
Rajkot Murder case: રાજકોટમાં 3 શખ્સોએ એક યુવાનને ગોળો ટૂંપો દઈ છરીના ઘા મારી રહેંસી નાખ્યો છે. આ સમગ્ર હત્યામાં પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. હાલ આ હત્યા કેસમાં બે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે એક હજુ પણ ફરાર છે.
રાજકોટના બાપુનગર વિસ્તારમાંથી હત્યાનો હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે. નીલકમલ ફર્નિચર નજીક સ્મશાન પાસે ગત સોમવારે રાત્રિના 9 વાગ્યા આસપાસ જિલ્લા ગાર્ડન સ્લમ ક્વાર્ટરમાં રહેતા જીશાન મુસ્તુફાભાઈ કાસવાણી (ઉં.વ.20) નામના યુવાન સાથે અમન મહેબૂબ ચૌહાણ, અફઝલ સિકંદર જુણેજા અને એક અજાણ્યા ઈસમ સાથે બોલાચાલી થઈ હતી. જેમાં ત્રણેય શખ્સોએ જીશાનને ગળે ટૂંપો દઈ જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીઓએ પાઈપથી હુમલો કરી તેના પેટમાં છરીના ઘા મારી ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ જીશાનને હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
હત્યા કેસની પોલીસ દ્વારા તપાસ
ભક્તિનગર પોલીસ સ્ટાફ અને એલસીબી ઝોન-1 અને ક્રાઈમ બ્રાન્ચની ટીમની પ્રાથમિક તપાસમાં હત્યા પાછળ મુખ્ય કારણ પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે એકની શોધખોળ ચાલુ છે.
પરસ્ત્રી સાથે આડા સંબંધની આશંકા
જાણવા મળી રહ્યું છે કે જીશાન બે બહેનનો એકનો એક ભાઇ હતો અને બાપુનગર મેઇન રોડ પર બટેટાવાળાની લારીમાં કામ કરતો હતો. આરોપી અમન ચૌહાણના 15 દિવસ પૂર્વે જ લગ્ન થયા હતા અને તેની પત્ની સાથે જીશાનને પ્રેમ સંબંધ હોવાની અમનને શંકા હતી. જે શંકા પ્રબળ બનતાં જીશાનની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે.
આ પણ વાંચોઃ
Ahmedabad માં સૌથી મોટું દબાણ હટાવવાનું કામ ચાલુ, મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો
Pahalgam Attack: પહેલગામ હુમલાનો સૌથી ખતરનાક વિડિયો સામે આવ્યો
આટલાં વર્ષોથી ગુજરાત પોલીસ ઘુષણખોરોને કેમ પકડતી નહોતી? આદેશ નહોતો, કે ઈચ્છા નહોતી?
બધી પાર્ટીના લોકો આવ્યા પણ મોદીજી ના આવ્યા, આ શરમની વાત: Mallikarjun Kharge
ક્યા છે ચોકીદાર? ‘આતંકીઓ આરામથી મારી જતાં રહ્યા’ | Pahalgam Terror Attack