વડોદરાને પૂરના પાણીથી બચાવશે વિશ્વામિત્રી પ્રોજેક્ટ; મેયરે કર્યું ખાતમુર્હૂત

  • Gujarat
  • February 24, 2025
  • 0 Comments
  • વડોદરાને પૂરના પાણીથી બચાવશે વિશ્વામિત્રી પ્રોજેક્ટ; મેયરે કર્યું ખાતમુર્હૂત

વડોદરાને વરસાદી પાણીમાં ડૂબતું બચાવવા માટે વડોદરા કોર્પોરેશને વિશ્વામિત્રી પ્રોજેક્ટની શરૂઆત કરી દીધી છે. આ યોજના હેઠળ વડાદરો નજીક આવેલા દેણા ગામ અને સૂર્ય નદીના કિનારે તળાવનું મેયર પિન્કી સોનીએ ખાતમુર્હૂત કરવામાં આવ્યું છે. વડોદરા કોર્પોરેશને આપેલી માહિતી અનુસાર, આ તળાવ પાંચ હેક્ટર જમીનમાં બનાવવામાં આવશે. આ તળાવમાં 25 કરોડ લિટર પાણીનો સંગ્રહ કરી શકાશે. આ પાણીનો ઉપયોગ પીવા માટે પણ કરી શકાય તેનો પણ પ્લાન બનાવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે.

પાણીપુરવઠા વિભાગના અધિકારી ધાર્મિક દવેએ તળાવ વિશે માહિતી આપતા જણાવ્યું હતુ કે, પાછલા વર્ષે વિશ્વામિત્ર નદીમાં વિનાશક પૂર આવ્યું હતું. આ પૂરના પાણીના નિયંત્રણ માટે યંત્રમાન ઓટોમેટિક જીસીબી કંપનીના CSR ફંડ હેઠળ દેણા ગામ પાસે સૂર્યા નદીના કિનારે વડોદરા કોર્પોરેશનની માલિકીની 7 હેક્ટર જમીન પૈકી 5 હેક્ટર જમીનમાં બફર લેક બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે.

આજવા સરોવરમાંથી છોડવામાં આવતું પાણી સીધુ સૂર્યા નદીમાંથી આ બફર તળાવમાં આવે એવું આયોજન કરવામાં આવ્યું છે. જેસીબી કંપની દ્વારા હાલ 6 JCB મશીન, 4 પોકલેન્ડ અને 5 ડમ્પર આપવામાં આવ્યાં છે. આ સાધનો માટેનો ડીઝલનો ખર્ચ કોર્પોરેશન દ્વારા ઉપાડવામાં આવશે. આ કામગીરી આવનારા 100થી 125 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે, એટલે કે આગામી ચોમાસા પહેલાં આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પડેલા ધોધમાર વરસાદના પગલે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં વિનાશક પૂર આવ્યું હતું. આવું પૂર ફરીથી વડોદરામાં ન આવે એ માટે રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલી પૂર નિયંત્રણ સમિતિ દ્વારા પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો-વિદેશ મંત્રાલય અધિકારીના ગંભીર આરોપ; કહ્યું- એસ જયશંકર સૌથી ભ્રષ્ટ, મંત્રાલયમાં થાય છે યૌન શોષણ

Related Posts

Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો
  • June 20, 2026

Bayad Land Scam: ગુજરાતનું મહેસૂલી તંત્ર અને ભૂમાફિયાઓની મિલીભગતનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણીરેલ ગામમાંથી સામે આવ્યો છે. આ ઘટના માનવીય કલ્પનાની બહાર છે: એક એવો…

Continue reading
Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi Child Trafficking Racket: દિલ્હીનું બાળ તસ્કરી નેટવર્ક: હોસ્પિટલ બની મંડી, જ્યાં લાખોમાં વેચાતા હતા બાળકો!

  • June 21, 2026
  • 2 views
Delhi Child Trafficking Racket: દિલ્હીનું બાળ તસ્કરી નેટવર્ક: હોસ્પિટલ બની મંડી, જ્યાં લાખોમાં વેચાતા હતા બાળકો!

India SIR Controversy: ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ના નામે લોકતંત્રનું ચીરહરણ!

  • June 21, 2026
  • 5 views
India SIR Controversy: ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ના નામે લોકતંત્રનું ચીરહરણ!

Bharat Tiwari Encounter: જે નીતિની તાળી વગાડતા હતા, તે જ નીતિએ ભરત તિવારીનો જીવ લીધો!

  • June 21, 2026
  • 5 views
Bharat Tiwari Encounter: જે નીતિની તાળી વગાડતા હતા, તે જ નીતિએ ભરત તિવારીનો જીવ લીધો!

Narendra Modi: અલંગમાં સ્વાગત ન કર્યું તો મોદીનો ઘમંડ દેખાયો

  • June 21, 2026
  • 6 views
Narendra Modi: અલંગમાં સ્વાગત ન કર્યું તો મોદીનો ઘમંડ દેખાયો

Miyazaki Mango India: જાપાનની મિયાઝાકી કેરીનો ભારતમાં ક્રેઝ, લાખોના ભાવનું સત્ય

  • June 20, 2026
  • 7 views
Miyazaki Mango India: જાપાનની મિયાઝાકી કેરીનો ભારતમાં ક્રેઝ, લાખોના ભાવનું સત્ય

Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો

  • June 20, 2026
  • 12 views
Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો