બાંગ્લાદેશે સત્તાવાર રીતે ભારત પાસે શેખ હસીનાના પ્રત્યાર્પણની કરી માંગ; બીજું શું કહ્યું?

  • World
  • December 23, 2024
  • 0 Comments

બાંગ્લાદેશે પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાની દેશ વાપસી માટે ભારત સરકારને પત્ર લખ્યો છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના સલાહકાર મોહમ્મદ તૌહિદ હુસૈને સોમવારે આ વિશે માહિતી આપી છે. તે પહેલાં, બાંગ્લાદેશના ગૃહ મંત્રાલયના સલાહકાર મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીએ કહ્યું હતું કે શેખ હસીનાની દેશ વાપસી માટે વિદેશ મંત્રાલયને પત્ર લખવામાં આવ્યો છે.

તેમણે કહ્યું હતું કે શેખ હસીનાને પ્રત્યાર્પણ કરાર હેઠળ ભારતથી લાવી શકાય છે. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં બાંગ્લાદેશમાં વ્યાપક હિંસક વિરોધ પ્રદર્શન વચ્ચે શેખ હસીનાએ પીએમ પદેથી રાજીનામું આપી દીધું હતું અને દેશ છોડીને ભારત આવી ગઈ હતી.

બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે શું કહ્યું?

બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના સલાહકાર મોહમ્મદ તૌહિદ હુસૈને કહ્યું, “અમે રાજદ્વારી પ્રક્રિયા હેઠળ ભારત સરકારને પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને પાછા મોકલવા માટે સંદેશો આપ્યા છે. અમે તેમને (ભારત સરકારને) આ સંદેશ આપ્યો છે કે અમે તેમના પર કેસ ચલાવા માંગીએ છીએ અને તેથી જ તેમની વાપસીની માંગણી કરી રહ્યા છીએ.”

તે પહેલાં, બાંગ્લાદેશના ગૃહ મંત્રાલયના સલાહકાર મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીએ કહ્યું હતું કે શેખ હસીનાની વાપસી માટે વિદેશ મંત્રાલયને પત્ર લખવામાં આવ્યો છે. તેમણે આ નિવેદન સોમવારે બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજેબી) ના મુખ્ય મથકમાં બીજેબી સ્થાપના દિવસના કાર્યક્રમમાં આપ્યું હતું.

તેમણે આ પણ કહ્યું કે શેખ હસીનાને પ્રત્યાર્પણ કરાર હેઠળ પાછા મોકલી શકાય છે, તેથી વિદેશ મંત્રાલય (બાંગ્લાદેશ) ને એક પત્ર મોકલવામાં આવ્યો છે જેથી ભારત સાથે સંપર્ક કરવા જરૂરી પગલા લેવા કરી શકાય. બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલ (આઇસીટી) એ 17 ઓક્ટોબરે ‘ફરાર’ શેખ હસીનાના વિરૂદ્ધ વોરંટ જારી કર્યું હતું. બાંગ્લાદેશ સરકારે ત્યારે કહ્યું હતું કે તે આ આદેશને અમલ કરવા માટે ઝડપથી પગલાં લેશે.

બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન સેકડો લોકોનાં મોત નીપજ્યાં હતાં. સરકારી નોકરીઓમાં અનામતના વિરોધમાં શરૂ થયેલો આ વિરોધ પ્રદર્શન બાદમાં શેખ હસીનાને પદ પરથી હટાવવાની માંગ સુધી પહોંચી ગયો હતો.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રત્યાર્પણ સંધી

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 28 જાન્યુઆરી 2013 ના રોજ પ્રત્યાર્પણ સંધી થઇ હતી. ત્યારે ભારતના તત્કાલીન ગૃહમંત્રી સુશીલકુમાર શિંદે અને બાંગ્લાદેશના ગૃહમંત્રી મોહીઉદ્દીન ખાન આલમગીરે ઢાકામાં આ સંધી પર હસ્તાક્ષર કર્યા હતા. સંધીના આર્ટિકલ છ માં કેટલીક જોગવાઇ છે, જેમાં તે પરિસ્થિતિનો ઉલ્લેખ છે જેના હેઠળ વ્યક્તિનો પ્રત્યાર્પણ થઈ શકતું નથી.

આમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આ સંધી તે લોકોને લાગુ પડશે નહિ જેમણે રાજકીય અપરાધનો આરોપ છે અને તેના હેઠળ ફક્ત તે લોકો આવશે જેમણે હત્યા અને અન્ય ગંભીર અપરાધોના આરોપ છે.

ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે સંસદમાં શું કહ્યું હતું?

ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે છ ઓગસ્ટે શેખ હસીનાના ભારત આવવા વિશે સંસદને જાણકારી આપતા કહ્યું હતુ કે, શેખ હસીનાએ ખુબ જ શોર્ટ નોટિસ પર કેટલાક સમય માટે ભારત આવવાની અનુમતિ માંગી હતી.

તેમણે કહ્યું હતું, “5 ઓગસ્ટે પ્રદર્શનકારીઓ કર્ફ્યુ હોવા છતાં ઢાકામાં ભેગા થયા. અમને જેટલું સમજાયું છે તે એ છે કે સુરક્ષા સંસ્થાઓના નેતાઓ સાથે બેઠક પછી પ્રધાનમંત્રી શેખ હસીનાએ રાજીનામું આપવાનો નિર્ણય કર્યો. ખૂબ જ ટૂંકા નોટિસ પર તેમણે થોડા સમય માટે ભારત આવવાની મંજૂરી માંગી. આ સાથે જ અમને બાંગ્લાદેશ પ્રશાસન તરફથી ફ્લાઇટ ક્લિયરન્સ માટે મંજૂરી માંગી. તે કાલે સાંજે દિલ્હી પહોંચી છે.”

17 ઓક્ટોબરના સાંજે ભારત સરકારે ઔપચારિક રીતે કહ્યું હતું કે શેખ હસીના હજુ પણ ભારતમાં જ છે.

Related Posts

US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો
  • June 19, 2026

US-Iran Deal: ફેબ્રુઆરી મહિનામાં શરૂ થયેલો વૈશ્વિક તણાવ, જે એક સમયે ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા જન્માવી રહ્યો હતો, તે ૧૮ જૂને એક અચાનક અને આશ્ચર્યજનક વળાંક સાથે સમાપ્ત થયો છે. જે…

Continue reading
India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!
  • June 19, 2026

India UK FTA: ભારત અને યુનાઈટેડ કિંગડમ (UK) વચ્ચે ૧૫ જુલાઈ ૨૦૨૬થી મુક્ત વ્યાપાર કરાર (FTA) અમલી બનવા જઈ રહ્યો છે. સરકાર આ કરારને ભારત અને કોઈ પશ્ચિમી દેશ વચ્ચેનો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bharat Tiwari Encounter: યોગી મોડલની હોડમાં ફસાયા સમ્રાટ ચૌધરી? ભરત તિવારી એન્કાઉન્ટર કેસ બન્યો ગળાનું હાડકું

  • June 21, 2026
  • 2 views
Bharat Tiwari Encounter: યોગી મોડલની હોડમાં ફસાયા સમ્રાટ ચૌધરી? ભરત તિવારી એન્કાઉન્ટર કેસ બન્યો ગળાનું હાડકું

CM Vijay Temple Funds Decision: તમિલનાડુમાં મંદિર ભંડોળને લઈને ઐતિહાસિક ફેરફાર, સીએમ વિજયના નિર્ણયથી હિન્દુ સંગઠનોમાં ખુશી

  • June 21, 2026
  • 4 views
CM Vijay Temple Funds Decision: તમિલનાડુમાં મંદિર ભંડોળને લઈને ઐતિહાસિક ફેરફાર, સીએમ વિજયના નિર્ણયથી હિન્દુ સંગઠનોમાં ખુશી

Indian Army Proposal Controversy: સોશિયલ મીડિયાના યુગમાં સૈન્ય મૂલ્યોની કસોટી, યુવા કેપ્ટનની ઘટનાએ નેતૃત્વ અને તટસ્થતા પર શરૂ કરી નવી ચર્ચા

  • June 21, 2026
  • 6 views
Indian Army Proposal Controversy: સોશિયલ મીડિયાના યુગમાં સૈન્ય મૂલ્યોની કસોટી, યુવા કેપ્ટનની ઘટનાએ નેતૃત્વ અને તટસ્થતા પર શરૂ કરી નવી ચર્ચા

Study Abroad Reality: વિદેશી ભણતરનું કડવું સત્ય, એજન્ટોના માયાજાળમાં કેવી રીતે બરબાદ થઈ રહ્યું છે વિદ્યાર્થીઓનું ભવિષ્ય?

  • June 21, 2026
  • 9 views
Study Abroad Reality: વિદેશી ભણતરનું કડવું સત્ય, એજન્ટોના માયાજાળમાં કેવી રીતે બરબાદ થઈ રહ્યું છે વિદ્યાર્થીઓનું ભવિષ્ય?

Shashi Tharoor Congress: શશિ થરૂર અને કોંગ્રેસ વચ્ચે ફરી વધ્યો તણાવ, પવન ખેડાના ‘મહામાનવ મોદી’ કટાક્ષે ગરમાવી રાજકીય ચર્ચા

  • June 21, 2026
  • 8 views
Shashi Tharoor Congress: શશિ થરૂર અને કોંગ્રેસ વચ્ચે ફરી વધ્યો તણાવ, પવન ખેડાના ‘મહામાનવ મોદી’ કટાક્ષે ગરમાવી રાજકીય ચર્ચા

TMC Political Crisis: પશ્ચિમ બંગાળથી રાષ્ટ્રીય રાજનીતિ સુધી સંદેશ આપતો ટીએમસી સંકટ, પ્રાદેશિક પક્ષો માટે કેમ છે ચેતવણીની ઘંટડી?

  • June 21, 2026
  • 5 views
TMC Political Crisis: પશ્ચિમ બંગાળથી રાષ્ટ્રીય રાજનીતિ સુધી સંદેશ આપતો ટીએમસી સંકટ, પ્રાદેશિક પક્ષો માટે કેમ છે ચેતવણીની ઘંટડી?