
CBI Raid at Durgesh Pathak House: CBI એ આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ ધારાસભ્ય દુર્ગેશ પાઠકના ઘરે દરોડા પાડ્યા છે. ગુરુવારે સવારે CBIની એક ટીમ AAP નેતાના ઘરે પહોંચી હતી. CBIના દરોડાના વિરોધમાં આપ નેતાઓએ કેન્દ્ર સરકારને જોરદાર ઘેરી છે. AAP નેતાઓનું કહેવું છે કે દુર્ગેશ પાઠકને ગુજરાત ચૂંટણીની જવાબદારી આપવાની સાથે, સરકારે તેમને બિનજરૂરી રીતે હેરાન કરવા માટે CBI દરોડા પાડ્યા છે.
દુર્ગેશને ગુજરાત વિધાનસભા ચૂંટણીના સહ-પ્રભારી બનાવાયા
AAP નેતા દુર્ગેશ પાઠકને તાજેતરમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027 ના પ્રભારી બનાવવામાં આવ્યા છે. તેમને સહ-પ્રભારી બનાવ્યા પછી તરત જ CBI ની કાર્યવાહીથી AAP નેતાઓમાં રોષ ફેલાયો છે. AAP નેતાઓનું કહેવું છે કે કેન્દ્ર સરકાર CBIનો દુરુપયોગ કરી રહી છે. ભાજપ પોતાના ફાયદા માટે સરકારી એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે.
AAP સાંસદ સંજય સિંહે ભાજપ કર્યા પ્રહાર
પાઠકને ત્યા દરોડા પાડતાં AAP સાંસદ સંજય સિંહે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “પહેલા પણ AAP ને રોકવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. અમારા સૌથી મોટા નેતા (અરવિંદ કેજરીવાલ) ને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, પંજાબ અને દિલ્હીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આજે ફરી એક વાર ભાજપ દ્વારા આવો જ નાપાક પ્રયાસ કરવામાં આવ્યો છે.”
જ્યારે દુર્ગેશ પાઠકને ગુજરાત મોકલવામાં આવતાં CBIએ રેડ પાડી: સંજય સિંહ
સંજય સિંહે વધુમાં કહ્યું, “પીએમ મોદીએ આમ આદમી પાર્ટીના પીએસી સભ્ય અને ગુજરાતના સહ-પ્રભારી દુર્ગેશ પાઠકના ઘરે સીબીઆઈ મોકલી છે. આનું કારણ એ છે કે અરવિંદ કેજરીવાલે તેમને સંગઠન પર દબાણ લાવવા માટે ગુજરાત મોકલ્યા હતા. ગુજરાતમાં આપને 14 ટકા મત મળ્યા હતા.”
‘ભાજપ ખરાબ હાલતમાં’
આપના સાંસદ સંજય સિંહે દાવો કર્યો છે કે ગુજરાતમાં ભાજપની સ્થિતિ નબળી છે. ગુજરાતના લોકોને AAP પાસેથી આશા છે, પરંતુ તેમણે તેમને ડરાવવા માટે CBI મોકલી છે. પીએમ મોદી ગુજરાતમાં હારની શક્યતાનો સામનો કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ
Kheda: માતરના ભલાડામાંથી ગુમ થયેલા યુવકનો મૃતદેહ કૂવામાંથી મળ્યો,
US: હવે ટ્રમ્પને તેમના માનિતા પત્રકારો જ સવાલ કરી શકશે, શું આપ્યું કારણ?
UP: પ્રેમમાં પડેલા સાસુ-જમાઈ પોલીસ સમક્ષ હાજર, કહ્યું હવે અમે બંને….
Surat reconstruction: કાપોદ્રામાં કિશોરની હત્યા કરનાર નશાખોર પ્રભુનું રિકન્સ્ટ્રક્શન
Junagadh: અકસ્માતમાં ત્રણ યુવકના મોત, એક સાથે 3 જનાજા નીકળ્યા