અમદાવાદમાં યુગલે સાબરમતીમાં કૂદીને કર્યો આપઘાત

  • અમદાવાદમાં યુગલે સાબરમતીમાં કૂદીને કર્યો આપઘાત

રાજ્યમાં આપઘાતના કેસોમાં ખુબ જ વધારો થયો છે. વિદ્યાર્થીઓથી લઈને સામાન્ય લોકો આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. અમદાવાદ સાબરમતી નદીમાં એક યુગલે ઝંપલાવીને આત્મહત્યા કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

ખાનપુર સાબરમતી રિવરફ્રન્ટ પાસે નદીમાં યુગલે હાથમાં દુપટ્ટો બાંધી નદીમાં કૂદીને આપઘાત કર્યો છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ સહિત પોલીસ ઘટનાસ્થળે દોડી પહોંચી છે અને બંને યુવક અને યુવતીને નદીમાંથી બહાર કાઢીને ચકાસતા બંને મૃત હાલતમાં જણાયા હતા. પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આજે રવિવારે સાંજે 4 વાગ્યાની આસપાસ ખાનપુર તરફ કામા હોટલ પાસે આવેલા વોક વે પરથી યુવક-યુવતીએ નદીમાં ઝંપલાવ્યું હતું. આ મામલે સાબરમતી નદીના રેસ્ક્યુ ટીમે જાણ થતાં ઘટનાસ્થળે દોડીને યુગલે નદીમાંથી બહાર કાઢ્યા હતા. આ પછી 108 એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા બંનેને તપાસતા યુગલ મૃત જાહેર કર્યા હતા.

આપઘાતના કેસમાં બંને યુવક-યુવતીએ હાથમાં દુપટ્ટો બાંધીને મોતને વ્હાલું કર્યુ હતું. યુવતીના ડાબા હાથે પ્રિયાંશી લખેલું ટેટૂ જોવા મળ્યું છે. સમગ્ર મામલે રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • Related Posts

    Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
    • June 19, 2026

    Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

    Continue reading
    Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
    • June 18, 2026

    Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

    • June 19, 2026
    • 2 views
    India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

    Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

    • June 19, 2026
    • 6 views
    Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

    TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ

    • June 19, 2026
    • 7 views
    TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ

    Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

    • June 19, 2026
    • 8 views
    Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

    Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

    • June 19, 2026
    • 11 views
    Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

    Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

    • June 18, 2026
    • 10 views
    Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?