Paresh Rawal: 25 કરોડની નોટિસ, ભારે હોબાળો, છતાં પરેશ રાવલ હેરા ફેરી-3માં કામ કરવા કેમ તૈયાર થયા?

  • Famous
  • June 30, 2025
  • 0 Comments

  Paresh Rawal:  ‘હેરા ફેરી’ ફિલ્મ ફ્રેન્ચાઇઝમાં પરેશ રાવલનું બાબુ ભૈયાનું પાત્ર આઇકોનિક છે. જોકે, જ્યારે ભાજપના પૂર્વ સાંસદ અને અભિનેતા પરેશ રાવલે ‘હેરા ફેરી 3’ છોડી દીધી ત્યારે ચાહકો હતાશ થઈ ગયા હતા. લોકોને હતુ કે હવે પરેશ રાવલ હેરા ફેરી 3 ફિલ્મમાં નહીં જોવા મળે. કારણ કે પરશે રાવલે ફિલ્મ સાઈન કર્યા પછી ફિલ્મમાં કામ કરવાની પાડી દીધી હતી. જેથી અક્ષય કુમારે 25 કરોડની વસૂલાતની નોટીસ ફટકારી હતી. જોકે હવે જાણવા મળી રહ્યું છે કે વિવાદ ઉકેલાઈ ગયો છે અને પરેશ રાવલ ‘હેરા ફેરી 3’માં કામ કરવા તૈયાર થઈ ગયા છે.

પરેશ રાવલે પોતે પુષ્ટિ આપી છે કે ગમે તે સમસ્યાઓ હોય, ગમે તે વિવાદ હોય, બધું બરાબર છે અને તે પાછા ફિલ્મમાં કામ કરશે. ‘ધ હિમાંશુ મહેતા શો’ નામની યુટ્યુબ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં પરેશ રાવલને પૂછવામાં આવ્યું કે શું કોઈ વિવાદ હતો? આના પર તેમણે કહ્યું, “કોઈ વિવાદ નથી. મારો મુદ્દો એ છે કે જ્યારે કોઈ વસ્તુ ઘણા લોકોને આકર્ષિત કરે છે, ત્યારે તમારે વધુ કાળજી લેવાની જરૂર છે.”

ફિલ્મોમાં પાછા ફરવા પર પરેશ રાવલે શું કહ્યું?

તેમણે આગળ કહ્યું, “દર્શકો પ્રત્યે આપણી જવાબદારી છે કારણ કે પ્રેક્ષકો અહીં બેઠા છે અને અમને ખૂબ પ્રેમ કરે છે. તમે વસ્તુઓને હળવાશથી ન લઈ શકો. સખત મહેનત કરીને તેમને તમારો હક આપો. તેથી મારી ઈચ્છા છે કે બધા એક સાથે આવે, બધાએ સખત મહેનત કરવી જોઈએ, બીજું કંઈ નહીં.”

જ્યારે પરેશ રાવલને પૂછવામાં આવ્યું કે શું તેઓ પાછા ફિલ્મ હેરાફેરી 3માં આવવાના છે, ત્યારે તેમણે કહ્યું, “આપણે પણ વહેલા પાછા આવવાના હતા, પરંતુ વાત એ છે કે એકબીજાને થોડું ફાઇન ટ્યુન કરવું જરૂરી છે. સૌ પ્રથમ દરેક વ્યક્તિ સર્જનાત્મક વ્યક્તિ છે. પ્રિયદર્શન, અક્ષય કે સુનીલ, બધા વર્ષોથી મિત્રો છે.”

શું હતો વિવાદ?

પરેશ રાવલે ફિલ્મ છોડી દીધા પછી અક્ષય કુમારની કંપની કેપ ગુડ ફિલ્મ્સે પરેશ રાવલને 25 કરોડ રૂપિયાની માંગણી કરતી કાનૂની નોટિસ મોકલી હતી. આના પર પરેશ રાવલે કહ્યું હતુ કે જ્યારે ફિલ્મની સ્ક્રિપ્ટ હજુ તૈયાર નથી, તો વળતરનો પ્રશ્ન જ ઉભો થતો નથી. પરેશ રાવલે તેમને સાઇનિંગ અમાઉન્ટ તરીકે મળેલા 11 લાખ રૂપિયા વ્યાજ સહિત પરત કરી દીધા હતા. આ મામલે ઘણો હોબાળો થઈ ગયો હતો.

પરેશ રાવલના વકીલે કહ્યું કે તેમના અસીલે ફિલ્મ છોડી દીધી છે કારણ કે તેમને હજુ સુધી સ્ક્રિપ્ટ અને કરારનો ડ્રાફ્ટ જેવી મૂળભૂત બાબતો મળી નથી. જોકે હવે વિવાદ ગમે તે હોય પણ ‘હેરા ફેરી 3’ ની રાહ જોનારા બધા ચાહકોને હેરા ફેરી 3 ફિલ્મમાં પરેશ રાવલ ફરી એકવાર બાબુ રાવની ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચો:

 

Related Posts

Harsukh Patel: ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર હરસુખ પટેલ અવસાન બાદ વિક્રમ ઠાકોરે શું લખ્યું?
  • June 30, 2025

Harsukh Patel passes away: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ એક મોટા ફિલ્મ ફિલ્મ ડિરેક્ટર ગુમાવ્યા છે. પ્રખ્યાત ગુજરાતી ફિહરસુખભાઈ કાનજીભાઈ પટેલ (ધડુક)નું 29 જૂન, 2025ના રોજ હાર્ટ એટેકને કારણે કરુણ અવસાન થયું…

Continue reading
ગુજરાતી ફિલ્મ ‘સંઘવી એન્ડ સન્સ’નું ઓફિશિયલ ટ્રેલર લોન્ચ, દર્શકોની આતૂરતાનો અંત | Sanghvi & Sons
  • June 24, 2025

Sanghvi & Sons: ગુજરાતી સિનેમાના ચાહકો માટે ખુશખબર! બહુપ્રતીક્ષિત ગુજરાતી ફિલ્મ ‘સંઘવી એન્ડ સન્સ’નું ઓફિશિયલ ટ્રેલર 23 જૂન 2025ના રોજ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ટ્રેલરે દર્શકોમાં ફિલ્મની રોમાંચક કથા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

 Vadodara: શાળાઓમાં RSS વિચારધારાનો પ્રચાર કરતી નોટબુકોનું વિતરણ, શિક્ષણનું ભગવાકરણ?

  • June 30, 2025
  • 3 views
 Vadodara: શાળાઓમાં RSS વિચારધારાનો પ્રચાર કરતી નોટબુકોનું વિતરણ, શિક્ષણનું ભગવાકરણ?

Harsukh Patel: ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર હરસુખ પટેલ અવસાન બાદ વિક્રમ ઠાકોરે શું લખ્યું?

  • June 30, 2025
  • 9 views
Harsukh Patel: ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર હરસુખ પટેલ અવસાન બાદ વિક્રમ ઠાકોરે શું લખ્યું?

સુપ્રીમ કોર્ટે લલિત મોદીને આપ્યો ઝટકો: BCCI ને ચૂકવવી પડશે મોટી રકમ, શું છે ષડયંત્ર?

  • June 30, 2025
  • 14 views
સુપ્રીમ કોર્ટે લલિત મોદીને આપ્યો ઝટકો: BCCI ને ચૂકવવી પડશે મોટી રકમ, શું છે ષડયંત્ર?

Sabarkantha: પ્રાંતિજ હાઈવે પર ત્રિપલ અકસ્માત, બે ટ્રક વચ્ચે સ્કોર્પિયોનું પડીકું થઈ ગયું

  • June 30, 2025
  • 8 views
Sabarkantha: પ્રાંતિજ હાઈવે પર ત્રિપલ અકસ્માત, બે ટ્રક વચ્ચે સ્કોર્પિયોનું પડીકું થઈ ગયું

 T. Raja Singh: કટ્ટર હિન્દુ નેતા ટી. રાજા સિંહ કોણ છે? જેમણે ભાજપમાંથી રાજીનામું આપતા મચ્યો ખળભળાટ!

  • June 30, 2025
  • 34 views
 T. Raja Singh: કટ્ટર હિન્દુ નેતા ટી. રાજા સિંહ કોણ છે? જેમણે ભાજપમાંથી રાજીનામું આપતા મચ્યો ખળભળાટ!

Gujarat politics: CR પાટીલએ તો ઉપાડો લીધો હતો, દમ હોય તો હવે આવી જાવ મોરેમોરો ના મારી દવ તો… : ગોપાલ ઈટાલિયા

  • June 30, 2025
  • 19 views
Gujarat politics: CR પાટીલએ તો ઉપાડો લીધો હતો, દમ હોય તો હવે આવી જાવ મોરેમોરો ના મારી દવ તો… : ગોપાલ ઈટાલિયા