Kheda: ફરી ઝડપાયો નકલી ઘીનો વેપલો, તંત્ર બેદરકાર, કોના સહારે બીજીવાર ફેક્ટરી ધમધમતી થઈ?

Kheda:  ખેડા જીલ્લા હવે નકલી વસ્તુઓનો હબ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. દર વર્ષે કંઈકને કંઈ વસ્તુઓ નકલી ઝડપાઈ રહ્યું છે. ત્યારે હવે નડિયાદના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ સલુણ તળપદ ગામે મોટી કાર્યવાહી કરી 3100 કિલોથી વધુ નકલી ઝડપી પાડ્યું છે. તંત્રએ શ્રી ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સમાંથી નકલી ઘી પકડ્યું છે. ઉલ્લેખનયી છે અગાઉ પણ આ જ ફેક્ટરીમાંથી નકલી ઘી ઝડપાયું હતુ. જો કે ફરી આ ફેકટરી કોના સહારે ધમધમી રહી હતી તે પણ સવાલ છે.

નડિયાદ-ડાકોર રોડ પર સલુણ ગામમાં આવેલી “ક્ષેમ કલ્યાણી મિલ્ક પ્રોડક્ટ” નામની ફેક્ટરીમાંથી મોટી માત્રામાં નકલી ઘી ઝડપાયું છે. નડિયાદના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડો પાડી  નકલી ઘી ઝડપી પાડ્યું છે. જ્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસ હાથ ધરીને 3100 કિલોથી વધુ ભેળસેળયુક્ત ઘી જપ્ત કર્યું છે. આ ઘટના માર્ચ 26, 2025ના રોજ સામે આવી હતી, અને તેમાં બટર ઓઈલ અને ઘીના ફ્લેવરનો ઉપયોગ કરીને ભેળસેળ કરવામાં આવતી હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. આ કેસમાં પેઢીનું FSSA લાઈસન્સ તાત્કાલિક રદ કરવામાં આવ્યું હોવાની વિગતો મળી રહી છે અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ફેક્ટરીમાંથી 1500 કિલો ઘી (રૂ. 5.25 લાખ), 1600 કિલો બટર ઓઈલ (રૂ. 3.5 લાખ) અને 1 લિટર ઘીની ફ્લેવર (રૂ. 3600) જપ્ત કર્યા છે. ઝડપાયેલા મુદ્દામાલની રકમ લગભગ રૂ. 8.75 લાખ આંકવામાં આવી છે. હાલ ફેક્ટરી વિરુધ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

2023 માં પણ આ જ ફેક્ટરી નકલી ઘી બનાવતી ઝડપાઈ હતી.

ઉલ્લેખનીય છે ક્ષેમ કલ્યાણી મિલ્ક પ્રોડક્ટમાંથી 2023 સપ્ટેમ્બરમાં પણ નકલી ઘી ઝડપાયુ હતુ. ત્યારે ફરીથી આ ફેક્ટરી કેવી રીતે શરૂ થઈ ગઈ તે મોટો સવાલ ઊભો થયો છે. કોના ઓથા હેઠળ ફેકટરી ધમધમી રહી છે. તંત્ર શું કરી રહ્યું હતુ? તે ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચોઃ  હવે દ્વારકાધીશ અંગે સ્વામી નીલકંઠ ચરણદાસજીની ખોટી ટિપ્પણી, મોગલ ધામના મણિધરબાપુ રોષે | Dwarkadhish

આ પણ વાંચોઃ  Vyara: બોલો અહીં ખેડૂતોએ ખેતરમાં જવા ટોલ ચૂકવવો પડે છે, ભારે વિરોધ (VIDEO)

આ પણ વાંચોઃ  US: ટ્રમ્પના અધિકારીઓની મોટી ભૂલ, એપમાંથી ગૃપ્ત માહિતી લીક, જુઓ VIDEO

આ પણ વાંચોઃ  Gandhinagar: 2100થી વધુને છૂટા કર્યા પણ આરોગ્ય કર્મચારીઓ અડગ, હડતાળનો 11મો દિવસ

 

Related Posts

Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર
  • May 11, 2026

Chhotaudepur Sihada water Crisis: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલું સિહાદા ગામ અત્યારે આકરા ઉનાળાની સાથે પાણીની અત્યંત વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. આશરે ૭૦૦૦ની વસ્તી ધરાવતા આ ગામમાં પીવાના…

Continue reading
Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા
  • May 10, 2026

Gujarat Tribal Politics: ગુજરાતની ૨૦૨૬ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જ્યાં મોટા રાજકીય પક્ષો અને મંત્રીઓની ફોજ ઉતારવામાં આવી હતી, ત્યાં આદિવાસી નેતા ચૈતર વસાવા એક પ્રભાવક ચહેરા તરીકે ઉભરી આવ્યા છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Congress on New Labour Code: ‘હાયર એન્ડ ફાયર’ નીતિ લાવવાનો આરોપ, મલ્લિકાર્જુન ખરગેએ નવા શ્રમ કાયદાઓને ગણાવ્યા મજૂર વિરોધી

  • May 11, 2026
  • 1 views
Congress on New Labour Code: ‘હાયર એન્ડ ફાયર’ નીતિ લાવવાનો આરોપ, મલ્લિકાર્જુન ખરગેએ નવા શ્રમ કાયદાઓને ગણાવ્યા મજૂર વિરોધી

Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા

  • May 11, 2026
  • 3 views
Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા

INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

  • May 11, 2026
  • 3 views
INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

  • May 11, 2026
  • 8 views
Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

  • May 10, 2026
  • 10 views
Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

  • May 10, 2026
  • 9 views
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં