CAGએ રેલ્વેમાં 2,604 કરોડ રૂપિયાની ગેરરીતિઓ શોધી કાઢી; સરકારે સ્પષ્ટતા આપવી જોઈએ: સંજય સિંહ

  • India
  • March 13, 2025
  • 0 Comments
  • CAGએ રેલ્વેમાં 2,604 કરોડ રૂપિયાની ગેરરીતિઓ શોધી કાઢી; સરકારે સ્પષ્ટતા આપવી જોઈએ: સંજય સિંહ

12 માર્ચ (ભાષા) આમ આદમી પાર્ટી (AAP)ના સભ્ય સંજય સિંહે બુધવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) એ ભારતીય રેલ્વેમાં 2604 કરોડ રૂપિયાની ગેરરીતિઓ શોધી કાઢી છે અને સરકારે આ સંદર્ભમાં સ્પષ્ટતા આપવી જોઈએ.

રાજ્યસભામાં રેલ્વે મંત્રાલયના કામકાજ પર ચર્ચામાં ભાગ લેતા સિંહે એમ પણ કહ્યું કે મુંબઈના બાંદ્રામાં એક વિકાસ પ્રોજેક્ટ માટે લેવામાં આવેલી લોન પર 834.72 કરોડ રૂપિયાનું વ્યાજ ચૂકવવું પડ્યું છે, તો બીજી તરફ પ્રોજેક્ટ હજું સુધી શરૂ પણ કરવામાં આવ્યો નથી. તેથી ભારતને સીધો 834.72 કરોડ રૂપિયાનું નુકશાન પહોંચ્યું છે.

સિંહે કહ્યું કે જ્યારે અશ્વિની વૈષ્ણવ રેલ્વે મંત્રી બન્યા ત્યારે દેશભરમાં આશા હતી કે રેલ્વેમાં ક્રાંતિકારી પરિવર્તન આવશે પરંતુ તે આશા પૂર્ણ થઈ શકી નહીં.

તેમણે કહ્યું કે રેલ્વે અકસ્માતો અને નાસભાગ જેવી ઘટનાઓ વારંવાર બની રહી છે. તેમણે દાવો કર્યો હતો કે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર તાજેતરમાં થયેલી ભાગદોડ બાદ રેલ્વે મંત્રીને સમયસર તેની જાણ પણ કરવામાં આવી ન હતી.

તેમણે સામાન્ય બજેટમાં રેલવે બજેટનો સમાવેશ કરવા સામે વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે રેલવે બજેટમાં ઘણી જાહેરાતો કરવામાં આવી હતી. સંજય સિંહે કહ્યું કે સરકાર બુલેટ ટ્રેન અને વંદે ભારત ટ્રેનો વિશે ઘણી વાતો કરે છે, પરંતુ સામાન્ય લોકોને “જાનવરોની જેમ પરિવહન કરવામાં આવી રહ્યા છે. કુંભ મેળા દરમિયાન લોકો એસી કોચના કાચ તોડીને અંદર પ્રવેશ કરી રહ્યા હતા.”

તેમણે કહ્યું કે કુલીઓ બેરોજગાર થવાનો ભય ઉભો થયો છે અને તેમને સાચવવાની જરૂરત દેખાઈ રહી છે. તેમણે માંગ કરી કે કુલીઓ માટે પગાર અને અન્ય મદદની જાહેરાત કરવામાં આવવી જોઈએ.

આ પણ વાંચો- ભારતના મુસ્લિમો સામાજિક-આર્થિક રીતે ક્યાં ઉભા છે? શું કહે છે નવો રિપોર્ટ?

તેમણે કહ્યું કે દેશભરમાં 19000 કુલી છે અને 2009માં જાહેરાત કરવામાં આવી હતી કે કુલીઓના બાળકોને નોકરી આપવામાં આવશે પરંતુ તે કાર્ય પૂર્ણ થયું નથી. તેમણે દાવો કર્યો હતો કે રેલ્વેમાં લગભગ ત્રણ લાખ જગ્યાઓ ખાલી છે જે રેલ સલામતી અને સેવાઓને અસર કરે છે.

  • Related Posts

    Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!
    • June 17, 2026

    Abhijit Dipak Jaipur Attack: રાજસ્થાનના જયપુરમાંથી એક અત્યંત ચોંકાવનારો અને લોકશાહીની ગરિમાને કલંકિત કરનારો કિસ્સો સામે આવ્યો છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દીપકે પર થયેલા હુમલાના આરોપીઓને…

    Continue reading
    Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન
    • June 17, 2026

    Jana Sena National Expansion: આંધ્રપ્રદેશના રાજકારણમાં જબરદસ્ત સફળતા મેળવ્યા બાદ હવે જનસેના પાર્ટી (JSP) ના અધ્યક્ષ કે. પવન કલ્યાણની નજર સમગ્ર દેશના ફલક પર છે. તાજેતરમાં દિલ્હીમાં આયોજિત પક્ષના ‘સેના…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!

    • June 17, 2026
    • 3 views
    Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!

    Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

    • June 17, 2026
    • 4 views
    Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

    Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

    • June 17, 2026
    • 6 views
    Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

    China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

    • June 17, 2026
    • 11 views
    China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

    Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

    • June 17, 2026
    • 10 views
    Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

    NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ

    • June 17, 2026
    • 11 views
    NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ