Helicopter Crash: ઉત્તરકાશીમાં હેલિકોપ્ટર ક્રેશ, 4ના મોત, ખરાબ હવામાન છતાં ઉડાન કેમ ભરી?

  • India
  • May 8, 2025
  • 8 Comments

Uttarkashi Helicopter Crash Today: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં હેલિકોપ્ટર ક્રેશ થઈ જતાં લોકો હચમચી ગયા છે. આ હેલિકોપ્ટર ઉત્તરકાશીમાં ગંગનાઈ આગળ ક્રેશ થયું હતું. હેલિકોપ્ટરમાં 5 થી 6 મુસાફરો હતા. ચાર મુસાફરોના મોત થયાના અહેવાલ છે, જ્યારે બે ઘાયલ હોવાનું કહેવાય છે. ઉત્તરકાશીના ડીએમ ઘટનાસ્થળે જવા રવાના થઈ ગયા છે. જાણવા મળી રહ્યુ્ં છે કે હેલિકોપ્ટર ગંગોત્રી જીઈ રહ્યું હતુ.

ગઢવાલ ડિવિઝનલ કમિશનર વિનય શંકર પાંડેએ અકસ્માતની પુષ્ટિ કરી છે. તેમણે માહિતી આપી કે પોલીસ, સેનાના જવાનો, આપત્તિ વ્યવસ્થાપન ટીમ, એમ્બ્યુલન્સ, તહસીલદાર ભટવાડી અને બીડીઓ ભટવાડી પણ રાહત અને બચાવ માટે ઘટના સ્થળે રવાના થઈ ગયા છે. આ ઘટના સવારે 9 વાગ્યે બની હોવાનું કહેવાય છે. આ હેલિકોપ્ટર એક ખાનગી કંપનીનું હોવાનું કહેવાય છે.

ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ

આ હેલિકોપ્ટર એક ખાનગી એરલાઇનનું હતું. દુર્ઘટના માટે ખરાબ હવામાનને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે. જોકે, હજુ સુધી ચોક્કસ કારણ જાણી શકાયું નથી. આ સાથે, એક પ્રશ્ન એ પણ છે કે જો હવામાન ખરાબ હતું તો હેલિકોપ્ટર કઈ પરિસ્થિતિમાં ઉડાન ભરી? ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. વહીવટી ટીમ દ્વારા રાહત અને બચાવ કાર્ય કરવામાં આવ્યું છે.

સીએમ પુષ્કર સિંહ ધામીએ દુઃખ વ્યક્ત કર્યું

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, “ઉત્તરકાશીના ગંગણી નજીક હેલિકોપ્ટર દુર્ઘટનામાં કેટલાક લોકોના મોત થયાના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા છે. SDRF અને જિલ્લા વહીવટીતંત્રની ટીમો તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.”

તેમણે કહ્યું, “ભગવાન અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારોને આ અપાર નુકસાન સહન કરવાની શક્તિ આપે. મેં વહીવટીતંત્રને ઘાયલોને શક્ય તેટલી મદદ પૂરી પાડવા અને અકસ્માતની તપાસ કરવા સૂચના આપી છે. હું આ સંદર્ભમાં અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છું અને દરેક પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.”

આ પણ વાંચોઃ

પાકિસ્તાનનો LOC પર સતત ગોળીબાર, ભારતના 15 નાગરિકોના મોત, 43ને ઈજાઓ

Operation Sindoor: અમે ફક્ત આતંકીઓના તાલીમ શિબિરોનો નાશ કર્યો: રાજનાથ સિંહ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી, પાકિસ્તાનના નામથી મળ્યો મેઇલ | Bomb Blast Threat

Mock drill: ગુજરાતના બ્લેક આઉટનો સમય બદલાયો

ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ, પહેલગામ હુમલાનો કેવી રીતે લીધો બદલો? | Operation Sindoor

Operation Sindoor: પાકિસ્તાન-POKમાં હાફિઝ સઈદ અને મસૂદ અઝહરના ઠેકાણાઓનો નાશ

પાકિસ્તાન ડરી ગયું, ભારત હુમલા રોકી દે, તો અમે કંઈ નહીં કરીએ, ‘પીક્ચર અભી બાકી હૈ’

Operation Sindoor: પૂર્વ આર્મી ચીફનો હુંકાર, ‘પિક્ચર અભી બાકી હૈ’, શું થવાનું છે?

 

Related Posts

Brij Bhushan Singh Verdict: મહિલા પહેલવાનોના આરોપો છતાં બ્રિજ ભૂષણ કેમ બચ્યા? અદાલતે આપ્યા મહત્વના કારણો
  • August 13, 2026

Brij Bhushan Singh Verdict: ભારતીય કુસ્તી મહાસંઘ (WFI)ના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે દાખલ થયેલા ચર્ચાસ્પદ જાતીય સતામણીના કેસમાં દિલ્હીની એક અદાલતે તેમને નિર્દોષ જાહેર…

Continue reading
Nikhil Gadkari Defamation Case: નિખિલ ગડકરીએ ધ કારવાં સામે કર્યો 10 કરોડનો માનહાનિ દાવો, હાઇકોર્ટનો જવાબ માંગતો આદેશ
  • August 13, 2026

Nikhil Gadkari Defamation Case: દિલ્હી હાઇકોર્ટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના પુત્ર નિખિલ ગડકરી દ્વારા દાખલ કરવામાં આવેલા 10 કરોડ રૂપિયાના માનહાનિના દાવા મામલે ધ કારવાં મેગેઝિનના એડિટર-ઇન-ચીફ અને એક પત્રકારને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Brij Bhushan Singh Verdict: મહિલા પહેલવાનોના આરોપો છતાં બ્રિજ ભૂષણ કેમ બચ્યા? અદાલતે આપ્યા મહત્વના કારણો

  • August 13, 2026
  • 2 views
Brij Bhushan Singh Verdict: મહિલા પહેલવાનોના આરોપો છતાં બ્રિજ ભૂષણ કેમ બચ્યા? અદાલતે આપ્યા મહત્વના કારણો

Nikhil Gadkari Defamation Case: નિખિલ ગડકરીએ ધ કારવાં સામે કર્યો 10 કરોડનો માનહાનિ દાવો, હાઇકોર્ટનો જવાબ માંગતો આદેશ

  • August 13, 2026
  • 3 views
Nikhil Gadkari Defamation Case: નિખિલ ગડકરીએ ધ કારવાં સામે કર્યો 10 કરોડનો માનહાનિ દાવો, હાઇકોર્ટનો જવાબ માંગતો આદેશ

Adani Forest Land Diversion: મહારાષ્ટ્ર સરકારે અદાણી સમૂહના બે પ્રોજેક્ટ માટે આશરે 83,700 ચોરસ ફૂટ જંગલ જમીનના ડાયવર્ઝનને મંજૂરી આપી

  • August 13, 2026
  • 4 views
Adani Forest Land Diversion: મહારાષ્ટ્ર સરકારે અદાણી સમૂહના બે પ્રોજેક્ટ માટે આશરે 83,700 ચોરસ ફૂટ જંગલ જમીનના ડાયવર્ઝનને મંજૂરી આપી

Tribunal Reform Bill 2026: લોકસભા બાદ રાજ્યસભામાં મંજૂર ટ્રિબ્યુનલ સુધાર વિધેયક, વિપક્ષે કર્યો વોકઆઉટ

  • August 13, 2026
  • 4 views
Tribunal Reform Bill 2026: લોકસભા બાદ રાજ્યસભામાં મંજૂર ટ્રિબ્યુનલ સુધાર વિધેયક, વિપક્ષે કર્યો વોકઆઉટ

Arunachal Border PLA Incursion: અરૂણાચલમાં PLAને લઈને નવા દાવા, ભારતીય સેનાને પેટ્રોલિંગથી રોકવાનો ફેક્ટ-ફાઇન્ડિંગ ટીમનો આરોપ

  • August 13, 2026
  • 4 views
Arunachal Border PLA Incursion: અરૂણાચલમાં PLAને લઈને નવા દાવા, ભારતીય સેનાને પેટ્રોલિંગથી રોકવાનો ફેક્ટ-ફાઇન્ડિંગ ટીમનો આરોપ

Noida Workers Jantar Mantar Protest: નોઇડા શ્રમિક આંદોલનના 4 મહિના બાદ પણ જેલમાં કાર્યકરો, જંતર-મંતર પર મુક્તિની માંગ સાથે વિરોધ

  • August 13, 2026
  • 5 views
Noida Workers Jantar Mantar Protest: નોઇડા શ્રમિક આંદોલનના 4 મહિના બાદ પણ જેલમાં કાર્યકરો, જંતર-મંતર પર મુક્તિની માંગ સાથે વિરોધ