
- ગુજરાત કોંગ્રેસ નેતાઓની રાહુલે કાઢેલી ઝાટકણી પછી મુમતાઝ પટેલે વ્યક્ત કર્યું દુ:ખ
અમદાવાદ: ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવાના મિશન સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બે દિવસની મુલાકાતે આવ્યા હતા. તેવો વર્ષ 2027માં વિધાનસભા ચૂંટણી પહેલા પક્ષને મજબૂત કરવાના પ્રયાસ કરી રહ્યા છે. તેમણે રાજ્યના નેતાઓને પક્ષને મજબૂત કરવા હાકલ કરી હતી. તો બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ અહમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે(Mumtaz Patel)પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.
કોંગ્રેસના પૂર્વ નેતા અહેમદ પટેલના પુત્રી રાહુલ ગાંધીના નિવેદન બાદ કોંગ્રેસના 24 ફૂટેલા નેતાઓ માટે શું કહે છે? pic.twitter.com/OE5n4A0HZx
— Dilip Patel દિલીપ પટેલ (@dmpatel1961) March 9, 2025
મુમતાઝ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પાર્ટીના કાર્યકરો અને નાના કાર્યકર્તાઓનું ધ્યાન રાખતા નથી. મને જુઓ… મને આગળ વધવા દેવામાં આવી રહી નથી. રાહુલ ગાંધી બે દિવસથી ગુજરાતમાં છે પણ મને ફોન પણ નહોતો આવ્યો. હું પાર્ટીમાં કોઈ પદ ધરાવતી નથી. મુમતાઝ પટેલે કહ્યું કે ગુજરાતમાં આટલા વર્ષોથી ભાજપ સરકાર સત્તામાં છે. હવે પરિસ્થિતિ એવી બની ગઈ છે કે કોંગ્રેસના નેતાઓ પણ ભાજપના સમર્થન વિના આગળ વધી શકતા નથી. જો કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ જુનિયર નેતાઓનું ધ્યાન નહીં રાખે તો તેઓ શું કરશે? કોંગ્રેસમાં દિશા આપવા માટે કોઈ નથી.
આ પણ વાંચો- VANTARAમાં વિચરણ કરતાં દેશના પ્રધાનમંત્રી શું સાબિત કરવા માગે છે? DEMOCRACY | AUTOCRACY
રાહુલ ગાંધીને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે
મુમતાઝ પટેલે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીને વાસ્તવિકતાથી દૂર રાખવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે દેશભરમાં કોંગ્રેસમાં એવા લોકો છે જે પાર્ટીને આગળ વધવા દેતા નથી. આવા લોકોની સંખ્યા 30-40 નહીં પણ 400 હોય તે બધાને શોધીને આગળ લાવવા જોઈએ. આવા લોકો પાર્ટીને નુકશાન પહોંચાડી રહ્યા છે.