હાઉસ ટ્રાન્સફર ફી વસૂલી મામલે ગુજરાત સરકારનો મોટો નિર્ણય! જાણો કેટલી ફી નક્કી કરાઈ? |House transfer fees

  • ગુજરાતમાં હાઉસિંગ સોસાયટીમાં ઘર વેચવું કે વારસામાં મેળવવું હવે વધુ પારદર્શક 
  • સોસાયટીઓ નવા સભ્યો પાસેથી કોઈપણ ચાર્જ, દાન ફંડની માંગણી કરી શકશે નહીં

House transfer fees: ગુજરાત સરકારે 30,000 થી વધુ હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ માટે ટ્રાન્સફર ફી નક્કી કરી દીધી છે. આ નિર્ણય વિવાદોને   અટકાવવા લીધો છે.

ગુજરાતમાં 30,000 થી વધુ હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ આવેલી છે. આવી સોસાયટીઓનું સંચાલન સહકારી કાયદા હેઠળ થતું હોય છે.   સોસાયટીઓમાં જ્યારે પણ કોઈ વ્યક્તિ દ્વારા ઘરની ખરીદી કરવામાં આવતી હોય છે ત્યારે સોસાયટી દ્વારા તે વ્યકિત પાસેથી ટ્રાન્સફરથી વસૂલ કરવામાં આવતી હોય છે. જોકે ટ્રાન્સફર ફી બાબતે સહકારી કાયદા અને નિયમોમાં જોગવાઈ ન હોવાથી, સોસાયટીઓ દ્વારા મનમાની કરીને વ્યક્તિઓ પાસેથી મોટી ટ્રાન્સફર ફી વસૂલ કરવામાં આવતી હતી.  આ ફરિયાદો વાંરવાર રાજ્ય સરકારને મળી રહી હતી. જેનો હવે સરકારે કાયમી ઉકેલ લાવી દીધો છે.

હવે કેટલી ફી નક્કી કરાઈ?

આજે 3 માર્ચ રાજ્ય સરકાર દ્વારા સહકારી કાયદામાં થયેલા સુધારા અંતર્ગત નિયમો નક્કી કર્યા છે. જે અનુસાર હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓમાં કોઈપણ ઘરનાં ખરીદ/ વેચાણ સમયે કુલ અવેજ રકમના 0.5 ટકા અથવા વધુમાં વધુ રૂપિયા 1 લાખ કરતાં કોઈ વધુ ટ્રાન્સફર ફી વસૂલ કરી શકશે નહી. આથી ઉપર ફી વસૂલવી ગેરકાદેસર ગણાશે. આ જાહેરાત સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ કરી છે.

વારસદારને અવેજ વિના મિલકત ટ્રાન્સફર કરાઈ હશે તો ટ્રાન્સફર ફી લઈ શકાશે નહીં

સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે કોઈપણ કાયદેસરના વારસદારને જો કોઈ અવેજ વગર મિલકત ટ્રાન્સફર કરવામાં આવી હશે તો પણ ટ્રાન્સફર ફી લઈ શકાશે નહીં. તેમજ જો કોઈ વ્યક્તિ પાસેથી ડેવલપમેન્ટ ચાર્જ, દાન કે અન્ય કોઈપણ રીતે સોસાયટી ફી વસૂલ કરી શકાશે નહીં.

 

આ પણ વાંચોઃ ભારતીય રેલવે હવે ભૂતાનની સરજમીન ઉપર પહોંચશે; બંને દેશોએ કરાર પર કર્યા હસ્તાક્ષર

આ પણ વાંચોઃ મોદી સાહેબની ફોટોગ્રાફી સારી નથી!? એમણે પાડેલાં ફોટોગ્રાફ્સ ક્યાં છે? |PM modi photography

આ પણ વાંચોઃ કુખ્યાત બૂટલેગર સાથે ચૈતર વસાવાએ ડાન્સ કર્યાનો દાવો! વીડિયો અંગે ચૈતરે શું આપ્યો જવાબ? |Chaitar Vasava Video

આ પણ વાંચોઃ 22 વર્ષિય કોંગ્રેસ મહિલા નેતાનો હત્યારો ઝડપાયો, કહ્યું હું તેનો બોયફ્રેન્ડ! માતાએ પાર્ટી પર લગાવ્યા આરોપ?|Himani Narwal Murder Case

 

Related Posts

Gujarat: હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજીવાર આસારામના જામીન લંબાવ્યા
  • August 7, 2025

Gujarat: ગુજરાત હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં આસારામ બાપુના હંગામી જામીનને ત્રીજી વખત લંબાવીને 21 ઓગસ્ટ, 2025 સુધી લંબાવ્યા છે. આ નિર્ણય આસારામની તબીબી આધારો પરની અરજી અને રજૂ કરાયેલા હોસ્પિટલ…

Continue reading
Ahmedabad: ઝાડા-ઉલટીના દર્દી સાથે બેડ પર જવાની ના પાડતા દર્દીને માર માર્યો, મામલો પહોંચ્યો પોલીસ મથકે
  • August 7, 2025

Ahmedabad: સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ છે. હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ અને ડોક્ટર દ્વારા એક દર્દીને માર મારવામાં આવ્યો હોય તેવો આક્ષેપ થયો છે. પરાગ પટેલ નામના દર્દીને તાવની સારવાર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat: હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજીવાર આસારામના જામીન લંબાવ્યા

  • August 7, 2025
  • 11 views
Gujarat: હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજીવાર આસારામના  જામીન લંબાવ્યા

Ahmedabad: ઝાડા-ઉલટીના દર્દી સાથે બેડ પર જવાની ના પાડતા દર્દીને માર માર્યો, મામલો પહોંચ્યો પોલીસ મથકે

  • August 7, 2025
  • 8 views
Ahmedabad: ઝાડા-ઉલટીના દર્દી સાથે બેડ પર જવાની ના પાડતા દર્દીને માર માર્યો, મામલો પહોંચ્યો પોલીસ મથકે

આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ

  • August 7, 2025
  • 24 views
આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ

Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

  • August 7, 2025
  • 10 views
Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

  • August 7, 2025
  • 225 views
Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

  • August 7, 2025
  • 27 views
Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ