સીરિયામાં ખુની ખેલ: બે દિવસમાં 1000 લોકોના મોત; 450 લોકોને ગોળી મારીને ઉતાર્યા મોતને ઘાટ

  • World
  • March 9, 2025
  • 0 Comments
  • સીરિયામાં ખુની ખેલ: બે દિવસમાં 1000 લોકોના મોત; 450 લોકોને ગોળી મારીને ઉતાર્યા મોતને ઘાટ

સીરિયામાં સ્થિતિ ઝડપથી બગડી રહી છે. સુરક્ષા દળો અને પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ બશર અલ-અસદના સમર્થકો વચ્ચે બે દિવસથી ચાલી રહેલી લોહિયાળ હિંસામાં એક હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આને સીરિયામાં છેલ્લા 14 વર્ષમાં સૌથી મોટી હિંસા ગણાવવામાં આવી રહી છે. બ્રિટન સ્થિત સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સ અનુસાર, મૃતકોમાં 745 નાગરિકોનો સમાવેશ થાય છે જેમને નજીકથી ગોળી વાગી હતી. આ ઉપરાંત સરકારી સુરક્ષા દળોના 125 સભ્યો અને અસદ સાથે જોડાયેલા સશસ્ત્ર જૂથોના 148 આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા. અહેવાલો અનુસાર, લતાકિયા શહેરની આસપાસના મોટા વિસ્તારોમાં વીજળી અને પીવાનું પાણી બંધ થઈ ગયું છે.

સીરિયાની નવી સરકાર શું કહે છે?

સરકારે કહ્યું કે તેઓ અસદના સમર્થકો દ્વારા કરવામાં આવેલા હુમલાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છે. તેમણે અલગ-અલગ દ્વારા લેવામાં આવેલી કાર્યવાહીને મોટા પાયે હિંસાને જવાબદાર ગણાવી હતી. સીરિયામાં તાજેતરની અથડામણો ત્યારે શરૂ થઈ જ્યારે સુરક્ષા દળોએ ગુરુવારે દરિયાકાંઠાના શહેર જબલેહ નજીક એક વોન્ટેડ વ્યક્તિની અટકાયત કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન અસદના વફાદારોએ તેમના પર હુમલો કર્યો.

સીરિયાની નવી સરકારને વફાદાર સુન્ની મુસ્લિમ બંદૂકધારીઓએ શુક્રવારે અસદના લઘુમતી અલવી સમુદાયના લોકોની હત્યા કરવાનું શરૂ કર્યું, ત્યારબાદ બંને વચ્ચે અથડામણ ચાલુ થઈ હતી. પરંતુ હયાત તહરિર અલ-શામ માટે આ એક મોટો ફટકો છે, કારણ કે આ જૂથના નેતૃત્વમાં બળવાખોર જૂથોએ અસદના શાસનને ઉથલાવી દીધું હતું.

તાજેતરમાં સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સે વર્ષ 2021 માટેના એક અહેવાલમાં જણાવ્યું હતું કે સીરિયામાં બશર અલ-અસદના શાસન દરમિયાન જેલોમાં 1 લાખથી વધુ લોકો માર્યા ગયા હતા. જેમાંથી એકલા સૈદનાયા જેલમાં 30 હજારથી વધુ લોકોના મોત થયા હતા. આ જેલ ત્રાસ, હત્યા અને ગુમ થવા માટે કુખ્યાત રહી છે. 2011 થી સૈદનાયા જેલનો ઉપયોગ અસદના ક્રૂર શાસનની નીતિઓને આગળ વધારવા માટે કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો- IIFA 2025: જયપુરમાં શાહિદ-કરીના એક સાથે જોવા મળ્યા, ગળે લાગ્યા, છેલ્લે ‘જબ વી મેટ’માં સાથે દેખાયા હતા

Related Posts

Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?
  • May 10, 2026

Indus Waters Treaty: પાકિસ્તાન અને ભારત વચ્ચે વર્ષો જૂની સિંધુ જળ સંધિ (IWT) ને લઈને ફરી એકવાર વિવાદ વકર્યો છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ ભારતને ચીમકી આપતા જણાવ્યું છે…

Continue reading
Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર
  • May 10, 2026

Vijay Tamil Nadu CM: તમિલનાડુના રાજકારણમાં એક નવો અને ઐતિહાસિક વળાંક આવ્યો છે. લોકપ્રિય અભિનેતા અને ‘તમિલગા વેટ્રી કઝગમ’ (TVK) ના પ્રમુખ સી. જોસેફ વિજયે આજે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

  • May 11, 2026
  • 7 views
Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

  • May 10, 2026
  • 9 views
Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

  • May 10, 2026
  • 8 views
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

  • May 10, 2026
  • 11 views
Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?

  • May 10, 2026
  • 8 views
Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?

Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર

  • May 10, 2026
  • 9 views
Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર