મુંબઈથી ન્યૂયોર્ક જતી ફ્લાઈટ આઠ ક્લાક ઉડ્યા પછી મુંબઈ પરત આવી; કારણ હતું ટોયેલટમાંથી મળેલો પત્ર

  • India
  • March 10, 2025
  • 0 Comments
  • મુંબઈથી ન્યૂયોર્ક જતી ફ્લાઈટ આઠ ક્લાક ઉડ્યા પછી મુંબઈ પરત આવી; કારણ હતું ટોયેલટમાંથી મળેલો પત્ર

સોમવારે સવારે મુંબઈથી ન્યૂયોર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-119 ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. 8 કલાક 37 મિનિટના ઉડાન ભર્યા પછી ફ્લાઇટને મુંબઈ તરફ ડ્રાઈવર્ડ કરી દેવામાં આવી હતી. ફ્લાઇટમાં 19 ક્રૂ મેમ્બર સહિત 322 મુસાફરો સવાર હતા.

એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે ફ્લાઇટના વોશરૂમમાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં બોમ્બની ધમકી આપવામાં આવી હતી. સુરક્ષા પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને વિમાનને મુંબઈ પરત લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. ફ્લાઇટ 10:25 વાગ્યે મુંબઈ પહોંચી હતી.

એર ઇન્ડિયાની ફ્લાઇટ AI119 એ મુંબઈ એરપોર્ટના ટર્મિનલ-2 થી રાત્રે 1:43 વાગ્યે ન્યૂયોર્ક માટે ઉડાન ભરી હતી. હાલમાં સુરક્ષા એજન્સીઓ તપાસમાં રોકાયેલી છે. એર ઇન્ડિયાએ જણાવ્યું હતુ કે, મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમને દુઃખ છે.

ફ્લાઈટને કરાઈ રિશેડ્યુલ

એરલાઇને જણાવ્યું હતું કે ફ્લાઇટ હવે 11 માર્ચે સવારે 5 વાગ્યે ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. મુસાફરોને હોટલમાં રહેવાની વ્યવસ્થા, ભોજન અને અન્ય જરૂરી સહાય પૂરી પાડવામાં આવી છે. મુસાફરોને કોઈ અસુવિધા ન થાય તે માટે અમારી ટીમ સતત ગ્રાઉન્ડ લેવલ પર કામ કરી રહી છે. અમારી ટોચની પ્રાથમિકતા મુસાફરો અને ક્રૂની સલામતી છે.

6 માર્ચે શિકાગો-દિલ્હી ફ્લાઇટને ટોયલેટ સંબંધિત સમસ્યાને કારણે કરાઈ હતી ડાયવર્ડ

આ પહેલા 6 માર્ચે શિકાગોથી દિલ્હી જતી એર ઇન્ડિયાની બીજી ફ્લાઇટને ટેકનિકલ ખામીને કારણે ટેકઓફના પાંચ કલાક પછી શિકાગો પરત ફરવું પડ્યું હતું. સોમવારે એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જવા માટે સમયસર વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી.

એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 6 માર્ચ, 2025 ના રોજ ફ્લાઇટ ગ્રીનલેન્ડ ઉપર હતી, ત્યારે વિમાનના 12 માંથી 11 શૌચાલય બંધ થઇ ગયા હતા. લગભગ 300 મુસાફરો માટે ફક્ત એક જ શૌચાલય કાર્યરત રહ્યું, જે બિઝનેસ ક્લાસમાં હતું. આવી સ્થિતિમાં 14 કલાકની મુસાફરી પછી ફ્લાઇટને શિકાગોના ઓ’હેર આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પાછા ફરવાનો નિર્ણય લેવો પડ્યો હતો.

Related Posts

ગ્યાનેશ કુમાર અને તંત્ર પર પુરતો કાબૂ છતાં બ્રહ્માંડ પુરુષને ફૂટબોલ રમવું પડ્યું!
  • April 28, 2026

ઝાલ મુડીના ભવ્ય નજરાણાં બાદ મહાપુરુષે મેદાનમાં ફોટો પડાવ્યાં. નરેન્દ્ર મોદી હાલ બે દિવસના સિક્કિમ પ્રવાસ પર છે, પણ પશ્ચિમ બંગાળની ચૂંટણી પર પુરતું ધ્યાન. PM Modi in Sikkim: છેલ્લાં…

Continue reading
Mumbai: મુંબઈમાં તરબૂચ ખાધા બાદ એકજ પરિવારના ચાર સભ્યોના ભેદી મોત
  • April 28, 2026

Mumbai: મુંબઈના બઈના પાયધુની વિસ્તારમાં તરબૂચ આરોગ્યા બાદ એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોત થતાં ભારે ચકચાર મચી ગઇ છે.મૃતકોએ રાત્રે બિરયાની ખાધા બાદ તરબૂચ આરોગ્યુ હતું.મુંબઈ પોલીસ સૂત્રોના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

જનતાનો વિજય તો પરાજય કોનો? સ્થાનિક સરકારોની ચૂંટણી વિશ્લેષણ

  • April 28, 2026
  • 5 views
જનતાનો વિજય તો પરાજય કોનો? સ્થાનિક સરકારોની ચૂંટણી વિશ્લેષણ

ચૂંટણી પહેલાંનો પ્રજાનો BJP વિરોધ વધુ એકવાર EVM સુધી ના પહોંચ્યો

  • April 28, 2026
  • 5 views
ચૂંટણી પહેલાંનો પ્રજાનો BJP વિરોધ વધુ એકવાર EVM સુધી ના પહોંચ્યો

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!

  • April 28, 2026
  • 11 views
પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!

ગ્યાનેશ કુમાર અને તંત્ર પર પુરતો કાબૂ છતાં બ્રહ્માંડ પુરુષને ફૂટબોલ રમવું પડ્યું!

  • April 28, 2026
  • 6 views
ગ્યાનેશ કુમાર અને તંત્ર પર પુરતો કાબૂ છતાં બ્રહ્માંડ પુરુષને ફૂટબોલ રમવું પડ્યું!

Education Department: ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય ; બાળકોને 12 વાગ્યે છોડી મુકવા શાળાઓને આદેશ

  • April 28, 2026
  • 13 views
Education Department: ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય ; બાળકોને 12 વાગ્યે છોડી મુકવા શાળાઓને આદેશ

Asaram: અમદાવાદમાં આસારામ બાપુના આશ્રમ સામેની સરકારની કાર્યવાહી પર રોક લગાવતી સુપ્રીમ કોર્ટ

  • April 28, 2026
  • 20 views
Asaram: અમદાવાદમાં આસારામ બાપુના આશ્રમ સામેની સરકારની કાર્યવાહી પર રોક લગાવતી સુપ્રીમ કોર્ટ