Narendra Modi: ભારત પર 500 % ટેરિફ લાદવાની ધમકી આપનાર ટ્રમ્પના સૂર અચાનક કેમ બદલાયા? જાણો

  • India
  • February 4, 2026
  • 0 Comments

Narendra Modi: અમેરિકાએ ભારતને ટેરિફ રાહત આપી છે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ભારત પર ૫૦% ટેરિફ માંથી ઘટાડીને ૧૮% કર્યો છે,ઉલ્લેખનીય છે કે યુએસ કોંગ્રેસમેન લિન્ડસે ગ્રેહામ પણ ભારત સામે ૫૦૦% ટેરિફ લાદવાની હિમાયત કરી રહ્યા હતા. પરંતુ હવે, તેઓ પણ ભારતની પ્રશંસા કરી રહ્યા છે.

ગ્રેહામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે રશિયા પાસેથી તેલ ખરીદનારા દેશો પર અમેરિકા દ્વારા આર્થિક દબાણની નીતિ હવે પરિણામો બતાવી રહી છે. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની વ્યૂહરચનાની પ્રશંસા કરતા કહ્યું કે ભારતના પગલાં સ્પષ્ટપણે દર્શાવે છે કે આ નીતિ કામ કરી રહી છે. સેનેટર ગ્રેહામના મતે, ભારતના વર્તનથી સાબિત થયું છે કે તે ટેરિફ ઘટાડાને પાત્ર છે. તેમણે આશા વ્યક્ત કરી કે અન્ય મુખ્ય રશિયન તેલ ખરીદદારો પણ ભારતના નેતૃત્વને અનુસરશે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન જ્યાં સુધી રશિયા પર દબાણ ખૂબ તીવ્ર ન બને ત્યાં સુધી વાટાઘાટો નહીં કરે.

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમેરિકા અને ભારત વચ્ચે વેપાર કરાર થઈ ગયો છે. આ કરાર હેઠળ, અમેરિકાએ ભારત પરનો પારસ્પરિક ટેરિફ 25 ટકાથી ઘટાડીને 18 ટકા કર્યો છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે આ નિર્ણય મિત્રતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યેના આદરથી લેવામાં આવ્યો છે. પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં, ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમણે વડા પ્રધાન મોદી સાથે ફોન પર વાત કરી હતી, જેમાં વેપાર અને રશિયા-યુક્રેન યુદ્ધ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ભારત રશિયન તેલ ખરીદવાનું બંધ કરવા અને અમેરિકા પાસેથી વધુ ઊર્જા ખરીદવા સંમત થયું છે આ પહેલા ટ્રમ્પ દ્વારા પણ ભારત સાથેની ડિલ અને ટેરીફ ઘટાડાની જાહેરાત કરાઈ હતી.

■ રાહુલે કહ્યું,મોદી ટ્રમ્પના દબાણમાં આવી ગયા છે,આ ડિલથી ભારતીય ખેડૂતોને નુકશાન થશે.

જોકે,વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે મોદીજીએ અમેરિકાના દબાણ હેઠળ આવીને ‘સમાધાન’ કરી લીધું છે અને આ ડિલથી ભારતના ખેડૂતોને નુકશાન થશે,વિપક્ષના આ નિવેદન પાછળનું મુખ્ય કારણ અમેરિકાના કૃષિ મંત્રી (US Agriculture Secretary) બ્રુક રોલિન્સે કરેલું નિવેદન છે,રોલિન્સે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે, “આ ડીલથી અમેરિકન ખેડૂતોના ઉત્પાદનો હવે ભારતીય બજારમાં વેચાશે અને અમેરિકાના ગામડાઓમાં પૈસો આવશે.”

આ નિવેદનને ટાંકીને કોંગ્રેસે દલીલ કરી છે કે હવે ભારતીય ખેડૂતોએ પોતાના જ દેશમાં અમેરિકન ઉત્પાદનો સાથે સ્પર્ધા કરવી પડશે, જેનાથી તેમને મોટું આર્થિક નુકસાન થશે. પાર્ટીનો આરોપ છે કે મોદી સરકારે ભારતીય ખેડૂતોના હિતોને નેવે મૂકીને અમેરિકન ખેડૂતોને ફાયદો કરાવવા માટે આ પગલું ભર્યું છે,અને તેથી જ જે લોકો ભારત ઉપર 500 ટકા ટેરીફ લગાડવાની વાત કરતા હતા તેઓ રાતોરાત બદલાઈ ગયા છે.

બીજી તરફ રાહુલ ગાંધીના આ નિવેદન બાદ વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે ‘રાહુલ દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે’ અમેરિકા સાથેની ટ્રેડ ડીલથી દેશને ફાયદો થશે. દેશ-વિદેશમાં તેની પ્રશંસા થઈ રહી છે. કૃષિ-ડેરી ક્ષેત્રને સંરક્ષિત રાખવામાં આવશે.

■ પહેલા ટ્રમ્પે જાહેરાત કરી બાદમાં PM મોદીએ ટ્રમ્પનો આભાર માન્યો

ભારત ઉપર ટેરીફ ઘટાડાની સૌ પ્રથમ ટ્રમ્પે જાહેરાત કરી ત્યારબાદ મોદીજીએ આભાર વ્યક્ત કર્યો,PM મોદીએ લખ્યું- મને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરીને ખૂબ આનંદ થયો. એ જાણીને ખૂબ સંતોષ થયો કે હવે મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર ટેરિફ ઘટાડીને 18% કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણય માટે ભારતના 1.4 અબજ લોકો વતી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો હૃદયપૂર્વક આભાર,આમ,ભારત ઉપર અચાનક ટેરીફ ઘટાડવા ટ્રમ્પ કેમ રાજી થઈ ગયા તે મુદ્દે દેશભરમાં ભારે ચર્ચા ઉઠી છે.


આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા
  • May 11, 2026

Rahul Gandhi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં તેલંગાણાના હૈદરાબાદ અને સિકંદરાબાદમાં આયોજિત જનસભાઓ દરમિયાન દેશવાસીઓને એક વર્ષ સુધી સોનું ન ખરીદવા માટે નમ્ર વિનંતી કરી છે. પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકા…

Continue reading
INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર
  • May 11, 2026

INDIA bloc controversy: પશ્ચિમ બંગાળના રાજકારણમાં દોઢ દાયકા સુધી એકહથ્થુ શાસન ભોગવ્યા બાદ, ભારતીય જનતા પાર્ટી સામે સત્તા ગુમાવતા જ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના વડા મમતા બેનર્જીના સૂર બદલાયા છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા

  • May 11, 2026
  • 2 views
Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા

INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

  • May 11, 2026
  • 3 views
INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

  • May 11, 2026
  • 8 views
Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

  • May 10, 2026
  • 10 views
Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

  • May 10, 2026
  • 9 views
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

  • May 10, 2026
  • 12 views
Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી