Israel fire: ઈઝરાયલમાં લાગી ભયંકર આગ, લોકો વાહનો છોડી ભાગ્યા, શું છે સ્થિતિ?

  • World
  • April 30, 2025
  • 4 Comments

Israel fire: ઇઝરાયલના જેરુસલેમ શહેરના બહારના વિસ્તારમાં એક ભયંકર આગ ભભૂકી ઉઠી છે. એશ્તાઓલના જંગલ વિસ્તારમાં લાગેલી પવન સુસવાટા સાથે આગળ વધી રહી છે. આનાથી ઘણા રસ્તાઓ પ્રવાવિત થયા છે. લોકો પોતાના વાહનો છોડી ભાગી રહ્યા છે.

સરકારે સ્થિતિને કાબૂમાં લેવા સેના ઉતારવી પડી

ઇઝરાયલી સરકારે તાત્કાલિક કાર્યવાહી કરી છે સરકારે સ્થિતિને કાબૂમાં લેવા સેના ઉતારવી પડી છે. સાથે સાથે ઈમરજન્સી સેવા ચાલુ કરાવી દીધી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે, અને સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને ઘણા રહેણાંક વિસ્તારોને અસ્થાયી રૂપે ખાલી કરાવવામાં આવ્યા છે.

ટ્રાફિક અને સંદેશાવ્યવહાર પ્રભાવિત

આગની તીવ્રતાને ધ્યાનમાં રાખીને જેરુસલેમ અને તેલ અવીવને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ-1  બંધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોઈપણ પ્રકારની દુર્ઘટના ટાળવા માટે રેલ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે.

સરકારે પરિસ્થિતિનું નિરીક્ષણ અને સંકલન કરવા માટે એશ્તાઓલ વિસ્તારમાં એક ખાસ કમાન્ડ સેન્ટર સ્થાપ્યું છે, જ્યાં રાહત પ્રયાસોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ કેન્દ્રની મુલાકાત લેવા માટે બે વરિષ્ઠ મંત્રીઓ પણ સ્થળ પર રવાના થયા છે.

આગ પર કાબુ મેળવવા માટે ભારે પ્રયાસો ચાલી રહ્યા છે

ઇઝરાયલની ફાયર વિભાગે આગ ઓલવવા માટે અત્યાર સુધીમાં 63 ફાયર બ્રિગેડ અને 11 ફાયર ફાઇટિંગ એરક્રાફ્ટ તૈનાત કર્યા છે. વિભાગના જણાવ્યા અનુસાર, આગ ઓછામાં ઓછી પાંચ અલગ અલગ જગ્યાએ ફેલાઈ ગઈ છે, જેના કારણે પરિસ્થિતિ વધુ વિકટ બની છે. જેથી તંત્રએ આગ પર કાબૂ મેળવવા સતત પ્રયાસ કરી રહી છે. જોકે હજુ સુધી આગ કાબૂમાં આવી નથી.

રાહત કાર્ય ચાલુ છે

સ્થાનિક વહીવટીતંત્ર અને બચાવ કાર્યકરોએ લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને ફક્ત સત્તાવાર સ્ત્રોતો પાસેથી જ માહિતી મેળવવાની અપીલ કરી છે. પ્રાદેશિક હોસ્પિટલોને એલર્ટ કરવામાં આવ્યા છે, જોકે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

સરકારે એવો પણ સંકેત આપ્યો છે કે જો પરિસ્થિતિ કાબુમાં નહીં આવે તો વધુ સંસાધનો પૂરા પાડવામાં આવશે.

આ પણ વાંચોઃ

Hajj Yatra: હજ યાત્રી આ ભૂલ કરશે તો સાઉદી અરેબિયા 4.5 લાખનો દંડ ફટકારશે!

Surat: 11 વર્ષિય વિદ્યાર્થીને લઈને ભાગેલી શિક્ષિકા શામળાજી પાસેથી ઝડપાઈ

Bangladesh: દેશદ્રોહના કેસમાં જેલમાં બંધ હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસને મળ્યા જામીન

જર, જમીન ને જોરુ, કજિયાનાં છોરું: ગોંડલમાં આ છે ઝઘડાના મૂળ?, જુઓ વીડિયો

સીમા હૈદર પાકિસ્તાનનો કચરો, પાછી મોકલવી જોઈએ, મિથિલેશ ભાટી ગુસ્સે ભરાઈ

Junagadh: અમદાવાદની જેમ જૂનાગઢમાં મોટું દબાણ હટાવવાનું કામ, આ બેઘરોને છત કોણ આપશે?

 

 

Related Posts

ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump
  • October 29, 2025

Donald Trump:  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી વધુ એકવાર દાવો કર્યો છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અટકાવ્યું હતું ત્યારે વારંવાર ટ્રમ્પ દ્વારા આવી રહેલા નિવેદનથી મોદી સામે…

Continue reading
કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh
  • October 29, 2025

 Businessman Darshan Singh Murder: પંજાબ મૂળના એક અગ્રણી ઉદ્યોગપતિ દર્શન સિંહની કેનેડાના સરીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના તેમના ઘરની બહાર બની હતી જ્યારે તેઓ તેમના નિવાસસ્થાનમાંથી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

  • October 29, 2025
  • 8 views
Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

  • October 29, 2025
  • 10 views
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 16 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

  • October 29, 2025
  • 15 views
Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

  • October 29, 2025
  • 12 views
Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

  • October 29, 2025
  • 30 views
Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો