અદાણીએ પોતાના “ધંધા” માટે છત્તીસગઢના હસદેવ જંગલનો કર્યો સફાયો Save Hasdeo

  • India
  • April 6, 2025
  • 0 Comments
  • શું વડાપ્રધાન મોદીના “અંગત” અદાણીને કાયદો લાગુ નથી પડતો?
  • છત્તીસગઢના હસદેવ જંગલમાં લગભગ 5000 એકર ગાઢ જંગલનો નાશ કરાયો

SAVE HASDEO । માલેતુજારોની મોદી સરકારને ગરીબ અને મધ્યમવર્ગના દુઃખ દર્દ નથી દેખાતાં એ તો સમજ્યાં… પરંતુ, મોદી સરકારને મુંગા જીવો અને પર્યાવરણની પણ પડી નથી, એવું છત્તીસગઢની ઘટના પરથી સ્પષ્ટ થાય છે.

છત્તીસગઢના હસદેવ જંગલ વિસ્તારમાં અદાણી ગ્રૂપ દ્વારા ખનનનો મોટો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. હસદેવ જંગલના આદિવાસીઓ સહિતના સ્થાનિક લોકો અદાણીના પ્રોજેક્ટનો ભારે વિરોધ કરી રહ્યાં છે. પરંતુ, અદાણી સામે હાથ જોડીને અદબથી મુજરો કરતી ભાજપા સરકારના બહેરા કાન સુધી વિરોધના પડઘાં પહોંચી શકતા નથી.

બીજી તરફ તાજેતરમાં જ અદાણી ગ્રૂપ દ્વારા હસદેવ જંગલમાં લગભગ 5000 એકર ગાઢ જંગલનો નાશ કરી દેવામાં આવ્યો છે. ગૌતમ અદાણીને કરોડો રૂપિયાનો કારોબાર મળે એ માટે મહામૂલ્યવાન જંગલને નષ્ટ કરી દેવાને કારણે આદિવાસીઓ તો ઠીક પરંતુ, જંગલમાં વસવાટ કરતાં જાનવરોને ભારે કનડગત ભોગવવી પડી છે. તો બીજી તરફ પર્યાવરણને પણ મોટું નુકસાન પહોંચ્યું છે.

અદાણી ગ્રૂપ દ્વારા જંગલનો નાશ કરાયો તે અંગે આમ તો ગોદી મિડીયામાં કોઈ જ ચર્ચા જોવા મળતી નથી. અને મોદી ભક્તિને કારણે ગોદી મિડીયા આની ચર્ચા ના કરે તે સમજી શકાય તેમ છે. પરંતુ, સોશિયલ મિડીયા પર જાગૃત નાગરિકો તેમજ પર્યાવરણ પ્રેમીઓ દ્વારા અદાણીના પગલાંની આકરી ટીકા કરવામાં આવી રહી છે.

હસદેવ અરંડ ક્ષેત્રમાં કુદરતી કોલસાનો ભંડાર છે અને અદાણી ગ્રૂપ કુદરતની આ સંપત્તિની લૂંટ કરીને કરોડોની કમાણી કરશે. અદાણીનો ધંધો વધારવા માટે મોદી અને ભાજપા સરકાર આંખ આડા કાન કરવાનો ધંધો કરી રહી છે એ સ્પષ્ટ દેખાય છે. જોકે, અદાણી ગ્રૂપ દ્વારા રૂપિયા ખર્ચીને હસદેવ પ્રોજેક્ટના વખાણ કરાવવાના શરૂ કરી દીધાં છે. જેમાં અદાણી ગ્રૂપના આ પ્રોજેક્ટનાં મોં ફાટ વખાણ કરતાં આર્ટિકલ્સ લખાઈ રહ્યાં છે. પરંતુ, વાસ્તવિકતા છે કે ગમે તેટલું ગળ્યું હોય, ઝેર તો ઝેર જ રહેવાનું.

 

 

Related Posts

Modi Birthday School Celebration: મધ્યસત્ર પરીક્ષા વચ્ચે સરકારી શાળાઓમાં PM મોદીના જન્મદિવસની ઉજવણી, શિક્ષણ પર વધારાના બોજનો સવાલ
  • September 17, 2026

Modi Birthday School Celebration: દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે દિલ્હીની સરકારી શાળાઓમાં વિશેષ કાર્યક્રમો યોજવાના નિર્દેશને લઈને શિક્ષણ ક્ષેત્રે ચર્ચા શરૂ થઈ છે. દિલ્હીની ઓછામાં ઓછી 75 સરકારી…

Continue reading
Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં 32 બૈગા બાળકોનાં મોત, ખસરો-મેલેરિયા વચ્ચે આરોગ્ય વ્યવસ્થાની નિષ્ફળતા પર સવાલ
  • September 17, 2026

Balaghat Baiga Children Deaths: મધ્ય પ્રદેશના બાલાઘાટ જિલ્લાના બિરસા-બૈહર વિસ્તારમાં ખસરો-રુબેલા સહિતના ચેપથી બૈગા સમુદાયના બાળકોનાં મૃત્યુએ આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. બોંદારી, કોંડેકસા,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ

  • September 17, 2026
  • 3 views
Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ

Modi Birthday School Celebration: મધ્યસત્ર પરીક્ષા વચ્ચે સરકારી શાળાઓમાં PM મોદીના જન્મદિવસની ઉજવણી, શિક્ષણ પર વધારાના બોજનો સવાલ

  • September 17, 2026
  • 4 views
Modi Birthday School Celebration: મધ્યસત્ર પરીક્ષા વચ્ચે સરકારી શાળાઓમાં PM મોદીના જન્મદિવસની ઉજવણી, શિક્ષણ પર વધારાના બોજનો સવાલ

Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં 32 બૈગા બાળકોનાં મોત, ખસરો-મેલેરિયા વચ્ચે આરોગ્ય વ્યવસ્થાની નિષ્ફળતા પર સવાલ

  • September 17, 2026
  • 5 views
Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં 32 બૈગા બાળકોનાં મોત, ખસરો-મેલેરિયા વચ્ચે આરોગ્ય વ્યવસ્થાની નિષ્ફળતા પર સવાલ

Rising Violence in India: પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જો સલામત રહેવું હોય તો આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ના કરશો!

  • September 17, 2026
  • 5 views
Rising Violence in India: પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જો સલામત રહેવું હોય તો આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ના કરશો!

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 6 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા