથેની તમામ તસવીરો પણ ડિલીટ કરી દીધી છે. જ્યારે ધનશ્રીએ પણ યુઝવેન્દ્રને પણ અનફોલો કરી દીધો છે. ત્યારથી, અફવાઓ ફેલાઈ રહી છે કે તેમનું લગ્ન જીવન સારું નથી ચાલી રહ્યું અને તેઓ ટૂંક સમયમાં છૂટાછેડા લઈ શકે છે.
લગ્ન 2020 માં થયા હતા
ક્રિકેટર યુઝવેન્દ્ર સિંહ અને પ્રખ્યાત કોરિયોગ્રાફર ધનશ્રી વર્માના લગ્ન 22 ડિસેમ્બર 2020ના રોજ થયા હતા. એક ઈન્ટરવ્યુમાં ધનશ્રીએ જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન તે ચહલને મળી હતી. ચહલે ડાન્સ શીખવા માટે તેના ઓનલાઈન ક્લાસમાં પ્રવેશ લીધો હતો અને તે દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.