
Mock Drill India On Sanjay Raut Spoke:: પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. 7 મેના રોજ ભારતના ગૃહ મંત્રાલયે દેશમાં મોકડ્રીલ યોજવા સૂચનાઓ આપી છે. જેના પર શિવસેના (UBT) નેતા સંજય રાઉતે પ્રતિક્રિયા આપી છે.
સંજય રાઉતે કહ્યું, “જો સરકાર મોકડ્રીલ કરવા માંગતી હોય તો ઠીક છે. પણ મોકડ્રીલ શું છે? કાલે સંપૂર્ણ બ્લેકઆઉટ થઈ જશે. સાયરન વાગશે. ટ્રાફિક બંધ થઈ જશે. આપણે આ 1971 માં જોયું છે.”
તેમણે કહ્યું કે તે સમયે વાતચીતના કોઈ માધ્યમ નહોતા, પરંતુ હવે છે અને લોકોને શું કરવું તે કહી શકાય છે.
સંજય રાઉતે કહ્યું, “યુદ્ધ થાય છે, પરંતુ યુદ્ધ પછી ઊભી થતી પરિસ્થિતિ… ખૂબ જ ગંભીર છે. તેના માટે પણ, હવેથી બધા પક્ષોએ સાથે મળીને ચર્ચા કરવી પડશે.”
તેમણે પૂછ્યું, “શું આ મોદીજીની તૈયારી છે? જો આપણે ખરેખર યુદ્ધ લડવા માંગતા હોઈએ, તો આપણે બધાને સાથે લઈને ચાલવું જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું છે કે ખાસ સત્ર બોલાવો, આ અમારી પહેલાથી જ માંગ છે, વાતચીત કરો. દેશ સંકટમાં છે, યુદ્ધની સ્થિતિમાં છે, તેથી અમે તમારી સાથે છીએ.”
મોક ડ્રીલ માટે દિલ્હી કેટલું તૈયાર છે? CM રેખા ગુપ્તાએ શું કહ્યું?
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દેશમાં મોક ડ્રીલ યોજવાના ગૃહ મંત્રાલયના નિર્દેશ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે કેન્દ્રની દરેક સૂચનાનું પાલન કરવામાં આવી રહ્યું છે.
મોક ડ્રીલ અંગે પત્રકારોના પ્રશ્ન પર, CM રેખા ગુપ્તાએ કહ્યું, “દિલ્હી આ માટે સંપૂર્ણપણે તૈયાર છે. દિલ્હીના લોકો અને દિલ્હી સરકાર દેશની સાથે ઉભા છે અને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર તમામ પ્રકારના કામ કરવામાં આવી રહ્યા છે.”
ભારત સરકારના ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 7 મેના રોજ મોક ડ્રીલ યોજવા સૂચના આપી છે. પહેલગામમાં થયેલા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત વધી રહેલા તણાવ વચ્ચે આને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ
Defense Mock Drill: અમદાવાદ, સુરત સહિત 19 સ્થળોએ ડિફેન્સ મોકડ્રીલ, સુરક્ષિત સ્થળો કયા?
Gondal: અમિત ખૂંટના આપઘાતને લઈ અનેક તર્કવિતર્ક, શું થઈ રહ્યા છે મોટા આક્ષેપ?
Gujarat: વાવાઝોડા સાથે પડેલા વરસાદથી 8 લોકોના મોત, મહિસાગરમાં ફરી વરસાદ
UP: 24 વર્ષિય શિક્ષક અને 14 વર્ષની વિદ્યાર્થીની વચ્ચે પ્રેમ, હોટલમાં કેમ કર્યો આપઘાત?
