સાઉથ બોપલમાં પ્રી-બુકિંગના નામે 200 લોકો સાથે છેતરપિંડી કરનાર બિલ્ડરની ધરપકડ

  • Gujarat
  • December 26, 2024
  • 0 Comments

સાઉથ બોપલમાં પ્રી-બુકિંગના નામે 200 લોકો સાથે છેતરપિંડી કરનાર બિલ્ડરની ધરપકડ કરવામાં આવી છે. સાઉથ બોપલમાં પ્રિવિલોન બિલ્ડકોન એલએપીએ નામથી 3 અને 2 બીએચકેના ફ્લેટની બે સ્કીમ મૂકવામાં આવી હતી. આ સ્કિમ થકી લોકો સાથે છેતરપિંડી કરનારા મુખ્ય આરોપી જયદીપ કોટકની બોપલ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, જમીન ખરીદી કર્યા વગર, રેરાની પરમિશન વગર સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી. અમદાવાદ ગ્રામ્ય પોલીસે સમગ્ર કેસને લઈને SIT બનાવવામાં આવી છે. 2 DYSP સહિતનાં અધિકારીઓ સમગ્ર મામલે તપાસ કરશે.

જણાવી દઈએ કે, આરોપીઓ દ્વારા પ્રી-બુકિંગ પેટે 200થી વધુ લોકો પાસેથી રૂ.15 લાખ સુધીની રકમ લીધી હતી. પરંતુ કામ-કાજ ચાલું કરવામાં આવ્યું નહતું. તેથી ઘણો સમય વીતિ ગયો હોવાથી એડવાન્સ બુકિંગ કરાવનારા લોકો પૈસા લેવા પહોંચ્યા તો બિલ્ડરે પોતાની હાલમાં કોઈ મૂડી ન હોવાનું કહ્યું હતું. ભોગ બનેલા લોકોનું કહેવું છે કે, 200થી વધુ લોકો પાસેથી 35 કરોડથી વધુ ઉઘરાવ્યા છે. છેતરપિંડીનો ભોગ બનેલા લોકોએ એસપી ઓફિસમાં રજૂઆત કરી હતી. કેટલાક લોકોને ચેક આપ્યા છે, પરંતુ તેમાંથી ઘણાના ચેક બાઉન્સ પણ થયા છે.

લોકોના જણાવ્યા અનુસાર, બિલ્ડરે બોપલ-ઘુમામાં રિચમન્ડ પ્રિવિલોન નામથી 2 અને 3 બીએચકેની સ્કીમ મુકી હતી. 22 માળની બિલ્ડિંગ માં 66 ફ્લેટ વેચાણ માટે મુકવાનું નક્કી કરાયું હતું. જ્યારે અન્ય એક 14 માળની સેલેસ્ટિયન સ્કીમ મુકાઇ હતી, જેમાં કુલ 600 ફ્લેટ હતા. જેમાં સ્કીમને રેરાની મંજૂરી પહેલા બુકિંગ શરૂ કરી દીધું હતું. અમને જણાવેલી તારીખ સુધીમાં બિલ્ડિંગનું કામ શરુ ન થતાં અમે પૂછપરછ કરતાં ખબર પડી કે સ્કીમની જમીનનો દસ્તાવેજ નહોતો થયો. ત્યારબાદ બિલ્ડર તરફથી અમને કોઈ જવાબ પણ મળ્યો ન હતો. અમારી રકમ પરત ન કરતા અમે પોલીસમાં અરજી કરી છે.

જે જમીન ઉપર કન્સ્ટ્રક્શન કરવાનું હતું તે, અશોક ડાહ્યા ભાઈ પટેલ અને ધરણીધર ડેવલોપરનાં નામે જમીન હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર છેતરપિંડી મામલે 138 લોકોની અરજીઓ મળી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બંને આરોપીની મિલકતો પણ ચેક કરવામાં આવશે અને જો ગુનાનાં પૈસાથી મિલકતો વસાવવામાં આવી હશે તો તેમાં કાર્યવાહી કરવામાં આવશે.

તે ઉપરાંત પોલીસે ભોગ બનેલા તમામ લોકોને આશ્વસન આપ્યું છે કે, તમામ લોકોના પૈસા સીધી રીતે મળી જાય તેવી રીતે કાર્યવાહી કરવામાં આવશે. આ સ્ક્રિમમાં ભોગ બનનાર મહેન્દ્ર સિંહ ગોહેલે જણાવ્યુ હતુ કે, તેમણે તેમના બજેટમાં ઘર મળી રહ્યું હોવાના કારણે તેમણે પણ પંદર લાખ 51 હજાર રૂપિયા આપીને બૂકિંગ કરાવ્યું હતું. પરંતુ તેમણે જણાવેલા સમયાનુંસાર બાંધકામ શરૂ કરવામાં આવ્યું નહતું. તો અમે બીજી વખત તેમને પૂછવા ગયા તો બે મહિનામાં કામ શરૂ થઇ જવાનું જણાવ્યું હતું. પરંતુ તે પછી પણ કંઇ જ કામ શરૂ કરવામાં આવ્યું નહતું.

રેરામાંથી મંજૂરી મળ્યા પહેલાં જ બિલ્ડરે બુકિંગ શરૂ કરી દીધું હતું. બુકિંગ કરનારા લોકોના જણાવ્યા મુજબ, બિલ્ડરે એપ્રિલમાં રેરાની મંજૂરી આવી જવાની વાત કરી હતી. પરંતુ રેરાની મંજૂરી ન આવતા તમામ લોકોએ બિલ્ડરને પૂછતાં કહ્યું કે, થોડો વધુ સમય લાગશે, પરંતુ મંજૂરી મળી જવાની વાત કરી હતી. બિલ્ડરે બુકિંગ લઇ લીધુ હતું પરંતુ કામ ચાલુ ચાલુ ન કરતા તમામ ભાંડો ફૂટ્યો હતો.

Related Posts

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Socialism in India: ભારતની ઉન્નતિમાં અવરોધ કે આશાનું કિરણ? સમાજવાદી નીતિઓની કડવી વાસ્તવિકતા!

  • June 20, 2026
  • 2 views
Socialism in India: ભારતની ઉન્નતિમાં અવરોધ કે આશાનું કિરણ? સમાજવાદી નીતિઓની કડવી વાસ્તવિકતા!

Political Defection and Stability: ભાજપા, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો કેમ અખંડ રહ્યા જ્યારે અન્ય પક્ષો સત્તા જતા જ તૂટી પડ્યા?

  • June 20, 2026
  • 6 views
Political Defection and Stability: ભાજપા, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો કેમ અખંડ રહ્યા જ્યારે અન્ય પક્ષો સત્તા જતા જ તૂટી પડ્યા?

TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

  • June 20, 2026
  • 9 views
TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

  • June 20, 2026
  • 5 views
Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

  • June 20, 2026
  • 11 views
Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

  • June 20, 2026
  • 8 views
Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો