Bodeli ની ઓરસંગ નદીની દશા અને દિશા કેમ બદલાઈ? પાણી ગયા અને હવે કાંકરા રહી ગયા | VIDEO

Bodeli Orsang River  Sand Mining: છોટા ઉદેપુરમાં જીલ્લામાંથી પસાર થતી નદી ઓરસંગ નદીને રેતી માફિયાઓએ ખોદી કાઢી છે. ચાંદી જેવી સફેદ રેતીની રેતીનો કરોડોનો વેપાર થાય છે. લોકો પણ બોડેલીની રેતી મંગવાનો જ આગ્રહ રાખતા હોય છે. જેથી અહીં મોટા પાયે રેતીનું ખનન થયું છે.

રેતી માફિયાઓએ નદીને ખોદી કાઢી

છોટાઉદેપુર નગર તથા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી ઓરસંગ નદીમાં વર્ષોથી થતા રેતી ખનનને કારણે નદીમાં હવે માત્ર પથ્થર અને કાંકરા રહી ગયા છે. છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદી મધ્યપ્રદેશના ભાભરાના જંગલમાંથી નીકળે છે. જે છોટાઉદેપુર નગર તથા આસપાસના વિસ્તારને પાણી પૂરું પાડે છે. જો કે આ નદીના હાલત રેતી માફિયાઓએ બત્તર કરી નાખી છે. નદીના વહેણ બદલી નાખ્યા છે. નદીની દુર્દશા કરી નાખી છે.

ખાસ કરીને આ નદીનો પટ બોડેલી તાલુકમાં વિસ્તરેલો છે. જેથી બોડેલીમાં મોટા પાયે રેતી ખનન થયું છે.

બારમાસી નદી બની સૂકી

એક સમયે 12 માસ આ નદીમાં પાણી વહેતું હતુ. જો કે આજે તે સૂકી બની છે. છોટાઉદેપુર જિલ્લામાં ઓરસંગ નદીમાં બેફામ રેતીખનનનું આ વિઘાતક પરિણામ છે. અહીં કૂવાના પાણી ગંભીર રીતે નીચે જતા પીવાના, સિંચાઇના પાણી માટે આપદા ઉભી થઈ છે. સિંચાઈની અપૂરતી સગવડો વચ્ચે પાણી માટે વલખાં મારતા જિલ્લા વાસીઓને ઓરસંગની દુર્દશાથી પડતા પર પાટુની સ્થિતિ સર્જાઈ છે.

ઓરસંગ કિનારાની જૂથ પા.પુ.યોજનાઓ કેમ નિષ્ફળ ગઈ છે. આ યોજનાઓના સોર્સમાં આડેધડ રેતી ખનન થતાં હવે નર્મદાના પાણી વિકલ્પે આપવા પડ્યા છે! છોટાઉદેપુરથી સંખેડા તાલુકા સુધી 55 કીમીનો ઓરસંગ પટ વિસ્તરેલો છે. ઓરસંગ નદી પર બનેલા તમામ સિવિલ એન્જી. માળખા ડામાડોળ બની ગયા છે.

50 ફૂટે પાણી મળતા પાણી 300 ફૂટે ગયા

જ્યાંરે બોર કૂવામાં 50 ફૂટે પાણી મળતા હતા ત્યાં રેતી ખનનને લીધે હવે ભૂગર્ભ જળ ઊંડા જતા રહેતાં 300 ફૂટે પણ પાણી મળવું દુર્લભ બન્યું છે.

બોડેલી ઓરસંગ બ્રિજ ના જુના અને નવા ભાગના ફાઉન્ડેશન ખુલ્લા થઇ જતા જોખમી રીતે પુલ ઉભો છે! કલેકટર ગાર્ગી જૈને જાતે આ પુલની મુલાકાત લઇ બાંધકામ તંત્રને સૂચનાઓ આપી હતી. સિહોદનો ભારજ નદીનો પુલ બે વર્ષથી તૂટી ગયેલો છે. ભારજ પર રેલવે પુલ ફાઉન્ડેશન ધોવાતા ચર્ચગેટ મુંબઇથી ટીમ અહીં મુલાકાતે આવી હતી

જીવાદોરી ઓરસંગ નદીમાં હવે પથ્થર અને કાંકરા રહી ગયા

પાણીના સ્તા ઊંડા ઉતરી જતા પૂરતું પાણી ન મળતા હાફેશ્વરથી પાણી વેચાતું લેવું પડે છે. રેતી ખનનથી ગાયબ થતાં પાણી, છોટાઉદેપુર નગરની 35 હજાર વસ્તીને પાણીની સમસ્યા થઈ છે. મે માસ સુધી રહેતું પાણી હવે માર્ચ માસમાં જ સુકાઈ જાય છે. ચોમાસાને છોડીને 8 મહિના સુધી રેતી ખનન પ્રવૃત્તિ ચાલ્યા કરે છે. જો કે હવે આવનારા દિવસોમાં પ્રજાને રેતી મળશે કે કેમ તે સવાલ થઇ રહ્યો છે.

 

 

આ પણ વાંચો:

Narmda: સાપે ડંખ મારતાં 10 કિમી સુધી ઝોળીમાં યુવકને લઈ જવો પડ્યો, આ છે ગુજરાતીની સ્થિતિ?

Mehul Choksi: મેહુલ ચોકસી સ્વિટ્ઝર્લૅન્ડ ભાગે તે પહેલા જ બેલ્જિયમમાં ધરપકડ

પ્રદૂષણના કારણે ગુજરાતમાં 4 લાખ લોકો અજાણતા મોતને ભેટે છે | Gujarat pollution

કોંગ્રેસ અધિવેશનના હોર્ડિંગનો મુદ્દો હાલ ચર્ચામાં કેમ? જુઓ | Congress Adhiveshan

Related Posts

Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!
  • June 13, 2025

દિલીપ પટેલ અમદાવાદ, 13 જૂન 2025 Ahmedabad plane crash second incident: ભારતની આઝાદી બાદ 2020 સુધીમાં વિમાન અકસ્માતમાં 2173 શ્રીમંત મુસાફરોના મોત થયા, જેમાં અમદાવાદમાં 133 મોત આ રીતે થયા…

Continue reading
શું મોદી મેડિકલ માફિયાઓના શરણે કામ કરી રહ્યાં છે? | medical education system corruption
  • June 12, 2025

medical education system corruption : નેતાઓ પ્રજાને ખોટા વચનો આપીને મુર્ખ બનાવે છે. તેમને એવું લાગે છે કે, અત્યારે મોટા મોટા વચનો આપી દીઈએ પછી કોને કામ કરવું છે પ્રજાને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 3 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 7 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 9 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 12 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 13 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!

  • June 16, 2025
  • 15 views
Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે  વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!