
Kunal Kamra: કોમેડિયન કુણાલ કામરાએ નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર એક ફિલ્મ ગીતની રાજનેતીક સ્વરુપે રચના કરી ગાયું હતુ. અને શિંદેનું નામ લીધા વિના તેમની હકીકત શું છે તે ગીતમાં દર્શાવવામાં આવ્યું હતુ. જો કે મહારાષ્ટ્રના રાજકારણ પર ટિપ્પણી પર ગીત બનાવવું કોમેડિયનને ભારે પડ્યું છે. કોમેડિયને એકનાથ શિંદે પર જોરદાર નિશાન સાધ્યું હતુ. જો કે હવે તેના સ્ટુડિયામાં તોડફોડ થઈ છે.
શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે પાર્ટીના સાંસદ સંજય રાઉતે કુણાલ કામરાનો ગીત રજૂ કરતો વીડિયો ટ્વીટ કર્યો છે. સંજય રાઉતે વીડિયો સાથે કહ્યું, કુણાલ અદ્ભુત છે. મહારાષ્ટ્રની જય હો. કુણાલે ત્રણ વર્ષ પહેલા મહારાષ્ટ્રના રાજકારણમાં થયેલા વિકાસ પર ટિપ્પણી કરતી વખતે એકનાથ શિંદે પર નિશાન સાધ્યું છે. બીજી તરફ ગુસ્સે ભરાયેલા શિવ સેનાના કાર્યકરોએ શિંદેને ગદ્દાર કહેવા પર રોષે ભરાયા છે. કોમેડિયન કુણાલ કામરાના મુંબઈ સ્ટુડિયોમાં તોડફોડ કરી હતી. આરોપ છે કે આ વિવાદાસ્પદ વીડિયોમાં તેમણે પીએમ મોદી અને અમિત શાહ પર પણ ખોટી રીતે નિશાન સાધ્યું છે. જાણવા મળી રહ્યું છે કે કોમેડિયન વિરુધ્ધ થાર પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે.
कुनाल की कमाल!
जय महाराष्ट्र! https://t.co/U4Jxdo4dCm— Sanjay Raut (@rautsanjay61) March 23, 2025
ઉદય સામંતની મોટી ચેતવણી
કુણાલ કામરાની કવિતા રાજકીય વિવાદ ઉભો કરે તેવી શક્યતા છે. મંત્રી ઉદય સામંતે કુણાલ કામરા સામે કેસ દાખલ કરવાની ચેતવણી આપી છે. ઉદય સામંતે કહ્યું, આખું ગીત સાંભળ્યા પછી, અમારા ધારાસભ્ય કુણાલ કામરા વિરુદ્ધ FIR નોંધાવવાના છે. જો આ ગીત એકનાથ શિંદે માટે અપમાનજનક હોય અને કોઈ આ રીતે ગાવાનું શરૂ કરે, તો આપણે ધારાસભ્યો, પદાધિકારીઓ અને કાર્યકરો કોઈનું સાંભળશું નહીં. અમે પોલીસ પાસેથી તેમની સામે કાર્યવાહીની માંગ કરીશું. ઉદય સામંતની ચેતવણી બાદ, આ ગીત પર રાજકારણ ગરમાયું છે.
આ પણ વાંચોઃ Gujarat: ગાજવીજ સાથે કમોસમી વરસાદની સંભાવના
આ પણ વાંચોઃ અમદાવાદમાં યુગલે સાબરમતીમાં કૂદીને કર્યો આપઘાત