ટ્રમ્પના નિવેદનથી ફાર્મા સેક્ટરમાં ભૂકંપ; શેરમાર્કેટમાં થશે નકારાત્મક અસર

  • World
  • February 23, 2025
  • 0 Comments
  • ટ્રમ્પના નિવેદનથી ફાર્મા સેક્ટરમાં ભૂકંપ; શેરમાર્કેટમાં થશે નકારાત્મક અસર

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ વોર અને આકરી બિઝનેસ નીતિઓથી વિશ્વના અન્ય દેશોમાં ટ્રેડવોરનો ભય ઊભો કર્યો છે. રેસિપ્રોકલ ટેરિફ લાદ્યા બાદ ફાર્મા કંપનીઓ પર એક નવો નિર્ણય લીધો છે. ટ્રમ્પે ફાર્મા કંપનીઓને અમેરિકામાં દવાની આયાત પર લાગુ ઊંચા ટેરિફથી બચવા માટે પોતાના મેન્યુફેક્ચરિંગ યુનિટ અમેરિકામાં શિફ્ટ કરવાની સલાહ આપી છે. ટ્રમ્પના આ નિર્ણયથી દેશની કુલ ફાર્મા નિકાસમાં 31 ટકાથી વધુ નિકાસ અમેરિકામાં કરતી ફાર્મા કંપનીઓને મોટું નુકસાન થઈ શકે છે.

ભારતને મોટુ નુકસાન થવાની ભીતિ

અમેરિકાના ફાર્મા લીડર્સ દવાની કિંમત નક્કી કરતાં નિયમોને સરળ બનાવવાની માગ કરી રહ્યા છે, એવામાં ભારતીય ફાર્મા કંપનીઓ નિકાસ પર ઊંચા ટેરિફથી બચવા દ્વિપક્ષીય ચર્ચાઓ પર વિશ્વાસ કરી રહી છે. ભારતે 2023-24માં અમેરિકામાં ફાર્મા ક્ષેત્રે 27.9 અબજ ડોલરની નિકાસ કરી હતી. જે તેની કુલ ફાર્મા નિકાસના 31 ટકા છે. અમેરિકામાં 50 ટકાથી વધુ જેનરિક દવાઓની માગ ભારત પૂરી કરે છે. એવામાં ટ્રમ્પના ટેરિફ ટેન્શન તથા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપિત કરવાની સલાહ ભારતીય ફાર્મા કંપનીઓ માટે સંકટના વાદળો ઉભા કરી શકે છે.

આ પણ વાંચો-મિત્ર ટ્રમ્પ કેમ બન્યો દુશ્મન? હવે કહ્યું- ભારત ઉઠાવે છે આપણો ફાયદો-મદદ કરવાની જરૂરત નથી

અમેરિકન કંપનીઓએ કરી અપીલ

વ્હાઈટ હાઉસની એક બેઠકમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફાઈઝર, એલી લીલી અને મર્કના ટોચના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. તેઓએ ટ્રમ્પને દવાની કિંમતોમાં સરકારનો હસ્તક્ષેપનો નિયમ પાછો ખેંચવા અપીલ કરી હતી. ફાર્મા ઈન્ડસ્ટ્રીનું માનવુ છે કે, વર્તમાન પોલિસીથી ફાર્માના વિકાસ પ્રોત્સાહનમાં બદલાવ આવશે, દવાઓ મોંઘી બનશે. જો કે, ટ્રમ્પે આ નિયમ પાછો ખેંચવાનો ઈનકાર કર્યો હતો. તેમણે નિવેદન આપ્યું કે, અમેરિકામાં અન્ય દેશોની તુલનાએ દવાઓની કિંમત ઊંચી છે.

ટેરિફના નિર્ણયથી દવાઓ મોંઘી થશે

જો ટ્રમ્પ ઊંચો ટેરિફ વસૂલવાની વાત પર અડગ રહ્યા તો ભારતમાંથી નિકાસ થતી દવાની કિંમત અમેરિકામાં વધી જશે. સિસ્ટમેટિક્સ ઈન્સ્ટીટ્યૂશનલ ઈક્વિટીઝના એનાલિસ્ટ વિશાલ મનચંદાનીએ જણાવ્યું કે, આ નિર્ણય મોંઘવારીમાં વધારો કરશે, કારણકે, અમેરિકામાં ભારત મોટાપાયે દવાઓનો પુરવઠો પૂરો પાડે છે. તેમની પાસે આવશ્યક મેન્યુફેક્ચરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી. ઊંચા ટેરિફના કારણે દવાઓની કિંમતમાં વધારો થશે. ટેરિફ ઉપરાંત દવાઓની કિંમત નક્કી કરવામાં અમેરિકાની સરકાર હસ્તક્ષેપ કરશે તો ફાર્મા કંપનીઓને નુકસાન થઈ શકે છે. ટ્રમ્પનું ફાર્મા ક્ષેત્રે વલણ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી લિસ્ટેડ ભારતીય ફાર્મા કંપનીઓના શેર્સમાં અફરાતફરી જોવા મળી શકે છે.

આ પણ વાંચો-દેશભરમાં ફેલાયેલું છે મહિલાઓના અંગત વીડિયો વેચવાનું નેટવર્ક; જાણો કેવી રીતે ચાલે છે સોફ્ટ પોર્નનો ધંધો

Related Posts

War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા
  • March 22, 2026

War Update: ઈરાન યુદ્ધના આટલા દિવસોમાં તા.22 માર્ચના રોજ ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પહેલીવાર કબુલ્યું છે કે ‘આજે અમારા માટે અત્યંત મુશ્કેલ સાંજ છે.’ 21 માર્ચની રાત્રે ઈરાને ઇઝરાયલ પર…

Continue reading
Pakistan News: પાકિસ્તાનમાં લશ્કર કમાન્ડરની હત્યા, ભારતે જ્યાં હુમલો કર્યો હતો તે જ સ્થળે મૃત હાલતમાં મળ્યો!
  • March 22, 2026

Pakistan News: ભારતીય ધરતી પર હિંસા ફેલાવતા આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના કમાન્ડરને પાકિસ્તાનમાં ઠાર મારવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, શનિવારે ઈદની નમાજ પછી લશ્કર કમાન્ડર બિલાલ આરિફ સલાફીની ચાકુ માર્યા બાદ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

  • March 23, 2026
  • 2 views
Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 23, 2026
  • 9 views
UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

  • March 23, 2026
  • 8 views
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

  • March 23, 2026
  • 10 views
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

  • March 23, 2026
  • 11 views
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ

  • March 23, 2026
  • 16 views
Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ