
વાપીના છીરી વિસ્તારમાં 7 વર્ષીય એક માશૂમ બાળકના અપહરણ અને હત્યાના મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. ગણતરીના કલાકોમાં જ વલસાડ જિલ્લા પોલીસ ને માસુમ બાળકની હત્યાના ભેદને ઉકેલવામાં સફળતા મળી છે અને બાળકની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે. જોકે હત્યા નું કારણ જે બહાર આવ્યું છે તે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી.
વાપીના છીરી વિસ્તારમાં આવેલા રણછોડ નગરમાં વડાપાવની લારી ચલાવતા એક પરિવારનો સાત વર્ષીય ઓમજીત કુમાર તંતી નામનું બાળક 25મી તારીખ રાતથી ગુમ હતુ. પરિવારજનોએ ભારે શોધખોળ કરી હતી. પરંતુ આખી રાતની શોધખોળ કર્યા બાદ પણ બાળક નહીં મળતા આખરે સવારે આ અંગે પોલીસને જાણ કરી હતી.
બનાવની જાણ થતાં જ પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ બાળકની શોધખોળ હાથ ધરી હતી. અને 200 થી વધુ પોલીસ જવાનો અને સ્થાનિક લોકોની મદદથી આસપાસના વિસ્તાર અને ઝાડીઓમાં બાળકને શોધવા પ્રયાસ કર્યા હતા. ત્યારે તે ઝાડી ઝાંખરમાંથી મળી આવ્યો હતો.
બાળકના શરીરે તીક્ષ્ણ હત્યાર માર્યાના નિશાન
પ્રાથમિક તપાસમાં મૃતક બાળકના શરીર પર તીક્ષ્ણ હથિયારથીના ઈજાના નિશાન જોવા મળ્યા હતા. આથી બાળકની હથિયારથી હત્યા નીપજાવવામાં આવી હોય તેવું લાગતા પોલીસે આ મામલે અપહરણ અને હત્યાનો પણ ગુનો નોધ્યો હતો.
પાડોશીએ દુષ્કર્મના ઇરાદે અપહરણ કર્યું
ત્યારે પોલીસ સઘન તપાસ હાથ ધરી દમણના ભીમપોર વિસ્તારમાંથી શિવકુમાર ઉર્ફે શિવા કાંતા રવિદાસ નામના એક 28 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી. આરોપી શિવકુમારે જ માસુમ બાળકની હત્યા કરી હતી. જો કે હત્યાનું કારણ જાણવા પોલીસે આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતા આરોપીએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. આરોપી શિવકુમાર ભોગ બનેલા બાળકના ઘરની નજીકમાં જ રહેતો હતો. અને તેણે આ બાળકને નાસ્તો કરવા 10 રૂપિયા આપવાની લાલચ આપી દુષ્કર્મના ઇરાદે અપહરણ કર્યું હતું.. અને ત્યારબાદ ઘરથી થોડે દૂર ઝાડિયોમાં લઈ જઈ અને માસુમ સાથે દુષ્કર્મ આચર્યું હતું… અને ત્યારબાદ તેની ધારદાર હથિયાર વડે કરપીણ હત્યા કરી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જો કે વલસાડ જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારનો ભેદ ઉકેલી નરાધમ આરોપી ની ધરપકડ કરી તેના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આવો જ વાપીમાં બીજો એક કિસ્સો બન્યો હતો.જુઓ તેનો વિડિયો







