
India Census: કેન્દ્ર સરકારે ભારતની વસ્તીગણતરી કરવાની તારીખો જાહેર કરી દીધી છે. જોકે સરકારે પહેલા કહ્યું હતુ કે જાતિગત વસ્તી ગણતરી થશે. જો કે આજે બહાર પાડેલા જાહેરનામામાં જાતિગત વસ્તી ગણતરીનો કોઈ ઉલ્લેખ જ નથી. જેથી કોંગ્રેસ પક્ષ મોદી સરકાર પર ખિજાયો છે.
કોંગ્રેસે સોમવારે દાવો કર્યો હતો કે વસ્તી ગણતરી અંગે જારી કરાયેલું જાહેરનામું ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’ જેવું છે અને તેમાં જાતિગત વસ્તી ગણતરીનો કોઈ ઉલ્લેખ નથી.
પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે 16મી વસ્તી ગણતરીમાં તેલંગાણા મોડેલ અપનાવીને, માત્ર જાતિઓની ગણતરી જ નહીં પરંતુ જાતિવાર સામાજિક અને આર્થિક સ્થિતિ સંબંધિત વિગતવાર માહિતી પણ એકત્રિત કરવી જોઈએ.
સરકારે સોમવારે ભારતની 16મી વસ્તી ગણતરી 2027 માં જાતિગત વસ્તી ગણતરી સાથે કરવા માટે એક જાહેરનામું બહાર પાડ્યું હતું. છેલ્લી આવી વસ્તી ગણતરી 2011 માં હાથ ધરવામાં આવી હતી.
સૂચનામાં કહેવામાં આવ્યું છે કે લદ્દાખ જેવા બરફથી ઢંકાયેલા વિસ્તારોમાં 1 ઓક્ટોબર, 2026 થી અને દેશના બાકીના ભાગોમાં 1 માર્ચ, 2027 થી વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે.
જયરામ રમેશે ‘X’ પર પોસ્ટ કર્યું, “લાંબી રાહ જોયા પછી, ખૂબ જ 16મી વસ્તી ગણતરી કરવાની આખરે જારી કરવામાં આવી છે. પરંતુ તે ‘ખોદે પહાડ અને નીકળે ઉંદર’ જેવું છે. કારણ કે તે ફક્ત 30 એપ્રિલ 2025 ના રોજ પહેલાથી જ જાહેર કરાયેલી બાબતોનું પુનરાવર્તન કરે છે.”
તેમણે કહ્યું કે વાસ્તવિકતા એ છે કે કોંગ્રેસની સતત માંગ અને દબાણને કારણે, વડાપ્રધાનને જાતિ ગણતરી સાથે વસ્તી ગણતરી કરવાના મુદ્દા પર નમવું પડ્યું હતુ. જોકે હાલ જાતિગત વસ્તી ગણતરીનો કોઈ ઉલ્લેખ નથી.
જયરામ રમેશના મતે, આજના ગેઝેટ નોટિફિકેશનમાં જાતિગત વસ્તી ગણતરીનો કોઈ ઉલ્લેખ નથી. તેમણે પૂછ્યું, “શું આ એ જ યુ-ટર્ન છે જેના માટે વડાપ્રધાન મોદીએ પોતાની છાપ છોડી છે? કે પછી તેની વિગતો પછીથી જાહેર કરવામાં આવશે?”
રમેશે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “કોંગ્રેસનો સ્પષ્ટ મત છે કે 16મી વસ્તી ગણતરીમાં તેલંગાણા મોડેલ અપનાવવું જોઈએ. એટલે કે, ફક્ત જાતિઓની ગણતરી જ નહીં પરંતુ જાતિવાર સામાજિક અને આર્થિક સ્થિતિ સંબંધિત વિગતવાર માહિતી પણ એકત્રિત કરવી જોઈએ.”
તેમણે કહ્યું, “તેલંગાણાના જાતિ સર્વેક્ષણમાં 56 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. હવે પ્રશ્ન એ છે કે, શું 56 ઇંચની છાતી ધરાવતો ‘બિન-જૈવિક’ વ્યક્તિ 16મી વસ્તી ગણતરીમાં પણ 56 પ્રશ્નો પૂછી શકે તેટલી સમજ અને હિંમત ધરાવે છે?”
આ પણ વાંચો:
India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં
India Census: ભારતમાં વસ્તીગણતરીની તારીખ જાહેર, આ તારીખથી થશે ગણતરી ચાલુ!
શું તુલસી ગબાર્ડે “ભારતનું ચૂંટણી પંચ EVM સુરક્ષિત હોવાના દાવા” પોકળ સાબિત કર્યાં?
અમેરિકાના પૈસે ભારતમાં મતદાનનો મુદ્દો વકર્યો; PM મોદીના સલાહકારે કહ્યું, સૌથી મોટું કૌભાંડ
Kadi-Visavadar પેટાચૂંટણી માટે ભાજપ- કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા, જુઓ કોણ છે ઉમેદવારો?
Kadi Assembly By-Election: AAPના કેટલાક કાર્યકરો પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીમાં જોડાયા!
ઈટાલિયાએ તાક્યુ ભાજપ પર નિશાન: કહ્યું ‘ભાજપના માણસો ગઝનવીના વારસદારો’, વિસાવદર બચાવી લો | Visavadar
Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!
Surat Airport: સુરતમાં ગટર પરથી વિમાન ઉડે છે, પછી શું થાય!
Ahmedabad plane crash: બીજું બ્લેક બોક્સ મળ્યું, તપાસ સમિતિની પ્રથમ બેઠક આજે
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….