CAGએ રેલ્વેમાં 2,604 કરોડ રૂપિયાની ગેરરીતિઓ શોધી કાઢી; સરકારે સ્પષ્ટતા આપવી જોઈએ: સંજય સિંહ

  • India
  • March 13, 2025
  • 0 Comments
  • CAGએ રેલ્વેમાં 2,604 કરોડ રૂપિયાની ગેરરીતિઓ શોધી કાઢી; સરકારે સ્પષ્ટતા આપવી જોઈએ: સંજય સિંહ

12 માર્ચ (ભાષા) આમ આદમી પાર્ટી (AAP)ના સભ્ય સંજય સિંહે બુધવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) એ ભારતીય રેલ્વેમાં 2604 કરોડ રૂપિયાની ગેરરીતિઓ શોધી કાઢી છે અને સરકારે આ સંદર્ભમાં સ્પષ્ટતા આપવી જોઈએ.

રાજ્યસભામાં રેલ્વે મંત્રાલયના કામકાજ પર ચર્ચામાં ભાગ લેતા સિંહે એમ પણ કહ્યું કે મુંબઈના બાંદ્રામાં એક વિકાસ પ્રોજેક્ટ માટે લેવામાં આવેલી લોન પર 834.72 કરોડ રૂપિયાનું વ્યાજ ચૂકવવું પડ્યું છે, તો બીજી તરફ પ્રોજેક્ટ હજું સુધી શરૂ પણ કરવામાં આવ્યો નથી. તેથી ભારતને સીધો 834.72 કરોડ રૂપિયાનું નુકશાન પહોંચ્યું છે.

સિંહે કહ્યું કે જ્યારે અશ્વિની વૈષ્ણવ રેલ્વે મંત્રી બન્યા ત્યારે દેશભરમાં આશા હતી કે રેલ્વેમાં ક્રાંતિકારી પરિવર્તન આવશે પરંતુ તે આશા પૂર્ણ થઈ શકી નહીં.

તેમણે કહ્યું કે રેલ્વે અકસ્માતો અને નાસભાગ જેવી ઘટનાઓ વારંવાર બની રહી છે. તેમણે દાવો કર્યો હતો કે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર તાજેતરમાં થયેલી ભાગદોડ બાદ રેલ્વે મંત્રીને સમયસર તેની જાણ પણ કરવામાં આવી ન હતી.

તેમણે સામાન્ય બજેટમાં રેલવે બજેટનો સમાવેશ કરવા સામે વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે રેલવે બજેટમાં ઘણી જાહેરાતો કરવામાં આવી હતી. સંજય સિંહે કહ્યું કે સરકાર બુલેટ ટ્રેન અને વંદે ભારત ટ્રેનો વિશે ઘણી વાતો કરે છે, પરંતુ સામાન્ય લોકોને “જાનવરોની જેમ પરિવહન કરવામાં આવી રહ્યા છે. કુંભ મેળા દરમિયાન લોકો એસી કોચના કાચ તોડીને અંદર પ્રવેશ કરી રહ્યા હતા.”

તેમણે કહ્યું કે કુલીઓ બેરોજગાર થવાનો ભય ઉભો થયો છે અને તેમને સાચવવાની જરૂરત દેખાઈ રહી છે. તેમણે માંગ કરી કે કુલીઓ માટે પગાર અને અન્ય મદદની જાહેરાત કરવામાં આવવી જોઈએ.

આ પણ વાંચો- ભારતના મુસ્લિમો સામાજિક-આર્થિક રીતે ક્યાં ઉભા છે? શું કહે છે નવો રિપોર્ટ?

તેમણે કહ્યું કે દેશભરમાં 19000 કુલી છે અને 2009માં જાહેરાત કરવામાં આવી હતી કે કુલીઓના બાળકોને નોકરી આપવામાં આવશે પરંતુ તે કાર્ય પૂર્ણ થયું નથી. તેમણે દાવો કર્યો હતો કે રેલ્વેમાં લગભગ ત્રણ લાખ જગ્યાઓ ખાલી છે જે રેલ સલામતી અને સેવાઓને અસર કરે છે.

  • Related Posts

    Air Force: વાયુસેનાનું સુખોઈ-30 MKI વિમાન ક્રેશ; બે પાયલોટ શહીદ
    • March 6, 2026

     Air Force: આસામના કાર્બી આંગલોંગમાં વાયુસેનાનું સુખોઈ-30 MKI વિમાન ક્રેશ થઈ જતા સર્જાયેલી દુર્ઘટનામાં વિમાનના બંને પાયલોટ શહીદ થયા હતા જેમાં સ્ક્વોડ્રન લીડર અનુજ અને ફ્લાઇટ લેફ્ટિનન્ટ પુર્વેશ દુરગકરનો સમાવેશ…

    Continue reading
    Stock Market Crash 2026: મહાયુદ્ધથી શેરબજાર ધડામ: સેન્સેક્સ 1700 પોઈન્ટ તૂટ્યો, રૂપિયો
    • March 4, 2026

    Stock Market Crash 2026: અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે, સેન્સેક્સ ૧૭૦૦ પોઈન્ટ તૂટ્યો હતો અને રૂપિયો ₹૯૨.૧૫ ના રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યો છે,ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિને કારણે આજે ભારતીય શેરબજારમાં…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Iran War: ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝીઝકિઆનની ધમકી, હવે પરિણામ ભોગવવા તૈયાર રહો!

    • March 6, 2026
    • 6 views
    Iran War: ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝીઝકિઆનની ધમકી, હવે પરિણામ ભોગવવા તૈયાર રહો!

    Modi: મોદીજીએ સ્વદેશી ગેસ-તેલની કરેલી મોટી જાહેરાતો ગુબ્બરા સાબિત થઈ? જુઓ ખાસ વિશ્લેષણ

    • March 6, 2026
    • 7 views
    Modi: મોદીજીએ સ્વદેશી ગેસ-તેલની કરેલી મોટી જાહેરાતો ગુબ્બરા સાબિત થઈ? જુઓ ખાસ વિશ્લેષણ

    Morbi: ઈરાન યુદ્ધને પગલે મોરબીનો સિરામિક ઉદ્યોગ ઠપ્પ ; યુદ્ધ લાંબુ ચાલ્યુતો ભારતમાં મોટો આર્થિક ફટકો પડશે!

    • March 6, 2026
    • 10 views
    Morbi: ઈરાન યુદ્ધને પગલે મોરબીનો સિરામિક ઉદ્યોગ ઠપ્પ ; યુદ્ધ લાંબુ ચાલ્યુતો ભારતમાં મોટો આર્થિક ફટકો પડશે!

    Iran war: ઈસ્લામિક વિચારધારા ખતમ કરવા શરૂ થયેલા કથિત જંગમાં સેંકડો નિર્દોષ લોકોના મોત! અબજોનું નુકશાન! જાણો રોજના કેટલો થઈ રહ્યો છે ખર્ચ!

    • March 6, 2026
    • 11 views
    Iran war: ઈસ્લામિક વિચારધારા ખતમ કરવા શરૂ થયેલા કથિત જંગમાં સેંકડો નિર્દોષ લોકોના મોત! અબજોનું નુકશાન! જાણો રોજના કેટલો થઈ રહ્યો છે ખર્ચ!

    Narendramodi: અમેરિકન મહિલા પત્રકારે નરેન્દ્ર મોદીના ઈઝરાયેલ સન્માન માટે જે કહ્યું તે સાંભળી ચોંકી જશો! જાણો મામલો

    • March 6, 2026
    • 18 views
    Narendramodi: અમેરિકન મહિલા પત્રકારે નરેન્દ્ર મોદીના ઈઝરાયેલ સન્માન માટે જે કહ્યું તે સાંભળી ચોંકી જશો! જાણો મામલો

    Air Force: વાયુસેનાનું સુખોઈ-30 MKI વિમાન ક્રેશ; બે પાયલોટ શહીદ

    • March 6, 2026
    • 10 views
    Air Force: વાયુસેનાનું સુખોઈ-30 MKI વિમાન ક્રેશ; બે પાયલોટ શહીદ