Narendra Modi: ભારત પર 500 % ટેરિફ લાદવાની ધમકી આપનાર ટ્રમ્પના સૂર અચાનક કેમ બદલાયા? જાણો

  • India
  • February 4, 2026
  • 0 Comments

Narendra Modi: અમેરિકાએ ભારતને ટેરિફ રાહત આપી છે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ભારત પર ૫૦% ટેરિફ માંથી ઘટાડીને ૧૮% કર્યો છે,ઉલ્લેખનીય છે કે યુએસ કોંગ્રેસમેન લિન્ડસે ગ્રેહામ પણ ભારત સામે ૫૦૦% ટેરિફ લાદવાની હિમાયત કરી રહ્યા હતા. પરંતુ હવે, તેઓ પણ ભારતની પ્રશંસા કરી રહ્યા છે.

ગ્રેહામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે રશિયા પાસેથી તેલ ખરીદનારા દેશો પર અમેરિકા દ્વારા આર્થિક દબાણની નીતિ હવે પરિણામો બતાવી રહી છે. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની વ્યૂહરચનાની પ્રશંસા કરતા કહ્યું કે ભારતના પગલાં સ્પષ્ટપણે દર્શાવે છે કે આ નીતિ કામ કરી રહી છે. સેનેટર ગ્રેહામના મતે, ભારતના વર્તનથી સાબિત થયું છે કે તે ટેરિફ ઘટાડાને પાત્ર છે. તેમણે આશા વ્યક્ત કરી કે અન્ય મુખ્ય રશિયન તેલ ખરીદદારો પણ ભારતના નેતૃત્વને અનુસરશે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન જ્યાં સુધી રશિયા પર દબાણ ખૂબ તીવ્ર ન બને ત્યાં સુધી વાટાઘાટો નહીં કરે.

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમેરિકા અને ભારત વચ્ચે વેપાર કરાર થઈ ગયો છે. આ કરાર હેઠળ, અમેરિકાએ ભારત પરનો પારસ્પરિક ટેરિફ 25 ટકાથી ઘટાડીને 18 ટકા કર્યો છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે આ નિર્ણય મિત્રતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યેના આદરથી લેવામાં આવ્યો છે. પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં, ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમણે વડા પ્રધાન મોદી સાથે ફોન પર વાત કરી હતી, જેમાં વેપાર અને રશિયા-યુક્રેન યુદ્ધ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ભારત રશિયન તેલ ખરીદવાનું બંધ કરવા અને અમેરિકા પાસેથી વધુ ઊર્જા ખરીદવા સંમત થયું છે આ પહેલા ટ્રમ્પ દ્વારા પણ ભારત સાથેની ડિલ અને ટેરીફ ઘટાડાની જાહેરાત કરાઈ હતી.

■ રાહુલે કહ્યું,મોદી ટ્રમ્પના દબાણમાં આવી ગયા છે,આ ડિલથી ભારતીય ખેડૂતોને નુકશાન થશે.

જોકે,વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે મોદીજીએ અમેરિકાના દબાણ હેઠળ આવીને ‘સમાધાન’ કરી લીધું છે અને આ ડિલથી ભારતના ખેડૂતોને નુકશાન થશે,વિપક્ષના આ નિવેદન પાછળનું મુખ્ય કારણ અમેરિકાના કૃષિ મંત્રી (US Agriculture Secretary) બ્રુક રોલિન્સે કરેલું નિવેદન છે,રોલિન્સે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે, “આ ડીલથી અમેરિકન ખેડૂતોના ઉત્પાદનો હવે ભારતીય બજારમાં વેચાશે અને અમેરિકાના ગામડાઓમાં પૈસો આવશે.”

આ નિવેદનને ટાંકીને કોંગ્રેસે દલીલ કરી છે કે હવે ભારતીય ખેડૂતોએ પોતાના જ દેશમાં અમેરિકન ઉત્પાદનો સાથે સ્પર્ધા કરવી પડશે, જેનાથી તેમને મોટું આર્થિક નુકસાન થશે. પાર્ટીનો આરોપ છે કે મોદી સરકારે ભારતીય ખેડૂતોના હિતોને નેવે મૂકીને અમેરિકન ખેડૂતોને ફાયદો કરાવવા માટે આ પગલું ભર્યું છે,અને તેથી જ જે લોકો ભારત ઉપર 500 ટકા ટેરીફ લગાડવાની વાત કરતા હતા તેઓ રાતોરાત બદલાઈ ગયા છે.

બીજી તરફ રાહુલ ગાંધીના આ નિવેદન બાદ વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે ‘રાહુલ દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે’ અમેરિકા સાથેની ટ્રેડ ડીલથી દેશને ફાયદો થશે. દેશ-વિદેશમાં તેની પ્રશંસા થઈ રહી છે. કૃષિ-ડેરી ક્ષેત્રને સંરક્ષિત રાખવામાં આવશે.

■ પહેલા ટ્રમ્પે જાહેરાત કરી બાદમાં PM મોદીએ ટ્રમ્પનો આભાર માન્યો

ભારત ઉપર ટેરીફ ઘટાડાની સૌ પ્રથમ ટ્રમ્પે જાહેરાત કરી ત્યારબાદ મોદીજીએ આભાર વ્યક્ત કર્યો,PM મોદીએ લખ્યું- મને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરીને ખૂબ આનંદ થયો. એ જાણીને ખૂબ સંતોષ થયો કે હવે મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર ટેરિફ ઘટાડીને 18% કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણય માટે ભારતના 1.4 અબજ લોકો વતી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો હૃદયપૂર્વક આભાર,આમ,ભારત ઉપર અચાનક ટેરીફ ઘટાડવા ટ્રમ્પ કેમ રાજી થઈ ગયા તે મુદ્દે દેશભરમાં ભારે ચર્ચા ઉઠી છે.


આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત
  • June 16, 2026

Chhattisgarh School Prayer: છત્તીસગઢની શાળાઓમાં હવે પુસ્તકો કરતા પૂજાપાઠનું મહત્વ વધી ગયું હોય તેવું લાગી રહ્યું છે. રાજ્ય સરકારે તાજેતરમાં એક એવો આદેશ બહાર પાડ્યો છે જેણે શિક્ષણ જગતમાં ભારે વિવાદ…

Continue reading
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’
  • June 16, 2026

Akal Takht Bhagwant Mann: પંજાબના રાજકીય ઇતિહાસમાં આ એક એવો વળાંક છે જેણે રાજ્યના શાસન અને ધર્મ વચ્ચેની પાતળી રેખાને સંપૂર્ણપણે ભૂંસી નાખી છે. અકાલ તખ્ત દ્વારા મુખ્યમંત્રી ભગવંત માનને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

  • June 16, 2026
  • 1 views
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 7 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

  • June 16, 2026
  • 10 views
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

  • June 16, 2026
  • 10 views
Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

  • June 16, 2026
  • 6 views
BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

India Soft Power Paradox: કોવેક્સિન, યુપીઆઈ અને ચંદ્રયાનની સફળતા છતાં વૈશ્વિક સાયન્સ સોફ્ટ પાવરમાં ભારતને યોગ્ય સ્થાન કેમ નથી મળતું?

  • June 16, 2026
  • 7 views
India Soft Power Paradox: કોવેક્સિન, યુપીઆઈ અને ચંદ્રયાનની સફળતા છતાં વૈશ્વિક સાયન્સ સોફ્ટ પાવરમાં ભારતને યોગ્ય સ્થાન કેમ નથી મળતું?