યુક્રેન યુદ્ધ: શું નવા વર્લ્ડ ઓર્ડરનો પ્રારંભ થઈ ગયો? જાણો યૂએનમાં શું થયું

યુક્રેન યુદ્ધ: શું નવા વર્લ્ડ ઓર્ડરનો પ્રારંભ થઈ ગયો? જાણો યૂએનમાં શું થયું

નવા વર્લ્ડ ઓર્ડરને અત્યાર સુધી એક કલ્પના ગણાવીને ફગાવી દેવામાં આવી રહ્યુ હતુ. પરંતુ હવે ન્યૂ વર્લ્ડ ઓર્ડર એક સત્ય હોય તેવું દેખાઈ રહ્યુ છે. સંયુક્ત રાષ્ટ્ર (યૂએન)માં સોમવારે યુક્રેન યુદ્ધ પર લાવવામાં આવેલા પ્રસ્તાવ વિરૂદ્ધ અમેરિકા અને રશિયા એકસાથે આવી ગયા છે. યુક્રેન-રશિયા યુદ્ધમાં અત્યાર સુધી અમેરિકા યુક્રેનને મદદ કરતું આવ્યું છે. પરંતુ ટ્રમ્પના આવ્યા પછી સ્થિતિઓ એકદમ બદલાઈ ગઈ છે. યૂએનમાં એક પ્રસ્તાવ રશિયાની ટીકા કરવા માટે લાવ્યું હતું. આ પ્રસ્તાવ પર થયેલી વોટિંગથી ભારત દૂર રહ્યું એટલે કે ગેરહાજર રહ્યું.

જોકે, યૂક્રેનના ક્ષેત્રીય અખંડતાનું સમર્થન કરવાના પ્રસ્તાવ વિરૂદ્ધ મતદાન કરવા માટે અમેરિકાએ રશિયાનો સાથ આપ્યો અને અન્ય 16 દેશોએ તેનો વિરોધ કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશો પ્રસ્તાવના સમર્થનમાં રહ્યા પરંતુ અમેરિકાએ આનો સખ્ત વિરોધ કર્યો. અમેરિકાએ એક વૈકલ્પિક પ્રસ્તાવ રજૂ કર્યો, જેમાં રશિયાને યુદ્ધ માટે દોષી ઠેરવવા અથવા યૂક્રેનને બોર્ડરનો ઉલ્લંઘન કરવાથી ઈન્કાર કર દીધો છે.

યુક્રેન અને યૂરોપીયન દેશો દ્વારા તૈયાર કરવામાં આવેલા આ પ્રસ્તાવને 93 ટકા વોટ મળ્યા, જ્યારે 18 દેશોએ વિરોધ કર્યો અને 65 દેશોએ મતદાનથી દૂરી બનાવી છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના આ પ્રસ્તાવે યૂક્રેનની સંપ્રભુતા, સ્વતંત્રતા, એકતા અને ક્ષેત્રીય અખંડતા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા પુનરાવર્તન કર્યું. એએફપીના અહેવાલ મુજબ, યુક્રેનના સમર્થનમાં મતોની સંખ્યામાં પહેલાની સરખામણીમાં ઘટાડો થયો છે.

ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ‘યુક્રેનમાં વ્યાપક, ન્યાયી અને સ્થાયી શાંતિને આગળ ધપાવવા’ શીર્ષકવાળા ડ્રાફ્ટ ઠરાવ પર મતદાનથી દૂર રહ્યું. તે યુક્રેન અને તેના યુરોપીયન સાથીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં તણાવ ઓછો કરવા, દુશ્મનાવટનો વહેલો અંત લાવવા અને યુદ્ધનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવાની હાંકલ કરવામાં આવી હતી. જોકે, ભારત યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિના પક્ષમાં રહ્યું છે. ભારતમાં એક સમયે એવો પ્રચાર પણ કરવામાં આવ્યો હતો કે મોદીએ રશિયા-યુક્રેન યુદ્ધ અટકાવી દીધું હતું. સોશિયલ મીડિયા પર આના પર મીમ્સ પણ બનાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો-નડિયાદમાં સિટી બસ સેવા 63 દિવસમા જ બંધ: પૂરા 4 મહિના પણ ન ચાલી, પાર્સિંગનું બહાનું કાઢ્યું

અમેરિકાનું આ પગલું તેની નીતિઓમાં નોંધપાત્ર પરિવર્તન દર્શાવે છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેનના કાર્યકાળ દરમિયાન વોશિંગ્ટને સંયુક્ત રાષ્ટ્રમાં પસાર થયેલા તમામ ઠરાવોમાં યુક્રેનને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. બિડેને શસ્ત્રો અને દારૂગોળાનો પુરવઠો સુનિશ્ચિત કરીને યુદ્ધના મેદાનમાં યુક્રેનને મદદ પણ કરી હતી.

યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા રજૂ કરાયેલા પ્રતિ-ઠરાવમાં યુક્રેન સંઘર્ષનો “વહેલો અંત” લાવવાની હાકલ કરવામાં આવી હતી. પરંતુ યુક્રેનની પ્રાદેશિક અખંડિતતાનો કોઈ ઉલ્લેખ નહોતો. તેને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સભ્યોનું સમર્થન મળ્યું ન હતું. આ પ્રસ્તાવમાં એટલા બધા ફેરફારો કરવામાં આવ્યા કે જ્યારે સુધારેલા પ્રસ્તાવ પર મતદાન થયું ત્યારે અમેરિકાએ પોતે જ તેનાથી દૂરી બનાવી લીધી. સુધારેલા યુએસ ઠરાવને 93 મત મળ્યા, જ્યારે 73 દેશોએ મતદાનમાં ભાગ લીધો નહીં અને આઠ દેશોએ વિરોધ કર્યો હતો.

સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાના રાજદૂત વેસિલી નેબેન્ઝ્યાએ, મૂળ યુએસ પ્રસ્તાવને “સાચી દિશામાં એક પગલું” ગણાવ્યું હતું. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન રશિયા અને અમેરિકા વચ્ચે થયેલા નાટકીય ફેરફારો વચ્ચે આ નિવેદન આપવામાં આવ્યું હતું.

નેબેન્ઝિયાએ ટ્રમ્પની પ્રશંસા કરતા કહ્યું કે તેમને લાગે છે કે યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને “તેમના દેશમાં શાંતિ બનાવવામાં બિલકુલ રસ નથી કારણ કે તેઓ સત્તા પર ટકી રહેવા માંગે છે.” ગયા મહિને ટ્રમ્પ વ્હાઇટ હાઉસ પરત ફર્યા બાદ રાજદ્વારી સમીકરણો ઝડપથી બદલાયા છે. તેમણે રશિયા સાથે સુમેળ સાધવાનો સ્પષ્ટ માર્ગ અપનાવ્યો છે, જ્યારે યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને “સરમુખત્યાર” ગણાવ્યા છે.

પુતિનનું નિવેદન

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે કહ્યું હતું કે રશિયા યુક્રેનમાં સંઘર્ષના ઉકેલ માટે રશિયા-અમેરિકા શાંતિ વાટાઘાટામાં યુરોપની ભાગીદારીનો વિરોધ કરતું નથી. પરંતુ તેમણે કહ્યું કે બ્રસેલ્સે લાંબા સમયથી મોસ્કો સાથે કોઈપણ વાતચીતનો ઇનકાર કર્યો હતો. રશિયન ટીવી પર આપેલા ઇન્ટરવ્યુમાં પુતિને એમ પણ કહ્યું હતું કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા-યુક્રેન સંઘર્ષને ભાવનાત્મક રીતે નહીં પણ તર્કસંગત રીતે જોઈ રહ્યા છે. રશિયા અને અમેરિકાએ ગયા અઠવાડિયે સાઉદી અરેબિયામાં યુક્રેન પર વાતચીત શરૂ કરી હતી. યુક્રેન અને તેના યુરોપિયન સાથીઓને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. યુક્રેન અને યુરોપિયન યુનિયને આ અંગે વાંધો ઉઠાવ્યો હતો.

આ પણ વાંચો-કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સાથે શશિ થરૂરની સેલ્ફી વાયરલ; કોગ્રેસની ચિંતામાં વધારો

ન્યૂ વર્લ્ડ ઓર્ડર વિશે તમે શું જાણો છો?

ન્યૂ વર્લ્ડ ઓર્ડર (New World Order – NWO) એ એક વિચારધારા છે જે મુજબ વિશ્વની રાજકીય અને આર્થિક વ્યવસ્થાને નિયંત્રિત કરવા માટે એક વૈશ્વિક સત્તા કેન્દ્ર અથવા ગુપ્ત સંગઠન કાર્યરત છે. આ વિચારધારા મુખ્યત્વે ષડયંત્રસંબંધિત સિદ્ધાંતોમાં વધુ જોવા મળે છે, જેમાં કહેવામાં આવે છે કે કેટલીક શક્તિશાળી વૈશ્વિક તાકાતો (જેમ કે સરકારો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, મોટાં બિઝનેસ ગ્રૂપ, અથવા ગુપ્ત સંગઠનો) સંસારમાં એકસાથે એક નવી ગવર્નન્સ પ્રણાલી સ્થાપવા ઈચ્છે છે.

ન્યૂ વર્લ્ડ ઓર્ડર અંગે મુખ્ય મુદ્દા

વૈશ્વિક સરકાર – એક જ વિશ્વ સરકાર સ્થાપવા અને દેશોની સંપ્રભુતા દૂર કરવા માટે પ્રયાસ થાય છે.

આર્થિક નિયંત્રણ – વૈશ્વિક આર્થિક વ્યવસ્થા અને કરન્સી પર નિયંત્રણ મેળવવા, ડિજિટલ ચલણ (Cryptocurrency) અથવા સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) લાગુ કરવી.

મિડિયા અને ટેકનોલોજીનો પ્રભાવ – વાસ્તવિક માહિતી છુપાવી, પ્રોપેગેંડા દ્વારા નાગરિકોને નિયંત્રિત કરવાનું માનવામાં આવે છે.

અધિકારીક અને ગુપ્ત સંગઠનો – યુનાઇટેડ નેશન્સ (UN), વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF), ઈલ્યુમિનાટી, ફ્રીમેસન્સ, રૉથચાઇલ્ડ અને અન્ય સુપરરિચ કુટુંબો તથા સંસ્થાઓને આ સાથે જોડાય છે.

લશ્કરી અને સુરક્ષા નિયંત્રણ – વિશ્વના તમામ દેશોમાં સાવલત સુરક્ષા હસ્તક ક્ષમતા અને સામૂહિક ગૂપ્તનિરીક્ષણ.
એનડબ્લ્યુઓ સાથે જોડાયેલી ષડયંત્ર થિયરીઝ

COVID-19 પેન્ડેમિક અને વેક્સિન: માનવામાં આવે છે કે વેક્સિન દ્વારા લોકો પર નિયંત્રણ મેળવવા અને ડિજિટલ ઓળખપત્ર લાગુ કરવા પ્રયાસ થયો.

ડિજીટલ કરન્સી અને કેશલેસ સોસાયટી: કેશલેસ ઇકોનોમી લાવીને બેંકો અને સરકારોને પ્રજાની સંપત્તિ પર નિયંત્રણ આપવાનો પ્રયાસ.

5G ટેકનોલોજી અને સર્પવિલન્સ: 5G અને અન્ય આધુનિક ટેકનોલોજી દ્વારા વિશાળ પાયે લોકો પર નજર રાખવી.
દુનિયાભરમાં યુદ્ધો અને ગ્લોબલ ક્રાઇસ: આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા યૂદ્ધો અને આર્થિક સંકટો સર્જીને સંસારમાં એક જ સરકાર સ્થાપવાની યોજના.

હકીકત અને વિવાદ

કેટલાક લોકો એનડબ્લ્યુઓને માત્ર એક ષડયંત્ર કહીને નકારી કાઢે છે અને કહે છે કે આ એક ગેરસમજ છે.
બીજા કેટલાક લોકો માનતા છે કે વૈશ્વિક રાજકીય અને આર્થિક ગતિવિધિઓને જોતા એનડબ્લ્યુઓનો કેટલાક સ્તરે અસ્તિત્વ છે.

આ પણ વાંચો-Accident: પોરબંદર-દ્વારકા હાઈવે પર બંધ પડેલી ટ્રકમાં લક્ઝરી ઘૂસી, 2 લોકોના મોત, 12 ઈજાગ્રસ્ત

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

  • September 19, 2026
  • 3 views
West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

  • September 19, 2026
  • 6 views
Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

  • September 19, 2026
  • 7 views
West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

  • September 19, 2026
  • 8 views
Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

  • September 19, 2026
  • 10 views
Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

  • September 19, 2026
  • 9 views
Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ