
Surat Takshashila incident: બનસકાંઠાના ડીસમાં ફટાકડાંની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં 21 મજૂરોના મોત થઈ ગયા છે. જેથી દેશભરમાં હંગામો મચી ગયો છે. ગુજરાતમાં રાજકોટ ગેમઝોન, મોરબી પુલ દુર્ઘટના, સુરતનો તક્ષશિલા અગ્નિકાંડ જેવી અનેક ઘટના બનવા છતાં સરકાર કોઈ બોધપાઠ લઈ રહી નથી. યોગ્ય પગલાં લઈ રહી નથી. અધિકારીઓ સામે પગલાં લેવાતાં નથી. જેથી ગુજરાતમાં લોકોના જીવ જીઈ રહ્યા છે. ત્યારે તક્ષશિલા અગ્નિ કાંડને 6 વર્ષ જેટલો સમય થવા આવ્યો છતાં પરિવારને ન્યાય મળ્યો નથી. તેની વીડિયોમાં ચર્ચા કરવામાં આવી છે.
2019માં થયો હતો તક્ષશિલા અગ્નિ કાંડ
24 મે, 2019ના રોજ, સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડમાં આગ ફાટી નીકળી હતી. તેમાં 22 વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં હતાં. અહીં વિદ્યાર્થીઓ કોચિંગ સેન્ટરમાં આવતાં હતા. આ ઘટના ભારે હ્રદયવિદારક અને પીડાદાયક હતી, અને રાજ્ય તેમજ દેશભરમાં આ ઘટના સામે ભારે આક્રોશ અને દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતુ. જો કે આજે આ ઘટનાને 6 વર્ષ જેટલો સમય થઈ જવા આવ્યો છે છતાં બાળકોના પરિવારનો ન્યાય મળ્યો નથી. જુઓ આ વીડિયો.
આ પણ વાંચોઃ Rajkot Bali: માતાજીના મઢે પોલીસની રેડ, ભૂવો મુઠ્ઠી વાળીને ભાગ્યો(VIDEO)
આ પણ વાંચોઃ ડીસામાં થયેલા 21 લોકોના મોત મામલે કયા અધિકારીઓ અને નેતાઓ જવાબદાર? |DEESA
આ પણ વાંચોઃ ભાજપ સરકાર ઈજ્જત કેમ ખોઈ રહી છે?, ડીસામાં 21 લોકોના જીવ ગયા! | DEESA | GUJARAT|
આ પણ વાંચોઃ Deesa: અગ્નિકાંડ મામલો: પરિવારની સહમતિ વગર મૃતદેહો વતન મોકલી દેવાયા, માતાની વેદના
આ પણ વાંચોઃ જો વક્ફ બીલ સંસદમાં પસાર થશે, તો અમે શાંત બેસીશું નહીં, દેશવ્યાપી આંદોલન કરીશું: AIMPLB