અમદાવાદના પરીક્ષાર્થીઓ માટે જાહેર કરાયો હેલ્પલાઈન નંબર; 27 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા

  • Gujarat
  • February 25, 2025
  • 0 Comments
  • અમદાવાદના પરીક્ષાર્થીઓ માટે જાહેર કરાયો હેલ્પલાઈન નંબર; 27 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા

આગામી તારીખ ૨૭ ફેબ્રુઆરીથી રાજ્યમાં શરૂ થઈ રહેલી બોર્ડ પરીક્ષાઓ સંદર્ભે અમદાવાદ શહેર અને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સંપૂર્ણ તૈયારીઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં આ વર્ષે બોર્ડ પરીક્ષાઓમાં ધોરણ ૧૦ અને ૧૨ના મળીને કુલ ૯૨,૧૯૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં કુલ ૭૩,૨૬૦ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે.

અમદાવાદ શહેરમાં ધોરણ ૧૦માં ૫૪૬૧૬ વિદ્યાર્થીઓ, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૨૯૭૨૬ વિદ્યાર્થીઓ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૭૮૫૩ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. એ જ રીતે, અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં ધોરણ ૧૦માં ૪૬૦૨૦ વિદ્યાર્થીઓ, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૨૧૮૪૦ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૫૪૦૦ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપશે.

ગેરરીતિ અટકાવવા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા સંપન્ન થાય તે માટે અમદાવાદ શહેરમાં તમામ ૩૨૨ પરીક્ષા સ્થળો પર અને અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં તમામ ૨૪૫ પરીક્ષા સ્થળો પર સીસીટીવી કેમેરા દ્વારા પરીક્ષાઓનું મોનિટરીંગ કરવામાં આવશે.

અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના દરેક પરીક્ષા સ્થળ પર સીસીટીવીના સતત મોનીટરીંગ માટે અલગથી ‘સીસીટીવી મોનીટરીંગ સુપરવાઈઝર’ રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો-ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને ચાર ભારતીય કંપનીઓ ઉપર મૂક્યો પ્રતિબંધ; ભારત પર કેવો પડશે પ્રભાવ?

અમદાવાદ શહેરમાં ૧૩૦ અને જિલ્લામાં ૫૨ દિવ્યાંગ પરીક્ષાર્થીઓ માટે લહિયાની વ્યવસ્થા કરવામાં આવી છે.

અમદાવાદ શહેરના પરીક્ષાર્થીઓ માટે સારથી હેલ્પલાઇન વ્હોટસએપ નંબર ૯૯૦૯૯૨૨૬૪૮ તથા જિલ્લા કંટ્રોલ નંબર ૦૭૯૨૭૯૧ ૨૯૬૬ જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ, ‘આત્મવિશ્વાસ પરીક્ષા પે ચર્ચા ‘ અંર્તગત એસ.એસ.સી તથા એચ.એસ.સી વિષયોના પ્રશ્નોના સમાધાન તથા અન્ય મૂંઝવણો અંગે વિષય શિક્ષક તેમજ મનોચિકિત્સક દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

અમદાવાદ શહેરમાં આ વર્ષે સાબરમતી મધ્યસ્થ જેલના ૨૧ કેદીઓ ધોરણ ૧૦ની અને ૪૪ કેદીઓ ધોરણ ૧૨ની પરીક્ષા આપશે.

અમદાવાદ ગ્રામ્ય કચેરી ખાતે પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે. અમદાવાદ ગ્રામ્યના ૦૮ એસ.વી.એસ. સેન્ટરમાં વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી મૂંઝવણ માટે માર્ગદર્શન મળી રહે તે માટે એસ.વી.એસ. કન્વીનરશ્રી સમગ્ર બોર્ડની પરીક્ષા દરમ્યાન કાઉન્સેલર તરીકે સેવાઓ આપશે. કન્ટ્રોલ રૂમનો ટેલીફોન નંબર ૦૭૯ ૨૭૯૧૩૨૬૪ છે.

સાથે જ, અમદાવાદ શહેર અને જિલ્લામાં વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓ સંપન્ન થાય તે માટે સ્ટ્રોંગ રૂમ, વીજ પુરવઠો, પરીક્ષા કેન્દ્રની નજીક આરોગ્ય સેવાઓ સહિત ટ્રાફિક પોલીસ સાથે પણ સંકલન કરીને વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

આ પણ વાંચો- શું ગુજરાત સરકાર આદિવાસી સમાજના વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ શરૂ કરશે?

આ પણ વાંચો- શું અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનિતા છૂટાછેડા લેવા જઈ રહ્યા છે?

Related Posts

Liquor: અમદાવાદમાં ગરીબોને જ્યારે ગુંડાઓએ મકાન ખાલી કરવા ધમકી આપી અને આ યુવા નેતાએ કરી એન્ટ્રી! પોલીસની હાલત જોવા જેવી થઈ!
  • March 3, 2026

Liquor: અમદાવાદમાં ગરીબોને તેમના ઘર ખાલી કરી ભાગી જવા ગુંડાઓ દ્વારા અપાઈ રહેલી ફિલ્મી ધમકીઓ વચ્ચે હવે હીરોની એન્ટ્રી થઈ છે અને આ હીરો એટલે જીગ્નેશ મેવાણી કે જેઓ બનાસકાંઠા…

Continue reading
Vadodara: કોલેજની વિદ્યાર્થીનીઓનો હાથ પકડી વાઈસ ડીને કહ્યું ‘મને ક્રીમ લગાડેતો કેવું લાગે?!’ગંભીર આક્ષેપ બાદ વાઈસ ડીનને પદથી દૂર કરાયા!
  • February 27, 2026

Vadodara: વડોદરા શહેરની બરોડા મેડિકલ કોલેજની બીજા વર્ષમાં ભણતી કેટલીક વિદ્યાર્થીનીઓએ વાઇસ ડીન ડો. અમોલ ભાવે ઉપર ગંભીર આરોપ લગાવ્યો છે કે તેઓ વિદ્યાર્થિનીઓના હાથ પકડીને સતામણી કરતા હતા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Trump: અમેરિકાએ કહ્યું “ભારતની રિફાઇનરીઓમાં તેલ સ્ટોક કરો!”ક્યાંક તેનો ઉપયોગ અમેરિકા માટેતો નહિ થાયને? જાણો, રસપ્રદ વિશ્લેષણ

  • March 7, 2026
  • 4 views
Trump: અમેરિકાએ કહ્યું “ભારતની રિફાઇનરીઓમાં તેલ સ્ટોક કરો!”ક્યાંક તેનો ઉપયોગ અમેરિકા માટેતો નહિ થાયને? જાણો, રસપ્રદ વિશ્લેષણ

BJP: ભાજપ જ્યારે જ્યારે ઘેરાઈ જાય ત્યારે યાત્રાઓનું ‘રાજકારણ’ રમે છે? જુઓ,ખાસ વિશ્લેષણ

  • March 7, 2026
  • 4 views
BJP: ભાજપ જ્યારે જ્યારે ઘેરાઈ જાય ત્યારે યાત્રાઓનું ‘રાજકારણ’ રમે છે? જુઓ,ખાસ વિશ્લેષણ

Fake Milk: ગુજરાતમાં કોના ઈશારે નકલી દૂધનો કાળો કારોબાર ધમધમે છે? દૂધ માફિયાઓ ઉપર લગામ કેમ નહિ?જુઓ ખાસ અહેવાલ

  • March 7, 2026
  • 9 views
Fake Milk: ગુજરાતમાં કોના ઈશારે નકલી દૂધનો કાળો કારોબાર ધમધમે છે? દૂધ માફિયાઓ ઉપર લગામ કેમ નહિ?જુઓ ખાસ અહેવાલ

Narendramodi: શું ઈરાની યુદ્ધ જહાજને US એટેકથી બચાવવાની જવાબદારી ભારતની હતી?ભારતની વ્યૂહાત્મક સ્થિતિ અંગે ઉઠ્યા સવાલ!

  • March 7, 2026
  • 6 views
Narendramodi: શું ઈરાની યુદ્ધ જહાજને US એટેકથી બચાવવાની જવાબદારી ભારતની હતી?ભારતની વ્યૂહાત્મક સ્થિતિ અંગે ઉઠ્યા સવાલ!

Donald Trump: ભારતે શુ કરવું તે ટ્રમ્પ નક્કી કરે છે! કહ્યુ, ભારત 30 દિવસ સુધી રશિયાનું તેલ ખરીદી શકશે!

  • March 7, 2026
  • 19 views
Donald Trump: ભારતે શુ કરવું તે ટ્રમ્પ નક્કી કરે છે! કહ્યુ, ભારત 30 દિવસ સુધી રશિયાનું તેલ ખરીદી શકશે!

Iran War: ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝીઝકિઆનની ધમકી, હવે પરિણામ ભોગવવા તૈયાર રહો!

  • March 6, 2026
  • 9 views
Iran War: ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝીઝકિઆનની ધમકી, હવે પરિણામ ભોગવવા તૈયાર રહો!