હવે LPG ગેસના ભાવમાં 50 રૂપિયાનો વધારો, શું છે કારણો?

  • India
  • April 7, 2025
  • 0 Comments

LPG Gas Price: સરકાર હવે જનતા પર મોંઘવારી ઝીકી રહી છે. સરકાર લોકોને રાહત આપવાની વાત છોડો, જે સ્થિતિ છે તેની પણ યથવાત રાખી શકતી નથી. પેટ્રોલ અને ડીઝલ બાદ હવે LPG ગેસના ભાવમાં પણ 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારાની જાહેરાત કરતા મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે અમે આગામી દિવસોમાં તેની સમીક્ષા કરીશું.

ઉલ્લેખનયી છે કે આજે જ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ 2 રૂપિયાનો વધારો કર્યો છે. તમને જણાવી દઈએ કે, LPG ગેસ અને પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવ આજે રાત્રે 12 વાગ્યાથી અમલમાં આવશે.

સરકારે શું કહ્યું?

સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મંગળવાર, 8 એપ્રિલ, 2025 થી LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવી રહ્યો છે. આ વધારો બધા ગ્રાહકો એટલે કે ઉજ્જવલા યોજના અને ઉજ્જવલા સિવાયના ગ્રાહકોને લાગુ પડશે.

હરદીપ સિંહ પુરીએ શું કહ્યું?

કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે LPG સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવશે. ઉજ્જવલા યોજના (PMUY) ના લાભાર્થીઓ માટે, ગેસ સિલિન્ડરની કિંમત હવે 500 રૂપિયાથી વધીને 550 રૂપિયા થશે, જ્યારે અન્ય ગ્રાહકોએ હવે 803 રૂપિયાને બદલે 853 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે ગુજરાતમાં  રુ. 809ની જગ્યાએ રુ. 859માં ગેસનો બાટલો મળશે. આભાવ વધારો આવતીકાલથી લાગુ થવાનો છે.

LPG ગેસ સિલિન્ડરના ભાવ વધારાના કારણો?

LPG ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. 50નો વધારો થવાનું કારણ સામાન્ય રીતે બજારની પરિસ્થિતિઓ, આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ, ડોલર સામે રૂપિયાનું મૂલ્ય, અને સરકારની નીતિઓ પર આધારિત હોય છે. આ વધારો ઘરેલું (14.2 કિલો) સિલિન્ડરને લાગુ પડે છે. જ્યારે કોમર્શિયલ સિલિન્ડરના ભાવામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

 

આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો: LPGની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસના ભાવ પર નિર્ભર કરે છે. જો આ ભાવ વધે, તો તેની અસર LPGના ભાવ પર પડે છે.

વિનિમય દર: ભારતમાં LPG મોટા ભાગે આયાત થાય છે, અને ડોલરમાં ચૂકવણી થાય છે. જો રૂપિયો ડોલર સામે નબળો પડે, તો આયાત ખર્ચ વધે છે, જે ભાવ વધારાનું કારણ બને છે.

સરકારી નીતિ અને ટેક્સ: સરકાર દ્વારા સબસિડીમાં ફેરફાર કે ટેક્સ દરોમાં વધારો પણ ભાવને અસર કરે છે. જો સબસિડી ઘટે અથવા ટેક્સ વધે, તો ગ્રાહકોને વધુ ચૂકવવું પડે છે.

 

આ પણ વાંચોઃ પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાની વાહનચાલકો પર શુ અસર? | Petrol-Diesel Price

આ પણ વાંચોઃ   Valsad: હર્ષ સંઘવી અને પાટીલના મતવિસ્તાર પાસે શરમજનક ઘટના, ગોડસેના પોસ્ટર લાગ્યા, કોના સહારે?

આ પણ વાંચોઃ  મોદીના ગઢ ગુજરાતમાં ગાબડું પાડવા કોંગ્રેસનું અધિવેશન | Congress Adhiveshan

આ પણ વાંચોઃ MPમાં નકલી ડોક્ટરે 7 લોકોની હાર્ટ સર્જરી કરતાં મોત, આયુષ્માન યોજનાના દુર્પયોગની આશંકા

 

Related Posts

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા
  • September 16, 2026

Manusmriti and BR Ambedkar: 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું તેના બે દિવસ પહેલાં સમાજ સુધારક અને કોંગ્રેસ નેતા કેશવરાવ જેધેએ ડૉ. બી.આર. આંબેડકર અને તેમના સાથીઓને બંધારણ…

Continue reading
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા
  • September 16, 2026

Noise Pollution India: દિલ્હીના કિલોકરી વિસ્તારમાં જાણીતા મણિપુરી સંગીતકાર, શિક્ષક અને રૉક બૅન્ડ ફીનિક્સના ગિટારિસ્ટ ચોંગથામ વિક્રમ સિંહની હત્યાએ ભારતમાં વધતા ધ્વનિ પ્રદૂષણ અને જાહેર સ્થળે અવાજના ઉપયોગ અંગે ગંભીર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 9 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત