પરસેવાથી લથપથ થવા તૈયાર થઈ જાઓ; ગરમીને લઈને હવામાન વિભાગે કરી મોટી જાહેરાત

  • Gujarat
  • February 24, 2025
  • 0 Comments
  • પરસેવાથી લથપથ થવા તૈયાર થઈ જાઓ; ગરમીને લઈને હવામાન વિભાગે કરી મોટી જાહેરાત

રાજ્યના શહેરોમાં ફેબ્રુઆરી મહિનાથી જ ગરમીનો અહેસાસ થવાનો શરૂ થઈ ગયો છે. તો ગ્રામીણ વિસ્તારમાં પણ બપોરના સમયે પંખા ચાલું કરવા પડી રહ્યાં છે, પરંતુ રાત્રે ગ્રામીણ વિસ્તારમાં ઠંડીનો ચમકારો અનુભવાય છે. પરંતુ શહેરોમાં ગરમી શરૂ થઈ ગઈ છે.

આગામી સમયમાં પરસેવોવાળી દે તેવી ગરમીની હવામાન વિભાગે આગાહી કરી દીધી છે. ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગરમીનો પારો ઉચકાઈ જશે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમી અને બફારા સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગ અનુસાર, શિવરાત્રિના દિવસે એટલે કે 26 ફેબ્રુઆરીએ સોમનાથ તથા જૂનાગઢમાં યોજાનારા ભવ્ય મેળામાં લોકોએ ગરમીમાં શેકાવું પડશે. રાજકોટમાં છેલ્લા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર નોંધાયો છે. હજુ પણ આગામી સાત દિવસ વાતાવરણમાં બફારા સાથે ગરમી યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને બફારા સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો-Mahakumbh 2025: શ્રધ્ધાળુઓ ખુલ્લામાં શૌચ કરવા મજબૂર, NGTએ યુપી સરકાર પાસેથી જવાબ માંગ્યો

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર, ગુજરાત રાજ્ય પર હાલમાં ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશા તરફથી પવનો આવી રહ્યા છે. આ પવનો શુષ્ક રહેવાને કારણે ગરમીનું પ્રમાણ વધ્યું છે. બીજી તરફ અરબ સાગરના ભેજને કારણે દરિયાકાંઠાના વિસ્તારમાં બફારાનો અનુભવ થશે.

આગામી 24 કલાક ગુજરાતનું મહત્તમ તાપમાન યથાવત રહેશે ત્યાર બાદ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. લઘુતમ તાપમાન આગામી ત્રણ દિવસ દરમિયાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે, એટલે કે ગુજરાતમાં હવે શિયાળાની અસર વર્તાય એની શક્યતા જણાતી નથી.

રાજ્યના વિવિધ વિસ્તારોમાં 35 ડિગ્રીથી લઈને 37.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વર્તમાન સમયમાં અનુભવાઈ રહ્યું છે. જેમાં શિવરાત્રી પછી બે-ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે. તેથી ગુજરાતમાં સામાન્ય રીતે 40 ડિગ્રી ઉપર ગરમી પહોંચી જશે. તેથી હવે આગામી સમયમાં પરસેવો પાડવા માટે તૈયાર થઈ જશે.

આ પણ વાંચો-Mahakumbh 2025: શ્રધ્ધાળુઓ ખુલ્લામાં શૌચ કરવા મજબૂર, NGTએ યુપી સરકાર પાસેથી જવાબ માંગ્યો

Related Posts

Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા
  • October 29, 2025

Bhavnagar Bridges Collapsed: ગુજરાતમાં સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેથી જગતના તાત ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલો પાક ધોવાઈ ગયો છે.  મગફળી, ડાગર, ડુંગળી જેવા પાકને ભારે નુકસાન થતાં ખેડૂતોને…

Continue reading
 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી
  • October 29, 2025

Gujarat Heavy Rain Forecast: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે આ સ્થિતિમાં ખેડૂતોને નુકશાન થયું છે ત્યારે હજુપણ વરસાદની સ્થિતિ યથાવત રહે તેવી હવામાન વિભાગની આગાહી છે. આજે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

  • October 29, 2025
  • 5 views
Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા

  • October 29, 2025
  • 16 views
Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા

IND vs AUS T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ટક્કર,ભારતની પ્લેઈંગ ઈલેવન ઉપર સૌની નજર

  • October 29, 2025
  • 8 views
IND vs AUS T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ટક્કર,ભારતની પ્લેઈંગ ઈલેવન ઉપર સૌની નજર

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

  • October 29, 2025
  • 19 views
 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

OIC એ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર!, કહ્યું”જમ્મુ-કાશ્મીર પર ભારતનો ગેરકાયદે કબ્જો!”

  • October 29, 2025
  • 9 views
OIC એ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર!, કહ્યું”જમ્મુ-કાશ્મીર પર ભારતનો ગેરકાયદે કબ્જો!”

Cyclone Montha Hits Andhra Coast: ચક્રવાત મોન્થા 110ની સ્પીડે આંધ્રના દરિયાકિનારે લેન્ડફોલ થયું!અનેક વૃક્ષો ધરાશાયી,ત્રણના મોત

  • October 29, 2025
  • 9 views
Cyclone Montha Hits Andhra Coast: ચક્રવાત મોન્થા 110ની સ્પીડે આંધ્રના દરિયાકિનારે લેન્ડફોલ થયું!અનેક વૃક્ષો ધરાશાયી,ત્રણના મોત