Rahul Gandhi નો PM Modiને પત્ર, સંસદનું વિશેષ સત્ર બોલાવવાની કરી માંગ

  • India
  • May 11, 2025
  • 0 Comments

Rahul Gandhi wrote a letter to PM Modi:  ભારતના ઓપરેશન સિંદૂરથી (Operation Sindoor ) પાકિસ્તાનની હાલત ખરાબ થઈ ગઈ છે. ચાર દિવસ સુધી ચાલેલી લશ્કરી કાર્યવાહીમાં ભારતે પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધું છે. દેશના દરેક નાગરિકે સરકારના આ લશ્કરી કાર્યવાહીની પ્રશંસા કરી છે . વિપક્ષે પણ મોદી સરકારને સંપૂર્ણ ટેકો આપ્યો છે. હવે કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પહેલગામ આતંકવાદી હુમલા, ઓપરેશન સિંદૂર અને યુદ્ધવિરામની ઘોષણા પર ચર્ચા કરવા માટે સંસદનું ખાસ સત્ર તાત્કાલિક બોલાવવાની માંગ કરી છે, જેથી દેશના લોકો જાણી શકે કે ભારતીય સેનાએ પાકિસ્તાનને ભારતે કેટલું નુકસાન પહોંચાડ્યું છે.

રાહુલ ગાંધીએ પત્ર લખી શું માંગ કરી

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પોતાના પત્રમાં લખ્યું છે કે, “હું વિપક્ષની સર્વસંમતિથી વિનંતીને પુનરાવર્તિત કરું છું કે સંસદનું ખાસ સત્ર તાત્કાલિક બોલાવવામાં આવે. લોકો અને તેમના પ્રતિનિધિઓ માટે પહેલગામ આતંકવાદી હુમલો, ઓપરેશન સિંદૂર અને યુદ્ધવિરામ પર ચર્ચા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેની જાહેરાત સૌપ્રથમ યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી હતી. આ સત્ર આગળના પડકારોનો સામનો કરવા માટે આપણા સામૂહિક સંકલ્પને દર્શાવવાની તક હશે. મને વિશ્વાસ છે કે તમે આ માંગણી પર ગંભીરતાથી અને ઝડપથી વિચાર કરશો.”

Rahul Gandhi wrote a letter to PM Modi

મલ્લિકાર્જુન ખડગેએ પણ કરી હતી માંગ

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 28 એપ્રિલના તેમના પત્રનો ઉલ્લેખ કર્યો, જેમાં તેમણે વડા પ્રધાન મોદીને પહેલગામ આતંકવાદી હુમલાની ચર્ચા કરવા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવા વિનંતી કરી હતી. ખડગેએ પોતાના પત્રમાં લખ્યું છે કે, “માનનીય પ્રધાનમંત્રી, કૃપા કરીને રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે મેં તમને શું કહ્યું હતું તે યાદ રાખો. 28 એપ્રિલના રોજ લખેલા પત્ર દ્વારા, મેં તમને પહેલગામમાં થયેલા અમાનવીય આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને સંસદના બંને ગૃહોનું ખાસ સત્ર બોલાવવા વિનંતી કરી હતી. નવીનતમ ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને, લોકસભામાં વિપક્ષના નેતાએ ફરીથી તમને પત્ર લખીને તમામ વિપક્ષી પક્ષોની સર્વસંમતિથી વિનંતી વિશે માહિતી આપી છે. તેમણે સંસદનું ખાસ સત્ર બોલાવવાની વિનંતી કરી છે, જેમાં પહેલગામ આતંકવાદ, ઓપરેશન સિંદૂર અને પહેલા વોશિંગ્ટન ડીસી અને પછી ભારત અને પાકિસ્તાનની સરકારો દ્વારા કરવામાં આવેલા યુદ્ધવિરામની ઘોષણાઓ પર ચર્ચા કરવાની વાત છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે, હું આ વિનંતીના સમર્થનમાં પત્ર લખી રહ્યો છું. મને વિશ્વાસ છે કે તમે સંમત થશો.”

કપિલ સિબ્બલે પીએમ મોદીને હાજર રહેવાની કરી માંગ 

મીડિયા સાથે વાત કરતી વખતે, રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે સંસદનું ખાસ સત્ર અને સર્વપક્ષીય બેઠક બોલાવવાનો આગ્રહ કર્યો. તેમણે એમ પણ કહ્યું કે આજે આપણે કોઈ ટીકા નહીં કરીએ. તેમણે તમામ રાજકીય પક્ષોને અપીલ કરી કે જ્યાં સુધી સરકાર તેમને ખાતરી ન આપે કે વડા પ્રધાન પણ બેઠકમાં હાજર રહેશે ત્યાં સુધી તેઓ બેઠકમાં હાજર ન રહે.

આ પણ વાંચોઃ

Donald Trump: ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી બાદ ટ્રમ્પનું મોટું નિવેદન, કાશ્મીર વિશે કહી દીધી મોટી વાત

India Pakistan War:પાકિસ્તાને હુમલામાં ભારતને કેટલું નુકસાન પહોંચાડ્યું? સેના અને વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં આપી મહત્વની જાણકારી

India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન હુમલાને લગતા સમાચાર પ્રસારિત કરતા પહેલા મીડિયાને આ નિર્દેશોનું કરવું પડેશે પાલન, નહીં તો થશે કાર્યવાહી

India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન હુમલાને લગતા સમાચાર પ્રસારિત કરતા પહેલા મીડિયાને આ નિર્દેશોનું કરવું પડેશે પાલન, નહીં તો થશે કાર્યવાહી

World Migratory Bird Day 2025 : પક્ષીઓને પણ પાકિસ્તાનમાં નથી ગમતું! લાખો પક્ષીઓ સ્થળાંતર કરીને ગુજરાતમાં આવી ગયા

ધ વાયરની વેબસાઇટ સરકારે બ્લોક કેમ કરી? | The wire

‘બહુ ઊંચા થતાં હોય તો ચેતજો’, ડેપ્યુટી કલેક્ટરને ફરી બનવું પડ્યું મહેસૂલ અધિકારી, 1 લાખનો દંડ | Andhra Pradesh

ગોદી મિડિયા સરકારના ડાહ્યા થવામાં ભારતનું અહિત ન કરી દે!, શું છે Media Advisory જુઓ?

Share Market Down: રોકાણકારોને નુકસાન, સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટ્યો, શું છે કારણો?

 PIB Fact Check: વાઈરલ થયેલા 7 ખોટા વીડિયો અંગે PIBનું ફેક્ટ ચેક, શું સામે આવ્યું?

Vadodara: ન્યાયના એજન્ડા સાથે લડી રહેલા ભાજપા કોર્પોરેટર આશિષ જોશીને સસ્પેન્શનની બક્ષીશ

Related Posts

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો
  • September 17, 2026

Maharashtra FDA Survey: હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીના પરિવાર માટે સૌથી મોટી ચિંતા માત્ર દર્દીની તબિયત નહીં, પરંતુ સારવારનો વધતો ખર્ચ પણ બની જાય છે. ખાસ કરીને ICU જેવી પરિસ્થિતિમાં પરિવાર…

Continue reading
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી
  • September 17, 2026

Pakistan China Boundary Joint Commission: પાકિસ્તાન અને ચીન દ્વારા રચવામાં આવેલા ‘પાકિસ્તાન-ચીન બાઉન્ડ્રી જૉઇન્ટ કમિશન’ને ભારતે સ્પષ્ટ શબ્દોમાં નકારી કાઢ્યું છે. નવી દિલ્હીએ કહ્યું છે કે ભારતીય વિસ્તારને લગતી કોઈપણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 4 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 7 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 6 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 10 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

  • September 17, 2026
  • 8 views
Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

  • September 17, 2026
  • 13 views
Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી