
Amreli News: અમરેલી જીલ્લામાં વારંવાર પશુ હુમલાઓની ઘટનાઓ ઘટતી રહે છે. ત્યારે ગત રાત્રે વધુ એક ઘટના સિંહણના હુમલાની બહાર આવી છે. જેમાં રાત્રે ખેડૂત પર સિંહણે હુમલો કરતાં મોત થયું ગયું છે. ખેડૂત પર હુમલો કર્યા બાદ સિંહણ ખેડૂતના મૃતદેહ ઉપર જ બેસી રહી હતી.
મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના જાફરાબાદ અને ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાની સરહદે આવેલા કાકડી મોલી ગામ નજીક વાડી વિસ્તારમાં ખેડૂત મંગાભાઈ બોઘાભાઈ બારૈયા ગત મોડી સાંજે કામ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક સિંહણ આવી ચઢી હતી અને જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ખેડૂતનું પેટ ચીરી નાખ્યું હતુ. ત્યાર બાદ તે ખેડૂતની છાતી પર બેસી રહી હતી.
આ ઘટનાની જાણ વન વિગાને કરતાં જ ટીમ દોડી આવી હતી. વન વિભાગની ટીમે જેસીબી મશીન અને ટ્રેક્ટરની મદદથી ભગાડી હતી. બાદમાં ભારે જહેમત બાદ સિંહણને પાંજરે પૂરવામાં આવી હતી. ખેડૂતના અકાળે મોતથી પરિવારમાં ભારે આક્રંદ છે. આ ઘટના બાદ પંથકમના ખેડૂતોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચોઃ ભારત સામેની હાર બાદ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી |Steve Smith
આ પણ વાંચોઃ ગુજરાત સરકાર પાસે કુપોષણનો આંકડો જ ઉપલબ્ધ નથી કે પોતાની નિષ્ફળતા છૂપાવે છે?