સાઉદી અરેબિયાએ ભારત-પાકિસ્તાન સહિત 14 દેશો પર વિઝા પ્રતિબંધ લગાવ્યો, જાણો કારણ? | Saudi Arabia bans visa

  • World
  • April 7, 2025
  • 0 Comments

Saudi Arabia bans visa for 14 countries: હજ યાત્રા 29 એપ્રિલ 2025થી શરુ થવાની છે. ત્યારે ઇસ્લામના આસ્થાના ગઢ તરીકે જાણીતા સાઉદી અરેબિયાએ ભારત અને પાકિસ્તાન સહિત 14 દેશો માટે અસ્થાયી રૂપે વિઝા પર પ્રતિબંધ મૂક્યો છે. સાઉદી અરેબિયા સરકાર દ્વારા આ કામચલાઉ પ્રતિબંધ બિઝનેસ અને ફેમિલી વિઝા તેમજ ઉમરાહ વિઝા પર લાગુ થશે.

ઉલ્લેખનીય છે કે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના નેતૃત્વ હેઠળની સાઉદી સરકારે અન્ય દેશોના લોકોને નોંધણી વગર હજમાં ભાગ લેતા અટકાવવા માટે આ પ્રતિબંધ લાદ્યો છે. જોકે આ પ્રતિબંધ બધા દેશો પર જૂનના મધ્ય સુધી એટલે કે આ વર્ષે હજ પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે. તે પછી વિઝા કાર્યક્રમ ફરીથી સામાન્ય રીતે લાગુ કરવામાં આવશે.

ક્રાઉન પ્રિન્સે વિઝા પ્રતિબંધનો નિર્ણય કેમ લીધો?

હકીકતમાં સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ગયા વર્ષે હજારો લોકોના મોતને ધ્યાનમાં રાખીને આ વર્ષે વિઝા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. ગયા વર્ષે હજ દરમિયાન થયેલી ભાગદોડમાં 1,000 થી વધુ લોકોના મોત થયા હતા. મૃત્યુ પામેલા મોટાભાગના લોકો અનધિકૃત હજ યાત્રાળુઓ હતા. આવી સ્થિતિમાં, આ વર્ષે કામચલાઉ વિઝા પ્રતિબંધના આ નિર્ણય પાછળનું કારણ બિનનોંધાયેલ હજ યાત્રીઓને રોકવાનું છે.

સાઉદી અરેબિયાના વિઝા પ્રતિબંધમાં કયા દેશોનો સમાવેશ થાય છે?

સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને હજ યાત્રાના સુચારુ સંચાલન માટે 14 દેશો માટે વિઝા નિયમોમાં ફેરફાર કર્યા છે. સાઉદી અરેબિયાએ જે દેશોમાં વિઝા પ્રતિબંધ લાદ્યો છે તેમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, નાઇજીરીયા, ઇરાક, જોર્ડન, અલ્જેરિયા, સુદાન, ઇથોપિયા, ટ્યુનિશિયા અને યમનનો સમાવેશ થાય છે.

સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે મુસાફરીના નિયમો હળવા કરવા માટે આ કામચલાઉ વિઝા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આનાથી હજ દરમિયાન મુસાફરોની સલામતીમાં સુધારો થશે અને મુસાફરી અત્યંત આરામદાયક બનશે.

આ પણ વાંચોઃ પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાની વાહનચાલકો પર શુ અસર? | Petrol-Diesel Price

આ પણ વાંચોઃ   Valsad: હર્ષ સંઘવી અને પાટીલના મતવિસ્તાર પાસે શરમજનક ઘટના, ગોડસેના પોસ્ટર લાગ્યા, કોના સહારે?

આ પણ વાંચોઃ  મોદીના ગઢ ગુજરાતમાં ગાબડું પાડવા કોંગ્રેસનું અધિવેશન | Congress Adhiveshan

આ પણ વાંચોઃ MPમાં નકલી ડોક્ટરે 7 લોકોની હાર્ટ સર્જરી કરતાં મોત, આયુષ્માન યોજનાના દુર્પયોગની આશંકા

Related Posts

S Jaishankar: સુરીનામથી એસ. જયશંકરની વૈશ્વિક ચેતવણી, કહ્યું- દુનિયા હવે સંસાધનોને હથિયારની જેમ વાપરી રહી છે
  • May 8, 2026

S Jaishankar: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર હાલમાં સુરીનામની મુલાકાતે છે, જ્યાં તેમણે બદલાતી વૈશ્વિક વ્યવસ્થા અને મોટા દેશોની સ્વાર્થી નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે. પારામારીબોમાં ભારતીય સમુદાય અને…

Continue reading
Iran US Conflict: ઈરાન દબાણ સામે નહીં ઝૂકે, પરંતુ વાતચીત માટે તૈયાર, ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાનનું મોટું નિવેદન
  • May 6, 2026

Iran US Conflict: ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાને હાલમાં જ ઈરાકના નિયુક્ત વડાપ્રધાન અલી અલ-ઝૈદી સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન દેશનું વલણ સ્પષ્ટ કર્યું છે. પેજેશકિયાને ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈરાન આંતરરાષ્ટ્રીય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

West Bengal Election Violence: પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ સનાતની વીરોનું શૌર્ય અને ટાઈમ મશીનની કલ્પના

  • May 8, 2026
  • 4 views
West Bengal Election Violence: પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ સનાતની વીરોનું શૌર્ય અને ટાઈમ મશીનની કલ્પના

Gir Forest Land Allocation Controversy: ગીર જમીન વિવાદમાં ફરી ઉઠ્યા સવાલો, આનંદીબેન પટેલ અને અનાર પટેલને લઈને જૂના આરોપોની ચર્ચા તેજ

  • May 8, 2026
  • 6 views
Gir Forest Land Allocation Controversy: ગીર જમીન વિવાદમાં ફરી ઉઠ્યા સવાલો, આનંદીબેન પટેલ અને અનાર પટેલને લઈને જૂના આરોપોની ચર્ચા તેજ

Gift City Data Center Fraud : ગુજરાતમાં વધતા નટવરલાલો! ડેટા સેન્ટર રોકાણના બહાને 32 હજાર લોકો સાથે ઠગાઈ? ઉત્પલ પટેલ કેસે મચાવ્યો ખળભળાટ

  • May 8, 2026
  • 8 views
Gift City Data Center Fraud : ગુજરાતમાં વધતા નટવરલાલો! ડેટા સેન્ટર રોકાણના બહાને 32 હજાર લોકો સાથે ઠગાઈ? ઉત્પલ પટેલ કેસે મચાવ્યો ખળભળાટ

Mundra fishermen Adani protest: અત્યાચારનું બીજુ નામ અદાણી: મુંદરામાં 4 વખત માછીમારોને સ્થળાંતર

  • May 8, 2026
  • 9 views
Mundra fishermen Adani protest: અત્યાચારનું બીજુ નામ અદાણી: મુંદરામાં 4 વખત માછીમારોને સ્થળાંતર

Bhavnagar SBI Loan Scam: ભાવનગર SBI લોન કૌભાંડમાં મોટો ખુલાસો, નિલમબાગ બ્રાન્ચના ચીફ મેનેજરની ધરપકડથી બેંકિંગ ક્ષેત્રમાં ખળભળાટ

  • May 8, 2026
  • 9 views
Bhavnagar SBI Loan Scam: ભાવનગર SBI લોન કૌભાંડમાં મોટો ખુલાસો, નિલમબાગ બ્રાન્ચના ચીફ મેનેજરની ધરપકડથી બેંકિંગ ક્ષેત્રમાં ખળભળાટ

S Jaishankar: સુરીનામથી એસ. જયશંકરની વૈશ્વિક ચેતવણી, કહ્યું- દુનિયા હવે સંસાધનોને હથિયારની જેમ વાપરી રહી છે

  • May 8, 2026
  • 6 views
S Jaishankar: સુરીનામથી એસ. જયશંકરની વૈશ્વિક ચેતવણી, કહ્યું- દુનિયા હવે સંસાધનોને હથિયારની જેમ વાપરી રહી છે