
Surendranagar In Mineral Theft: સુરેન્દ્રનગરના ચોટીલામાંથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ ઝડપાયો છે. ચોટીલા પ્રાંત અધિકારીએ વિસ્ફોટક પદાર્થોના સંગ્રહ અને વેચાણના 4 ગોડાઉનો પર રેડ પાડીને મોટી કાર્યવાહી કરી છે. દરોડામાં રૂ. 67 લાખની કિંમતનો વિસ્ફોટક પદાર્થ જપ્ત કરી લેવામાં આવ્યો છે.
ચોટીલા, નાવા, મેવાસા અને સરસાણા વિસ્તારોમાં આવેલા ગોડાઉનોમાંથી આ જથ્થો ઝડાપાયો છે. આ ગોડાઉનોના માલિક અનિરુદ્ધસિંહ પ્રવીણસિંહ ઝાલા, જાડેજા ધ્રુવરાજસિંહ અને પી. ડી. રાવલના હોવાનું સામે આવ્યું છે. એલ્યુમિનિયમ સુપર ઇલેક્ટ્રિક ડિટોનેટેડ સોલાર કાર્ડ, ઇકો પ્રાઇમ સુપર પાવર-90 જેવા વિસ્ફોટકોનો સમાવેશ થાય છે. ધરતીમાંથી ખનિજો કાઢવા માટે ખનિજ માફિયાઓ આ સ્ફોટક પદાર્થોનો ઉપયોગ કરે છે. ખનિજ માફિયાઓ ધરતીના પેટાળમાંથી ખનિજ કાઢવા ધડાકા કરતાં હોય છે. જુઓ આ વીડિયોમાં આ મુદ્દે ખાસ ચર્ચા.
આ પણ વાંચોઃ ટ્રમ્પના ટેરિફથી શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ-નિફ્ટી 1.5 ટકાથી વધુ ઘટીને બંધ
આ પણ વાંચોઃ PM પદ માટે CM યોગીએ આપ્યું મોટું નિવેદન, શું કહ્યું?
આ પણ વાંચોઃ Deesa: ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ: મૃતકોની સંખ્યા 18 પર પહોંચી, અનેક મજૂરો ગંભીર
આ પણ વાંચોઃ પાયલ ગોટી પ્રકરણની PM મોદીને જાણ કરાઈ, ગૃહમંત્રી હર્ષ સંઘવી કૌશિક વેકરીયાને છાવરે છે?