હવે દ્વારકાધીશ અંગે સ્વામી નીલકંઠ ચરણદાસજીની ખોટી ટિપ્પણી, મોગલ ધામના મણિધરબાપુ રોષે ભરાયા | Dwarkadhish

  • Gujarat
  • March 27, 2025
  • 0 Comments

Dwarkadhish: સ્વામી નીલકંઠ ચરણદાસજીની દ્વારકાધીશ અંગેની ટીપ્પણી પર મોઘલ ધામના ગાદીપતિ મણિધરબાપુ રોષે ભરાયા છે. તેમણે સ્વામીને આડે હાથ લીધા છે. મણીધરબાપુએ નીલકંઠ ચરણસ્વામીના નિવેદનને ટાંકીને કહ્યું કે આ એસેમ્બલ કંપની હરામનું ખાય ખાય જેમ ફાવે તેમ બફાટ કરે છે, તેમને પૈસા આપવાનું બંધ કરો.

મણીધરબાપુએ વધુમાં કહ્યું  ‘આ એક બાપુનો અઢારેય વર્ણને આદેશ છે. પોતાની નાની લીટી મોટી કરવા બેઠા છે. હરામનું ખાઇ ખાઇ, પૈસા આપવાનું બંધ કરો. કરોડોનાં મંદિર બાંધી જેમ આવે તેમ બફાટ કરે છે.

શું બોલ્યા હતા નીલકંઠ ચરણ સ્વામી?

નીલકંઠ ચરણ સ્વામીએ એવા સમયે નિવેદન આપ્યુ છ કે એક બાજુ સ્વામિનારાયણના પુસ્તકમાં દ્વારકા અંગે ખોટું લખાણ લખાયું છે. તેનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ હવે આ સ્વામીનું નિવેદન આપ્યું છે. જેથી હવે વારંવાર સ્વામીઓ ખોટા નિવેદનો આપવા પેધા પડી ગયા તેમ લાગે છે.

સુરતના વેડરોડ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી નીલકંઠ ચરણ સ્વામીએ નિવેદન આપ્યું હતું કે “દ્વારકાપતિએ મહારાજને પ્રાર્થના કરી હતી કે જો તમે મોટું ધામ બનાવો, વિશાળ મંદિર બનાવો, તો મારી ઈચ્છા છે કે ત્યાં આવીને હું નિવાસ કરું.” સ્વામીના આ નિવેદનને આહીર સમાજે દ્વારકાધીશ શ્રીકૃષ્ણના અસ્તિત્વ અંગે અનાદરજનક ગણાવી તેની સામે વિરોધપ્રદર્શન કર્યું હતું.

ઉલ્લેખનયી છે કે તાજેતરમાં જ  સ્વામિનારાયણ સંપ્રદાયના ધાર્મિક ગ્રંથમાં ‘દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે? ભગવાનનાં દર્શન કરવા હોય તો વડતાલ જાઓ,’ દ્વારકા અંગે આવું વિવાદાસ્પદ લખાણ લખ્યું હતું, જેને કારણે સનાતન ધર્મના અનુયાયીઓમાં ભારે રોષ ફેલાયો છે. જેના અનુસંધાનમાં આ નીલકંઠ ચરણ સ્વામીએ નિવેદન આપતાં તેઓ પણ હવે વિવાદની લપેટમાં આવી ગયા છે.

 

આ પણ વાંચોઃ Dwarka: સ્વામીનારાયણના પુસ્તકમાં દ્વારકા અંગે શું લખ્યું કે વિવાદ થયો?

આ પણ વાંચોઃ જ્ઞાનપ્રકાશ સ્વામીએ વીરપુર મંદિરે જઈ જલારામ બાપાની માફી માગી| Swami Gyanprakash

આ પણ વાંચોઃ કહાનવાડી જમીન કૌભાંડ: ત્યાગ વલ્લભ સ્વામીનું પૂતળું સળગાવાયું, ગ્રામજનો ઉગ્ર |Kahanvadi land Scame

આ પણ વાંચોઃ જ્ઞાનપ્રકાશ સ્વામીનો વધુ એક બફાટ, કહ્યું મહાભારત કોઈ લેખકે લખેલી દંતકથા

 

Related Posts

Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું
  • April 30, 2025

Amreli Accident: રાજકોટથી અમેરલી જતાં ડીઝલ ટેન્કરમાં એકાએક બ્લાસ્ટ થઈ ગયો છે. બાબરા-અમેરલી રોડ પર લુણકી ગામ નજીક ડિઝલ ટેન્કરમાં બ્લાસ્ટ થતાં ડ્રાઈવર સળગી જતાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયું…

Continue reading
Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર
  • April 30, 2025

Ahmedabad Chandola, Lake Demolition:  અમદાવાદના ચંડોળા તળાવ નજીક છેલ્લા 40 વર્ષથી રહેલાં લોકોના ઘરો-ઝુંપડાં તોડવાનું ગઈકાલ(29 એપ્રિલ) સાવારથી શરુ કર્યું છે. આજે બીજા દિવસે પણ ડિમોલેશનનું કામ ચાલું છે. 1…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

  • April 30, 2025
  • 8 views
Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

  • April 30, 2025
  • 12 views
Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?

  • April 30, 2025
  • 16 views
નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?

Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

  • April 30, 2025
  • 19 views
Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

  • April 29, 2025
  • 30 views
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 39 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?