વડોદરાને પૂરના પાણીથી બચાવશે વિશ્વામિત્રી પ્રોજેક્ટ; મેયરે કર્યું ખાતમુર્હૂત

  • Gujarat
  • February 24, 2025
  • 0 Comments
  • વડોદરાને પૂરના પાણીથી બચાવશે વિશ્વામિત્રી પ્રોજેક્ટ; મેયરે કર્યું ખાતમુર્હૂત

વડોદરાને વરસાદી પાણીમાં ડૂબતું બચાવવા માટે વડોદરા કોર્પોરેશને વિશ્વામિત્રી પ્રોજેક્ટની શરૂઆત કરી દીધી છે. આ યોજના હેઠળ વડાદરો નજીક આવેલા દેણા ગામ અને સૂર્ય નદીના કિનારે તળાવનું મેયર પિન્કી સોનીએ ખાતમુર્હૂત કરવામાં આવ્યું છે. વડોદરા કોર્પોરેશને આપેલી માહિતી અનુસાર, આ તળાવ પાંચ હેક્ટર જમીનમાં બનાવવામાં આવશે. આ તળાવમાં 25 કરોડ લિટર પાણીનો સંગ્રહ કરી શકાશે. આ પાણીનો ઉપયોગ પીવા માટે પણ કરી શકાય તેનો પણ પ્લાન બનાવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે.

પાણીપુરવઠા વિભાગના અધિકારી ધાર્મિક દવેએ તળાવ વિશે માહિતી આપતા જણાવ્યું હતુ કે, પાછલા વર્ષે વિશ્વામિત્ર નદીમાં વિનાશક પૂર આવ્યું હતું. આ પૂરના પાણીના નિયંત્રણ માટે યંત્રમાન ઓટોમેટિક જીસીબી કંપનીના CSR ફંડ હેઠળ દેણા ગામ પાસે સૂર્યા નદીના કિનારે વડોદરા કોર્પોરેશનની માલિકીની 7 હેક્ટર જમીન પૈકી 5 હેક્ટર જમીનમાં બફર લેક બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે.

આજવા સરોવરમાંથી છોડવામાં આવતું પાણી સીધુ સૂર્યા નદીમાંથી આ બફર તળાવમાં આવે એવું આયોજન કરવામાં આવ્યું છે. જેસીબી કંપની દ્વારા હાલ 6 JCB મશીન, 4 પોકલેન્ડ અને 5 ડમ્પર આપવામાં આવ્યાં છે. આ સાધનો માટેનો ડીઝલનો ખર્ચ કોર્પોરેશન દ્વારા ઉપાડવામાં આવશે. આ કામગીરી આવનારા 100થી 125 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે, એટલે કે આગામી ચોમાસા પહેલાં આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પડેલા ધોધમાર વરસાદના પગલે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં વિનાશક પૂર આવ્યું હતું. આવું પૂર ફરીથી વડોદરામાં ન આવે એ માટે રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલી પૂર નિયંત્રણ સમિતિ દ્વારા પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો-વિદેશ મંત્રાલય અધિકારીના ગંભીર આરોપ; કહ્યું- એસ જયશંકર સૌથી ભ્રષ્ટ, મંત્રાલયમાં થાય છે યૌન શોષણ

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 2 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • March 21, 2026
  • 4 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ

  • March 20, 2026
  • 5 views
Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી  કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં  PIL દાખલ

BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

  • March 20, 2026
  • 11 views
BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

  • March 20, 2026
  • 9 views
Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

Thunderstorm: જગતના તાતને માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

  • March 20, 2026
  • 11 views
Thunderstorm: જગતના તાતને  માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ